SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩ ભોજ અને ભીમના પ્રબંધે શોધન કરવા બધા માર્ગના વિદ્વાનેને બોલાવ્યા હતા. ત્યારે શ્રી હેમચન્દ્રાચાર્યે પિતાના શિષ્ય પંડિત રામચન્દ્રને “જે પ્રશસ્તિ કાવ્યને બધા વિદ્વાની સંમતિ હેય તે તારે કાંઈ પંડિતાઈ ન બતાવવી ” એમ કહીને ત્યાં મોકલ્યો હતો, પછી બધા વિદ્વાને પ્રશસ્તિનાં વખાણ કરવા મંડયા. વળી રાજાની એમાં મમતા હોવાથી તથા શ્રીપાલ કવિનાં ડહાપણ તથા દાક્ષિણ્ય (સૌની સાથે સારું રાખવાનો સ્વભાવ ) ને લીધે બધાં કાવ્ય બરાબર છે, અને ખાસ તો નીચેનું કાવ્યઃ (૨૦) આ લક્ષ્મીએ કમળનો ત્યાગ કરીને તમારી (સિદ્ધરાજની) તરવારનો આશ્રય કર્યો છે, કારણ કે કમળ કેશ (-ડેડવો તથા ખજાને) અને દળ (પાન તથા લશ્કર ) સહિત છે તે પણ પિતાના સ્પષ્ટ (શગુરૂપ) કંટકના સંબંધને કાપી શકતું નથી. વળી એ કઈ વખત પુરૂષત્વ ધારણ કરતું નથી, પણ આ અસિ (તરવાર) એકલેકેશ (મ્યાન) રહિત હોવા છતાં આખી પૃથ્વીને કંટક (શત્ર) વગરની કરે છે ( વળી તેને દલ–સૈન્યની જરૂર નથી અને પુત્વ ધારણ કરે છે એટલે કે એ શબ્દ પુંલિગ છે ). ખાસ સૌએ વખાણ્યું ત્યારે રાજાના પૂછવાથી રામચંદ્ર કહ્યું કે “ એ જરા વિચારવા જેવું છે ” અને પછી સૌના પૂછવાથી “ આ કાવ્યમાં સૈન્ય વાચક દલ શબ્દ છે અને કમળ શબ્દને નિત્ય નપુંસક ગ છે; તે બે દૂષણ વિચાર કરવાં જેવાં છે. પછી બધા પંડિતને આગ્રહ કરીને રાજાએ દલ શબ્દને સૈન્ય અર્થ સ્વીકારાવ્યો; પણ લિંગાન શાસનથી કમલે શબ્દ પુંલિગમાં વપરાયજ નહિ એવો નિયમ ન હોવાથી એનું શું કરવું ? એ મુશ્કેલીને “ પુરૂષત્વને પ્રાપ્ત થાય કે ન થાય ” એવો પાઠ ઉપલા થકમાં સ્વીકારીને તેડ કાઢો. આ વખતે સિદ્ધરાજને થયેલા દષ્ટિ દોષથી ૫. રામચંદ્રની, ઘરમાં પિસતાંજ એક આંખ ફરી ગઈ.૫૭ ૫૬ હેમચંદ્રના શિષ્ય પંડિત આ રામચંદ્ર એ વખતના એક સમર્થ કવિ નાટકકાર હતા. તેણે ઘણું ગ્રન્થ લખ્યા છે, જેમાંથી સત્ય હરિશ્ચન્દ્ર, નવવિલાસ, કામુદી મિત્રાણંદ નાટયદર્પણ વગેરે હમણું છપાયા છે. મૂળ પૃ. ૧૦૨ ની ટિપ્પણીમાં રામચન્દ્ર કવિને સિદ્ધરાજે ઉનાળામાં દિવસે કેમ વધારે લાંબા હોય છે.” એમ પૂછયું અને તેણે જવાબમાં રાજાની પ્રશંસા કરતા બે શ્લોક કહ્યા એટલે વિશેષ છે, આ રામચંદ્ર કવિને આ લોક રચના માટે કવિકટારમલ્લનું બિરૂદ મળ્યું હતું એમ રત્નમંદિર ગણિએ વિ. સં. ૧૫૧૭ માં લખે ઉપદેશ તરંગિણુમાં કહ્યું છે, પ૭ દૃષિ -નજર લાગવા–નો એ વખતે બહુ વહેમ હેય એમ જણાય છે. આ ગ્રંથમાં દષ્ટિ દેષની વાત વારંવાર આવે છે. ઉપર પ્રમાણે કવિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004860
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungacharya
AuthorDurgashankar K Shastri
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy