SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૫ સિદ્ધરાજ પ્રબંધ વગેરેની પાતળી બનાવટ) પી ગયા પછી વધે ઠપકો આપ્યો કે વચ્ચે-અર્ધ ખાધા પછી–પાણી કેમ ન પીધું ? કારણ કે – (૪૩) સૂર્ય ઉગે ન હોય ત્યારે ઘડા પાણી પણ પીવાય; પણ સૂર્ય ઉગ્યા પછી પીધેલું એક ટીપું પાણી એક ઘડા બરોબર થાય છે. રાતની છેલ્લી ચાર ઘડીઓમાં, સૂર્ય ઉગે નહિ ત્યાં સુધીમાં, જે પાણી પીવામાં આવે તે વજોદક કે અમૃતોદક કહેવાય છે. પણ સૂર્યોદય થયા પછી અન્ન ખાધા શિવાય જે પાણી પીવામાં આવે તે એને ઝેર સમજવું. એ પાણીનું એક ટીપું સો ઘડા બરાબર થાય છે. વળી ભજનની વચ્ચે જે પાણું પીવાય, તે અમૃત જેવું સમજવું અને ભોજન પછી તરત જે પાણી પીવામાં આવે તે એ છત્ર કે છોક કહેવાય છે. ત્યારે તેણે કહ્યું કે “પહેલાં ખાધું હતું એ અધે આહાર થયો એમ ગણીને હવે પાણું પીને પાછો અર્થે આહાર કરું પણ તેને એમ કરવા જતાં તે વૈધેજ રોકો. એક વખત રાજાએ કાંઈ હથીઆર પાસે ન રાખવાનું કારણ પૂછયું ત્યારે તેણે વિનતિ કરી કે “જે વખતે જે મળે તે મારું હથી આર.” પછી એક વખત તે ન્યા હતા ત્યાં તેના ઉપર માવતે હાથી ચલાવ્યા, એ જોઇને પાસે ઉભેલા કુતરાને ઉપાડી હાથીની સૂંઢ ઉપર માર્યો અને પછી મર્મસ્થાનમાં જેને વાગ્યું છે એવા હાથીનાં પૂછડાને પકડીને એવું ખેંચ્યું કે તેના અસાધારણ બળથી હાથીની નસે અંદરથી તુટી ગઈ અને માવતને ઉતારી લીધું કે હાથી જમીન ઉપર પડીને મરી ગયે. લેચ્છ ચડી આવતાં ૯૨ ગુજરાતને રાજા ભાગી ગયે ત્યારે પ્લેને યુદ્ધમાં યથેચછ કાપતાં કાપતાં પાટણમાં જે ઠેકાણે આ માંગૂ સ્વર્ગમાં ગયે તે જગ્યા માંગુ થંડિલ-થાનક નામથી પ્રસિદ્ધ છે. આ પ્રમાણે માંગે ઝાલા પ્રબંધ પૂરે થયે. ૪૮ એક વખત ઑ૭ (રાજ)ને પ્રધાને-મુખ્ય દૂતે આવ્યા ત્યારે સિદ્ધરાજે મધ્ય દેશમાંથી આવેલા વેશ લેનારાઓ (ભાંડે)ને બોલાવી ગુપ્ત રીતે કાંઈક કહીને તેઓને રજા આપી. પછી બીજે દિવસે સાંજે પ્રલયકાળ આવવાને હેય એવો પ્રચંડ વાયુ ફુકાવા લાગે, ત્યારે રાજા ઈન્દ્રની સભા જેવી સભામાં બેસીને જુએ છે તે અંતરિક્ષમાંથી ઉતરતા,માથે મુકેલી સોનાની બે - ૯૧ છત્રોદક શબ્દ આયુર્વેદિક સાહિત્યમાં મારા વાંચવામાં આવ્યો નથી પણ અન્નને ઢાંકી દેનાર એટલે બરાબર પાક ન થવા દેનાર એ અર્થ કદાચ હશે. ૯૨ લે ચડી આવતાં પાટણમાંથી ભાગી ગયો એ કે રાજા ? અને કયારે એ બનાવ બન્યું હશે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004860
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungacharya
AuthorDurgashankar K Shastri
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy