SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ તેઓએ બખાળા કાઢવામાં બાકી રાખી ન હતી. એમ છતાં મુનિ શ્રી બુદ્દે રાયજી અને એમના શિષ્ય સમુદાયે પિતાના માર્ગના કાંટાઓને પુષ્પ–પેખી પ્રેમથી વધાવવામાં, અને શાક્તરસ જાળવવામાં જે દીર્ધદષ્ટિ રાખી હતી, એના શુભ ફળરૂપે જ આજે સારાયે પંજાબ સંવેગ માર્ગને અનુસરતે, ઓળખતે થયે છે. બાદ ગુજરાતમાં આવ્યા, અને સં. ૧૯૧૨ માં અમદાવાદમાં પંન્યાસશ્રી મણુવિજયજી દાદા પાસે વડી દીક્ષા અંગીકાર કરી. ૧૯૧૧ માં તેઓશ્રીએ ગુજરાત-કાઠિયાવાડમાં પ્રવેશ કર્યો ત્યારે અત્રેની સ્થિતિ પણ પછાત હતી. “જૈન ધર્મને ટકાવનાર” યતિ સમાજ જ છે એવી રૂઢ લોકમાન્યતા વચ્ચે યતિઓએ મેર સામ્રાજ્ય જમાવ્યું હતું. વ્યાખ્યાનપીઠ તેમના હાથમાં હોવાથી તેઓ બનતા પ્રયાસે સંવેગી સાધુ સમાજનું સ્થાન જામવા દેતા ન હતા. ચારિત્રના બળથી તેઓ મંદ પડતા જતા હતા ત્યારે ભળી જનતાને વશ રાખવા મંત્ર-જંત્ર-વૈદ્ય-વિદ્યા વિગેરે સાધનને તેઓ ઉપયોગ કરતા. આ પ્રતિકૂળ સંગે વરચે પણ મુનિશ્રીએ ધીમે ધીમે સારી નામના મેળવી હતી, અને સમય જતાં સારાએ ગુજરાત-કાઠિયાવાડમાં સંવેગી સાધુ સમાજ પરત્વેની શ્રદ્ધા-ભક્તિ બળ વધી ગયું હતું. શરીરની પ્રતિકુળતાને અંગે તેઓ સતત વિહાર કરી શકે તેમ ન હતા, એમ છતાં ગુજરાત-કાઠિયાવાડ ઉપર તેઓશ્રીએ સારે ઉપકાર કર્યો છે, તેમાં ખાસ કરીને ભાવનગર તેઓશ્રીનું પરમ ત્રણ છે. આ પ્રમાણે જ્યાં જ્યાં બની શકે ત્યાં ત્યાં અભ્યાસ માટે જૈન સાહિત્યના સાધનો સંગ્રહ કરાવવામાં પણ તેઓશ્રીએ સારે શ્રમ લીધું હતું. વળાના જૈન ભંડરને ઉદ્ધાર કરાવવામાં તેઓએ સારે શ્રમ લીધું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy