________________
પ્રબંધ ચિંતામણી ૨૮ વળી એક વખત ભોજના શહેરમાં રહેનારી શીતા નામની એક રાંધનારીને ત્યાં કોઈ પરદેશી કાપડી સૂર્યપર્વને દિવસે આવ્યો અને તેણે પાક કરાવીને ખાવાનું લઈ જવાશ્રયે જઇને ખાધું અને પાછો રાંધનારીને ઘેર આવતાં માલકાંકણીનું તેલ ખાધેલું હોવાથી ઉલટી થઈને મરી ગયો. આ જોઈને શીતાને પિતાને માથે તહેમત આવશે એમ બીક લાગી એટલે મરવાની ઈચ્છાથી તે બાકી વધેલું ખાઈ ગઈ.૪૩ પણ તે એના પેટમાં રહ્યું અને શીતામાં પ્રતિભાને વૈભવ જાગૃત થયે. અને તે ત્રણે વિદ્યા અને રઘુવંશ, વાત્સ્યાયનકામશાસ્ત્ર, ચાણકયનીતિશાસ્ત્ર (વગેરે)ને છેડે અભ્યાસ કરીને પિતાની વિજયા નામની નવ યુવાન તથા વિદુષી પુત્રી સાથે શ્રી ભોજના દરબારને શોભાવતી શ્રી ભોજને કહેવા લાગી –
(૭૫) શત્રુઓનાં કુળને ક્ષય એ શૌર્યને અવધિ છે, બ્રહ્માંડ રૂપ વાસણ યશને અવધે છે, માગણોની વાંછા ત્યાગને અવધિ છે. સમુદ્ર પૃથ્વીને અવધિ છે અને પાર્વતીના પતિનાં ચરણકમળ એ શ્રદ્ધાને અવધિ છે; પણ શ્રી ભોજ રાજાના બાકીના ગુણોનો સમૂહ તે નિરવધિ છે.
પછી વિનોદ પ્રિય રાજાએ કુચનું વર્ણન કરવાનું વિજયાને કહ્યું એટલે તેણે નીચેને લોક કલ્લો –
(૭૬) સ્તનની ઉંચાઈ દાઢી સુધી છે, તેની શરૂઆતની અવધિ હાથના મૂળ (કખ) સુધી છે, વિસ્તાર હૃદય સુધી છે, બેન સંયોગ એટલે ગાઢ છે કે વક ચરિત ( જુઓ મહેન્દ્ર પ્રબ ધ ગ્લૅ. ૪૪ ) માં કહેલ છે તે ભૂલ જણાય છે. કારણ કે ધનપાલે પાઈલચ્છી નામમાળા વિ. સં. ૧૦૨૯ માં લખી છે. વળી તિલકમંજરીને આરંભમાં રાજ મુંજ તરફથી પિતાને સરસ્વતીનું બિરૂદ મળ્યાનું ધનપાલ કહે છે. માટે એ કવિ ભજના નહિ પણ મુંજના સમકાલીન હોવા જોઈએ. છતાં તિલકમંજરી કથા મેરૂતુંગ અને પ્રભાચંદ્ર કહે છે તેમ ભેજના વખતમાં લખાઈ હોય એમ તેની પ્રસ્તાવનાના એક શ્લોક (લો-૫૦ ) ઉપરથી લાગે છે. અલબત્ત એ વખતે ધનપાલ વૃદ્ધ અને ભેજ નવયુવાન હશે.
૪૨ વીશી રાખનારી એ અર્થ લાગે છે.
૪૩ મૂળમાં અહીં વાકયરચના ગડબડવાળી છે પણ તાત્પર્ય એમ લાગે છે કે રસોઈમાં ભૂલથી શીતાએ માલકાંકણીનું તેલ નાખી દીધું અને તેથી પેલાનું ઉલટી થઈને મરણ થયું. પછી એક પ્રતમાં અને પહેલીવાર છપાયેલા ગ્રંથમાં તે ઉલટી કરેલું શતા ખાઈ ગઈ એમ છે. માલકાંકણી ( ઉં. રોતિમતી ) બુદ્ધિવર્ધક દેશી વૈદકમાં મનાય છે તેથી આવા વાર્તા છેડાઈ હશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org