SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધરાજ પ્રબંધ ૧૫૭ સમજનાર કોઇ સેવકે હાથ જોડીને પોતાને અભિપ્રાય પ્રગટ કર્યો. પછી રાજાએ એકાંતમાં તેને હાથ જોડવાનું કારણ પૂછયું. ત્યારે તેણે કહ્યું કે આપને આશય હું સમજ્યો છું. અને ઉમેર્યું કે “પણ ત્રણ લાખ દ્રવ્યથી એ વાત બની શકે એવી છે.” તેજ વખતે જેપીએ જેમાં આપેલા મૂહર્તમાં તે સેવક રાજા પાસેથી ત્રણ લાખ લઇને જાતે વાણઆને વેષ લઈ, બધાં વેપાર માટેનાં વાસણને સંગ્રહ કરી તથા (ગીષ કાઢવા), રત્ન જડેલી સોનાની બે ચાંખડીઓ, અદ્દભુત દેખાતે ગદંડ, બે મણિમય કુંડલે એ જાતના ૯ ગનું સ્વરૂપ દર્શાવે એવું ગપ, અને સૂર્ય જેવો તેજવી ટુંકે ઘાઘરે એટલું સાથે લઈ રસ્તે ઓળંગી કેટલાક દિવસ પછી તે કેલાપુર પહોંચી ગયો, અને ત્યાં (દુકાન માંડીને) રહ્યો. પછી નજીક આવતી દીવાળીની રાતે તે શહેરના રાજાની રાણીઓ મહાલક્ષ્મીની પૂજા કરવા માટે તેના મંદિરમાં ગઈ ત્યારે આ માણસ સિદ્ધ પુરૂષને બનાવટી વેષ ઉપર કહેલ વસ્તુઓથી ધારણ કરી, ઉડવા જે માટે કુદકો મારવાની જેણે સારી રીતે ટેવ પાડેલી હતી એવા ૯૫ બર્બર સાથે એકાએક દેવીના આસન ઉપર પ્રગટ થયા. અને દેવીની રત્નમય તથા સોનેરી પુરવાળી પૂજા કરીને તથા તે રાણુઓને એવાંજ જ બીડાં આપીને તથા શ્રીસિદ્ધરાજના નામની છાપવાળે સિદ્ધવેષ પૂજાને બહાને ત્યાં રાખી બર્બરકને ખભે ચડી જેમ આવ્યો હતો તેમ ઉડીને ગયે. એ રાત પૂરી થતાં રાણીઓએ આ વિરોધી રાજાને વૃત્તાન્ત કેલાપુરના રાજાને કહી સંભળાવ્યો એટલે ભયબ્રાન્ત રાજાએ પિતાના મંત્રીઓ સાથે તે ભેટ (સિદ્ધવેષ) સિદ્ધરાજને મોકલી આપી. પછી તે સેવકે વાસ વેચવા ખરીદવાનું કામ આટોપી લઈ, “હું આવી પહોંચું ત્યાં સુધી આ મંત્રીઓને આપે દશન ન આપવું” એમ ઉતાવળે દોડી શકે એવા ખેપીઆ સાથે સિદ્ધરાજને વિનંતિ કરી. અને પોતે પણ થોડા દિવસમાં એકદમ પહેચી ગયો. પછી શું બન્યું હતું તે જાણી લઈ રાજાએ તે મંત્રીઓને તેઓને યોગ્ય સત્કાર કર્યો. ( આ પ્રમાણે કોલાપુર રાજપ્રબંધ પુરે થયે. ૯૪ જુદા જુદા પંથના ગીઓ જુદી જુદી જાતના વેષ રાખે છે, એટલે જે જાતના રોગીને વેષ લીધે હશે તે જાતના યોગીમાં વપરાતું હશે એવું યોગપટ્ટ એમ મતલબ જણાય છે. એ જાતના ભેગીઓ કેડ નીચે ઢંકા ઘાઘરા જેવું પરતા હશે એમ લાગે છે. ૫ બર્બરક શબ્દ પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં ખૂબ વપરાએલો મળે છે. એ શબ્દનું અગ્રેજી Barbarian શબ્દ સાથે સામ્ય છે. સાધારણ રીતે જંગલી અનાર્ય એ અર્થ કરવામાં આવે છે. સિદ્ધરાજે બર્બરક છણુ બિરૂદ ગ્રહણ કરેલ તે કયા બર્બરને જીતીને ? શીલાને જીતીને હશે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004860
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungacharya
AuthorDurgashankar K Shastri
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy