SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનની પળેપળના ઉપયોગ આત્મહિત માટે કરવાનુ તેઓ ચૂકતા નહિ. આ માટે અનેક શાસ્ત્રોનુ’તેઓ નિર ંતર અવલેાકન કરતાં, તેમની આકૃતિ એટલી શાન્ત અને તેજસ્વી હતી કે લાંખા ઉપદેશે! જે કાર્ય ન કરી શકે એ કાર્ય એમની આકૃતિના દર્શન કરવાથી થઈ શકતુ. અને એ કરતાં એમની કાર્યશૈલી વધારે પ્રશંસનીય હતી, કેાઇ પણ પગલું મૂકવા પહેલાં તેઓ એટલા વિચાર કરતા કે એમના કાઇ પણ કાર્યને માટે તેને પસ્તાવાના સમય જીવનભરમાં ભાગ્યે જ આવ્યા હશે. એક સમય મુનિ દાનવિજયજીએ તેએની પાસે વાત મૂકી; “આધુનિક સાધુ સમાજ વિદ્યાભ્યાસથી બહુ વંચીત રહે છે, પૂર્વાચાર્યાંએ રચેલા ન્યાય, વ્યાકરણ આદિ મહાન ગ્રંથા, ગ્રંથલંડારામાં એની એ સ્થિતિમાં પડી રહે છે. ચાતુર્માંસના ચાર મહિના દરમિયાન કોઇ પંડિતને રોકી કાઇ મુનિ અભ્યાસ કરે, ત્યાં વિહારનો સમય આવતા આગળ અભ્યાસ થઇ શકતા નથી, અને પડિતાના ખર્ચે ખરાખર સફળ થતા નથી. આ સયાગા વચ્ચે શ્રી સિદ્ધાચળજી જેવા તીર્થંમાં મુનિ મહારાજોના અભ્યાસ માટે એક પાઠશાળા હાય તે અભ્યાસ વધે.” શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજને આ વાત રુચી, દૈવયેાગે ખાણુ ખુદ્ધિસિંહુજી યાત્રાર્થ સિદ્ધાચળજી આવ્યા, પાઠશાળા ઉપસ્થિત કરવામાં મદદ કરવા મુનિશ્રીએ પ્રેરણા કરી, અને પરિણામે એ પાઠશાળા ખુલ્લી મૂકવામાં આવી. ભાવનગરમાં જૈન ધર્મ પ્રસારક સભાને પ્રાણવાન અનાલવામાં, અને સ્થાનિક જનતામાં જૈન સંસ્કૃતિની ઊંડી છાપ પાડવાનાં અનેક કાર્યોં તેએાશ્રીના હસ્તે થયા છે. એક રીતે કહીએ તે પજાબમાં તેએાએ જન્મ લીધો, પરંતુ ગુજરાતના, કાઠિયાવાડના અને મુખ્યત્વે ભાવનગરના કલ્યાણ માટે તે જીવ્યા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy