SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ભેજ અને ભીમના પ્રબંધે ૧૧૭ - ૯ શ્રી કર્ણ સ્વર્ગે ગયા પછી શ્રી ઉદયમતિ દેવીને ભાઈ મદનપાલ ખરાબ રીતે વર્તવા લાગ્યો. (દાખલા તરીકે) પાટણમાં એ વખતે દેવનું વરદાન પામેલ હોય એ લીલા નામને રાજવૈદ્ય રહેતું હતું એની વૈદક કળાથી રાજ તથા ચક્તિ થયેલા, શહેરના લેકે તેને સારી પેઠે ધન આપી ને પૂજતા હતા. આ લીલા વૈદ્યને મદનપાલે એક દિવસ પિતાના મહેલમાં તેડાવ્યા. અને પછી દરદનો ખોટો ડોળ કરી નાડ બતાવી. લીલા વૈદ્ય તમે પથ્ય પાળવા તૈયાર છે ?” એમ પૂછતાં તેણે જવાબ આપે કે “એજ નથી, તમને મેં રોગોનો ઉપાય કરવા નહોતા બોલાવ્યા, પણ મને પથ્ય (ખેરાકી-પૈસા) આપીને મારી ભૂખને ઉપાય કરવા બોલાવ્યા હતા. માટે બત્રીસ હજાર લાવો” એમ કહીને તેને કેદ રાખ્યો. લીલા વૈદ્ય એના કહેવા પ્રમાણે ગોઠવણ કર્યા પછી નિયમ કર્યો કે હવેથી રાજમહેલ સિવાય કોઈ ઠેકાણે દવા કરવા જવું નહિ.” ૧૦ એ વખત પછી દરદીઓના પિશાબને જોઇને નિદાન ચિકિત્સા કરતા લીલા વૈદ્યને એક દિવસ કોઈ ઠગ માણસે બનાવટી રોગની ચિકિસામાં એની કેટલી કુશળતા છે એ જોવા માટે બળદનું મૂત્ર દેખાડયું; પણ એ શું છે તે બરાબર જાણી જઈને માથું ધુણાવીને લીલા વૈદ્ય કહ્યું કે “ આ બળદ ઘણું ખાવાથી માંદો પડી ગયો છે માટે એને તરત તેલની નાળ પાએ; નહિ તે મરી જશે.” આ રીતે તે ઠગને વૈધે આશ્ચર્ય ચકિત કરી દીધો. ૧૧ એક વખત રાજાએ પિતાના ડોકના દુઃખાવાને ઉપાય પૂછયે, ત્યારે તેણે આઠ તેલા કસ્તુરી વાટીને તેને લેપ કરવાથી માથાનો દુઃખાવો મટી જશે એમ જવાબ આપ્યો. અને એમ કરવાથી ડોક સરખી થઈ ગઈ. પછી એક વખત રાજાની પાલખી (કુવારા) ઉપાડનાર હલકી કામના માણસે (મૂળમાં જાર ના શબ્દો છે) પિતાના માથાના સુ. સ. ને સુરથોત્સવ ટેકો આપે છે. (સ. ૧૫ . ૨૦) અને કહ્યું સુન્દરીમાં મુસલમાન સાથે કર્ણને વિજયી યુદ્ધ થયાનું કહ્યું છે. કર્ણ અતિ રૂપાળો હો એમ સુકૃત સંકીર્તન ( ૨૦ ), કીતિ કૈમુદી (૨-૨૧ ), રત્નમાળા, સિદ્ધ હેમપ્રશસ્તિ, (ક. ૧૭ ), વસન્ત વિલાસ (સ. ૩ ૧aો. ૧૮ ) તથા વસ્તુપાલ તેજપાલ પ્રશસ્તિ વગેરેમાં કહ્યું છે. - કણના વિ. સં. ૧૧૩ નો તથા ૧૫૪૮ નો બે લેખે મળ્યા છે. ( જુઓ સુરતની સાહિત્ય પરિષદને રિપોર્ટ તથા E. I. Vol. 1 p. 317) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004860
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungacharya
AuthorDurgashankar K Shastri
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy