SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ભોજ અને ભીમના પ્રબંધ ૪૦(૭૧) ઉની રાબ પીવાથી ગળામાં દાહ થવાની બીકે મારા મેઢામાંથી સરસ્વતી પાછી ફરી ગઈ છે, તેથી વૈરીઓની લક્ષ્મીના વાળ પકડવામાં રોકાયેલા હાથવાળા હે રાજા ! મારામાં કવિત્વ નથી રહ્યું. (૭૨) ધનપાલનાં વચને અને મલય પર્વતનું ચંદન એ બે સરસ વસ્તુઓને હદયમાં ધારણ કરીને કણ આનંદ નથી પાતું? • એક વખત સર્વદર્શનેના ઉપદેશકેને એક સાથે બેલાવી રાજાએ મુક્તિનો માર્ગ પૂક્યો; ત્યારે સૌ પક્ષપાતથી પિતપોતાના દર્શનની પ્રશંસા કરવા લાગ્યા. પણ સત્ય માર્ગની જીજ્ઞાસાથી એક મતની માગણી થતાં, છ માસની અવધિ કરીને તેઓએ શ્રીશારદાનું આરાધન કરવા માંડયું. પછી એકાદ પરેડીઓ “જાગો છો ?” એમ પૂછવા સાથે ઉઠાડી, શારદાએ રાજાને કહ્યું – (૭૩) બૌદ્ધ ધર્મ સાંભળવા ગ્ય છે, જેન ધર્મનાં કર્મ કરવા યોગ્ય છે, વૈદિક ધર્મ વ્યવહારમાં પાળવા યોગ્ય છે. અને પરમ શિવ ધ્યાન કરવા યોગ્ય છે. અથવા અક્ષય પર ધ્યાન કરવા યોગ્ય છે. આ શ્લેક રાજાને તથા જુદા જુદા દર્શનવાળાઓને બતાવી શારદા અંતર્ધાન થઈ ગઈ. | (૭૪) ધર્મ અહિંસા લક્ષણ છે, ભારતી દેવી માન્ય છે અને ધ્યાનથી (માણસ) મુક્તિ પમાય છે એ પ્રમાણે બધા દર્શનવાળાઓને મત છે. ( આ પ્રમાણે બે લોકે રચીને રાજાને દૂષણ વગરને નિર્ણય કહો. શેભન મુનિની ચતુર્વિશતિકા સ્તુતિ પ્રસિદ્ધ છે.૪૧ ૪૦ ૭ મો ક ભોજ પ્રબંધમાં મળે છે પણ ધનપાલને કહેલો છેએ રીતે નહિ: જાલંધર દેશના વિદ્વાને કાલિદાસાદિ વિદ્વાનને ભેજની સભામાં જઈને જીભ ઝલાઈ જવાથી આ લોક કહ્યો એમ છે. ૪૧ આ ધનપાલ અને શોભનની કથા લગભગ આ પ્રમાણે પ્રભાવક ચરિત (મહેન્દ્ર પ્રબંધ) માં છે. એ કથાને લગતા અનેક શ્લોક બેયમાં એક સરખા છે. રત્નમંદિર ગણુએ તે માટે ભાગે મેરૂતુંગમાંથી શબ્દશઃ ઉતારે કર્યો છે, અને ઘેડે ન ઉમેરે પણ (ઘણું કરી કલ્પનાથી ) કર્યા છે. ધનપાલકવિના તિલક સંજરી, પાઈયલચ્છી વગેરે ગ્રંથો અને શોભનમુનિની ચતુર્વિશતિકા અત્યારે મળે છે. ( કાવ્યમાળામાં છપાયેલ છે). ધનપાલ કવિ પહેલાં બ્રાહ્મણ ધમાં હતા અને પાછનથી. જૈન ધર્મ થયા, એ વૃત્તાન પણ ડા. બુલ્હર કહે છે, તેમ માનવા જેવો લાગે છે. કારણ કે તિલકમ જરીમાં સર્વ:નિર. એ રીતે મંગલાચરણું મળે છે. પણ ધનપાલને મુંજના પ્રતિપન્નપુત્ર અને ભેજના બાલમિત્ર પ્ર. ચિં, માં તથા પ્રભા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004860
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungacharya
AuthorDurgashankar K Shastri
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy