SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ વિકમાર્ક પ્રબંધ ૨૩ રાજા થઈ ગયો છે ખરો? આ પ્રશ્નનો જવાબ આપે એ, ઉત્કીર્ણ લે કે સીક્કાઓને પુરા હજી નથી મળ્યું. પૌરાણિક કે બૌદ્ધ શ્રત પરંપરામાં પણ આ વિક્રમનું નામ નથી. પણ જૈન શ્રતપરંપરામાં છે. એટલે ઐતિહાસિક વિચારણા માટે જૈન મૃતપરંપરાનું આખું ખોખું ટુંકામાં જેવું જોઈએ. જેનશ્રત પરંપરા કહે છે કે – અવન્તીમાં વિ. સં. ને આરંભ પહેલાં ગભિલ્લ નામને એક રાજા થઈ ગયો, આ રાજાએ જૈન સાધુ કાલકાચાર્યનું અપમાન કર્યું અને તેણે શકાની મદદથી ગર્દભલેને નાશ કરાવ્યું. પણ કેટલાંક વર્ષ પછી ગર્દન ભિલ્લના પુત્ર વિક્રમાદિત્યે શંકાને અવનતીમાંથી હાંકી કાઢયા. પછી જેન સાધુ સિદ્ધસેન દિવાકરના ઉપદેશથી પોતે જેન ધર્મ સ્વીકાર્યો અને જગતને ઋણ મુક્ત કર્યું. અને ત્યારથી વિક્રમને સંવત ચાલ્યો. (જુઓ કાલકાચાર્ય કથાનક, પ્રભાવક ચરિતમાં કાલક સૂરિપ્રબંધ, જૈનસિંહાસન દ્વાáિશિકા, હાર્વર્ડ સંસ્કૃત સીરીઝ Vol. XXVI p. 251 વગેરે.) મહાવીરના નિર્વાણને ૬૮૩ વર્ષ ગયાં ત્યારે વિક્રમરાજાનો જન્મ થયો એવી દિગંબરમતની જૈન શ્રત પરંપરા છે (જુઓ મૂળ પૃ. ૧૬ ટિ ) પણ વેતાંબરમતની જે માન્યતા તીર્થ કલ્પ આદિમાં આપી છે તે પ્રમાણે મહાવીરના નિર્વાણ પછી ૪૫૩ વર્ષે કાલકાચાર્ય અને ૪૭૦ વર્ષે વિક્રમ રાજા થયા છે. વચ્ચે કણ કણ થયા તે વિષે જેનશ્રુત પરંપરાની ગોઠવણ નીચે પ્રમાણે છે. રાજાનું નામ પાલક નવનંદ ૧૫૫ મૌર્યવંશીઓ પુષ્પપુત્ર ૩૦ બલમિત્ર ભાનુમિત્ર નરવાહન કે નહવાન ગર્દભિલ્લ ૧૦૮ ૬૦ Yo ૧૩ શક કુલ ૪૭૦ તીર્થ કલ્પના આધારે રા. દી. શાસ્ત્રીએ કરેલે ઉતારો ઉપર પ્રમાણે છે. જેનપદાવલીઓમાં પણ આજ ગોઠવણ છે. પણ જિનસેને (ઈ. સ. ૭૮૩-૮૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004860
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungacharya
AuthorDurgashankar K Shastri
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy