SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ કુમારપાલ પ્રબંધ ૨૧૩. જેમ આવ્યો હતો તેમ એ મંત્રી ગ. એની પ્રશંસામાં નીચેનાં વચને પ્રસિદ્ધ છે. (૪૧) હે યશવીર, આ ચંદ્ર એ તમારા યશરૂપ મોતીના ઢગલાનું જાણે શિખર છે અને ચંદ્રમાં કલંક છે તે રક્ષણ માટે (નજર ન પડે એ માટે) કરેલા રાખના ચાંડવાને ઠેકાણે શ્રીકાર છે (શ્રી યશવીર એ રીતે) (૪૨) હે યશોવર ! વચ્ચે શુન્યવાળાં મીંડાંઓ નકામાં છે પણ તું રૂપ એકડો આગળ મુકવાથી એ સંખ્યાવાળાં થઈ જાય છે. (૪૩) હે યશવીર! બ્રહ્મા ચંદ્રમામાં જ્યાં તમારું નામ લખવા જાય છે, ત્યાં પહેલા બે અક્ષરો જ (યશ) ભુવનમાં સમાતા નથી. આ પ્રમાણે શ્રી શત્રુંજ્યાદિ તીર્થયાત્રાનો પ્રબંધ પુરે થ ૭૦ ૬૧ હવે શ્રી વસ્તુપાલને ખંભાતમાં સઈદ નામના વહાણને કાફલો રાખનાર (ચાંચી સરદાર?) સાથે લડાઈ થઈ અને તેણે શ્રી ભગુપુર (ભરૂચ)થી શંખ નામના મોટા લડવૈયાને બોલાવી શ્રી વસ્તુપાલ સામે કાળ ૭૦ મેરૂતુંગે છે કે આને તીર્થયાત્રાને પ્રબંધ કહ્યો છે પણ એમાં વસ્તુપાલના મંદિર બંધાવવાં વગેરે સત્કર્મોનું પણું વર્ણન આવી જાય છે. પ્ર. ચિં. નું આ વર્ણન અપૂર્ણ, અવ્યવસ્થિત, અસ્પષ્ટ અને ટુંકું છે. સુકૃત સંકીર્તન, કીર્તિ કેમુદી, વસંતવિલાસ વગેરે વતુપાલના સમયમાં જ લખાયેલા ગ્રન્થોમાં તથા પાછળથી લખાયેલા વરતાલ ચરિતમાં આ કરતાં વધારે વિસ્તારથી તેમજ વધારે વ્યવસ્થિત રીતે યાત્રાનું તથા સત્કર્મોનું વર્ણન મળે છે. વળી સુ. સ., કી. . વગેરે સમકાલીન ગ્રન્થનું વર્ણન વધારે વિશ્વસનીય છે અને વસ્તુપાલના સમયનાજ લેખો સાથે મોટે ભાગે મળી રહે છે. મેરૂતુંગનાં ઉપરનાં વર્ણન સાથે સુ. સં., કી. કે. વગેરેનાં વર્ણનને સરખાવવા જેટલી વિગતો જ મેરૂતુંગમાં ન હોવાથી અહીં ટિપ્પણીમાં એ સરખામણી કરવાનો પ્રયત્ન કર્યો નથી. ખરી રીતે મૂળ આધાર રૂપે રસ. સં. વગેરેને રાખીને પ્ર. ચિં., ચતુર્વિશતિ પ્રબંધ, વસ્તુપાલ ચરિત વગેરેનાં વર્ણને સરખામણી માટે રાખવાં એ જ યોગ્ય માર્ગ છે. પુરાતત્વજ્ઞ બુલહરે વર્ષો હેલાં “અરિસિંહ' નામથી વસ્તુપાલ તેજપાલનાં સમગ્ર ચરિત્રને અવલોકવાને પ્રયત્ન કર્યો છે. અને મારે વિચાર પણ અન્યત્ર વસ્તુપાલનું સમગ્ર ચરિત્ર એ રીતે અવલોકવાને હેવાથી અહીં માથા કરતાં પાઘડી મેટી નથી કરી. પ્ર. ચિ. માં શેત્રુ જાની તથા ગિરનાર અને તેમનાથની વસ્તુપાલે સં. ૧૨૯૭ માં યાત્રા કર્યાનું વર્ણન છે. આ યાત્રાને ઉલ્લેખ ગિરનારના વસ્તુપાલના મંદિરના શિલા લેખમાં મળે છે સં. (૧૨)૭૦ વર્ષે શ્રી શત્રુગનચન્તઝમૃતિમહાતીર્થયાત્રોस्सवप्रभावाविर्भूत श्रीमद्देवाधिदेवप्रसादासादितसंघाधिपत्येन......श्रीवस्तुपालेन Arch. Report. Western India Vol. 11 p. 170. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004860
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungacharya
AuthorDurgashankar K Shastri
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy