SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ પ્રાધ ચિ'તામણી આ ગાથા જોઇને કુમારપાલ આશ્ચર્ય ચકિત થયા અને ગૂર્જર રાજા સિદ્ધરાજ મરણ પામ્યાના ખબર જાણીને ત્યાંથી પાા કર્યાં. રસ્તામાં એક શહેરમાં ભાતું ખુટી જતાં કાઈક દુકાનદારની દુકાનમાંથી ખાઇ લીધું અને ત્યાંથી ભાગ્યે। તે શ્રી અણહિલપુર પાચ્યા અને રાતે પાસે કાંઇ ધન નહેાવાથી કંદોઇની દુકાનમાં તેણે પોતાને માટે રાખેલું ખાઇ લીધું. પછી પેાતાના અતેવી રાજા શ્રી કાન્હડદેવનેપ ઘેર ગયા. ત્યાં રાજમહેલથી કાન્હડદેવ પાછે આવ્યા ત્યારે તેને આવકાર આપીને ઘરમાં લઇ ગયા. પછી સારી રીતે ભાજન વગેરેથી તૃપ્ત થઈને કુમારપાલ ત્યાં સુઇ ગયેા. ૨ સવારે તે બનેવીએ પેાતાના સૈન્યને તૈયાર કરીને રાજમહેલમાં (કુમારપાલને) લઇ જઈ રાજ્યાભિષેકને કાણુ યેાગ્ય છે તેની પરીક્ષા માટે હેલાં એક કુમારને રાજ સિંહાસન ઉપર બેસાર્યો. તેણે ઉપર ઓઢેલું કપડું પણ સરખું ન ઓઢયું, એ જોઇને ખીજાતે ખેસાર્યાં, તેણે હાથ જોડી રાખ્યા એ જોને તેને પણ ચેાગ્ય ન ગણ્યા, પછી શ્રી કાન્હડદેવની અનુમતિથી કુમારપાલ બેઠા; તેણેસિંહાસન ઉપર બેસી કપડાં સંકેલી લઈ, ઉંચા શ્વાસ લઇ, હાથમાંની તરવાર ફેરવવા માંડી; કે તરત પુરેાહિત મંગલાચાર કર્યાં. આ રીતે પચાસ વર્ષના કુમારપાલ ગાદી ઉપર બેઠે, કે મંગલ વાાંના અવાજો સાથે શ્રી. કાન્હડદેવે જમીનને પાંચે અંગે અડાડીને નમસ્કાર કર્યો.ક ૩ કુમારપાલ પ્રૌઢ ઉમ્મરના હોવાથી તથા દેશ પરદેશમાં કરેલા હાવાથી પેાતાની હુશીઆરીથી રાજ્યનું શાસન કરવા લાગ્યા, તે રાજ્યનાં જૂનાં માણસાને ન ગમ્યું એટલે તેઓએ ભેગા મળીને તેને મારી નાખવાના તાગડા રચ્ચેા. તેઓએ જ્યાં અંધકાર રહેતા હતા એવા દરવાજાઓમાં મારા રાખ્યા હતા. પણ તેનાં પૂર્વ જન્મનાં પુણ્યની પ્રેરણા થવાથી તેનાં કાઇ અંગનાં માણુસે આ વૃત્તાન્ત કુમારપાલને જણાવી દીધા એટલે ૫ આ કાન્હડ દેવ ( સ. કૃષ્ણ દેવ, ચા-ગણિએ કૃષ્ણ ભટ્ટ લખ્યુ છે ) માઢેરકના સ્વામી હતા અને કુમારપાલની બેન પ્રેમલ દેવીને પરણ્યા હતા એમ પ્રમન્યે! કહે છે, ( જીએ સ. ૧ વ. ૧ àા. ૬ ) કુમારપાલની બીજી એન શાકભરીના રાન્ત અર્પરાજને પણી હતી એમ રાજશેખર તથા જિ, ગણિ કહે છે. વળી જિ, ગણિ પ્રેમલ દેવીના પતિ કૃષ્ણદેવને જયસિંહના તુર’ગાધ્યક્ષ કહે છે. (જુએ પૃ. ૧૫) ૬ કૃષ્ણદેવે કુમારપાલને કેવી રીતે ગાદી ઉપર બેસાર્યા તેનુ ં વર્ણન પ્ર. ચિ, ને મળતું પ્રભાવક ચિતમાં પણ છે ( જીએ. હે. સૂ. પ્રખધ ક્ષેા. ૪૦૩ થી જાપ ) જિ, ગણિના કુ. પ્ર. માં પણ એજ પ્રમાણે વણુત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004860
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungacharya
AuthorDurgashankar K Shastri
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy