SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ પરચુરણ પ્રબોધે . તિરોહિત થઈ ગયા. આ તિરહિત થયેલે રસ જે ઠેકાણે સ્થિર થયો તે ઠેકાણે સ્તંભનક નામનું રસ કરતાં પણ વધારે માહામ્યવાળું અને સર્વ લેકને ઇચ્છિત ફળ આપનારૂં શ્રી પાર્શ્વનાથનું તીર્થ ઉત્પન્ન થયું. આ પછી કેટલેક કાળ ગયા પછી તે પ્રતિમા જમીનમાં ઉતરી ગઈ, માત્ર તેનું મેટું બહાર રહ્યું. હવે શ્રી જૈનશાસનદેવતાની આજ્ઞાથી છ મહિના સુધી આંબેલવ્રત (ઘી, તેલ વગરને સુકે ખોરાક લઈને આ વ્રત થાય છે) કરીને (ચાકવડે) લખીને નવાંગવૃત્તિ શ્રીઅભયદેવ સૂરિએ જ્યારે પૂરી કરી ત્યારે તેના શરીરમાં ઘણો રોગ નીકળી આવ્યો, પણ પાતાલના રક્ષક શ્રી ધરણેન્દ્ર૭ ધળા સર્પનું રૂપ લઈ તેના શરીરને જીભથી સારી રીતે ચાટીને એમને રોગ દૂર કર્યા પછી ઉપરનું તીર્થ એમને બતાવ્યું. એટલે શ્રી સંધ સાથે શ્રી અભયદેવ સૂરિ ત્યાં આવ્યા અને દુધ ઝરતી ગાયને જોઈને ગોવાળના છોકરા એ બતાવેલે ઠેકાણે નવું બત્રીશી સ્તોત્ર રચીને બેસવા માંડયું. અને ત્રીશમા લોકે ત્યાં શ્રી પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ કરી. દેવતાની આજ્ઞાથી છેલ્લા બે લેક ગુપ્ત રાખવામાં આવ્યા. (૨૩) જે જેનમાર્ગમાં જે સ્વામીની ચાર હજાર વર્ષ સુધી ઈન્દ્ર, વાસુદેવ અને વરૂણે દેવાલયમાં પૂજા કરી હતી. પછી કાન્તી શહેરમાં પિતાના મંદિરમાં ધનેશ્વર શેઠે અને પછી મહાન નાગાર્જુને પૂજા કરી હતી તે ચંણપુરના શ્રી પાર્શ્વનાથ જિન તમારું રક્ષણ કરે. આ રીતે શ્રી નાગાર્જુનની ઉત્પત્તિ તથા સ્તંભનક તીથવતારના પ્રબન્ધો પૂરા થયા.૨૮ ર૬ આ રતંભનક તીર્થ તે ખંભાત નહિ પણ શેઢી નદીને કાંઠે આવેલું થાંના કે થાંભણા, એ ગામ આણંદ તાલુકામાં ઠાસરાથી દશ મિલ છેટે આવેલું છે (જુઓ બુલહરનું અરિસિંહ પૃ. ૧૭) ૨૭ કથાકષમાં નાગકુમારના રોજ શ્રીધરણને ઉલ્લેખ છે એ ટેનીએ નોંધ્યું છે (ટેનનું અંગ્રેજી ભાષાંતર ૫. ૧૯૬ ટિ. ૫) ૨૮ આ નાગાર્જુન પ્રબંધ ચતુર્વિશતિ પ્રબંધના પાંચમા તથા અઢારમાં પ્રબંધમાં મળે છે. ચ. પ્ર. માં ઢક પર્વતને શેત્રુ જાનું એકશિખર કહેલ છે. અભયદેવ સૂરિવાળી સ્તંભનક્તીર્થના પ્રાકટયની કથા વિસ્તારથી પ્રભાવરિતમાં અભયદેવ પ્રબંધમાં મળે છે. પ્રભાવ કચરિતમાં અભયદેવ સરિને ભીમદેવ પહેલાના તથા કર્ણના સમકાલીન કહેલ છે. અભયદેવસૂરિ જતી હૂયણ સ્તોત્ર નામનો ગ્રન્થ વિ. સં. ૧૧૧૧ માં રચાય છે. (જુઓ પીટર્સનને ત્રીજો રિપોર્ટ પૃ. ૨૫ એપેન્ડીકસ પૃ. ૨૪૫) બ્રીજા ગ્રન્થ સં. ૧૧૨૦ અને ૧૧૨૮ માં રચાયા છે અને તે પોતે સં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004860
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungacharya
AuthorDurgashankar K Shastri
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy