SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન મળી મનુષ્યના ૩૦૩ ભેદ છે. તેમાં ૧૫ કર્મભુમી અને ૩૦ અકર્મભુમીના નામ આગળ આવી ગયેલાં છે, બાકી રહેતાં પ૬ અંતરીપ માનવ ક્ષેત્રોના નામો: (૧) અકોરૂક (૨) આભાસિક (3) સાનિક (૪) લાંગુલીક (૫) રહયકર્ણ (૬) ગજકણ (૭) ગોકર્ણ (૮) શશકુલકર્ણ (૯) આદર્શમુખ (૧૦) મેંઢ મુખ (૧૧) અજમુખ (૧૨)ગોમુખ (૧૩) અશ્વમુખ (૧૪) હસ્તિમુખ (૧૫) સિંહમુખ (૧૬) વ્યાધ્રમુખ (૧૭) અશ્વકર્ણ (૧૮) સિંહકર્ણ (૧૯) અકર્ણકર્ણ (૨૦) પ્રાવણકર્ણ (૨૧) ઉલકોમુખ (૨૨) મેઘમુખ (૨૩) વિદ્યુત મુખ (૨૪) વિદ્યુતદંત (૨૫) ધનદંત (૨૬) લષ્ટદંત, (૨૭) ગુઢદંત (૨૮) શુધ્ધદંત. લઘુ હિમવંત પર્વતની ચાર દાઢાઓ ઉપર અનુક્રમે ઉપરોક્ત અઠયાવીસ અંતરદ્વીપ આવેલા છે. એ જ રીતે શીખરી પર્વતની ચાર દાઢાઓ ઉપર ઉપર્યુક્ત નામના બીજા ૨૮ અંતરદ્વીપ આવેલા છે જે બંને મળી પ૬ અંતરીપ નરક્ષેત્ર છે. દેવ ગતિના ૧૯૮ ભેદ ૧૦ ભવનાતિ, ૧૫ પરમાધામી, ૮ વ્યંતર, ૮ વાણવ્યંતર, ૧૦ તિર્યગજાંભક, ૧૦ તિષી, ૧૨ દેવલોક, ૯ કાંતિક, ૩ કિલબષિયા, રૈવેયક, અને પાંચ અનુત્તર વિમાન મળી દેના ૯ ભેદ છે તે પર્યાપ્તા અને અપર્યાપ્તા બે રીતે ગણતાં દેના ૧૯૮ ભેદ છે. શ્રી જીવવિચાર સૂત્રને આધારે સંસારી જીવોનું ભવભ્રમણ પ૬૩ પ્રકારે છે. વિવક્ષા ભેદે ત્રસ અને સ્થાવર, ત્રણ, ચાર-ગતિ, પાંચ જાતિ, છ-કાય આદિને અનુલક્ષી સંસારમાં જીવનું બ્રમણ બે-ત્રણ-ચાર-પાંચ અને છ પ્રકારે છે. યોનીઓને આશ્રયી ૮૪ લાખ પ્રકારે છે. એ રીતે વિવક્ષાભેદે અનેક પ્રકારે છે. એ રીતે અનાદિકાળથી જીવનું ભવભ્રમણ ચાલે છે, સંસારમાં પરિભ્રમણ કરતાં જીના ભવિ અને અભવિ બે પ્રકાર છે. આ બે પ્રકાર સિવાય જાતિ-ભવિ નામને જીવનો એક પ્રકાર છે. તે જાતિ-ભવિ જ અવ્યવહાર રાશી છેડીને કદીપણ વ્યવહાર રાશીને પામતાં નથી. અભવિ સાધુવેશ પામે છે પણ સમ્યગ્ગદર્શન પામી શકતાં નથી. તેથી સાધુવેશ પામ્યા છતાં અભવિછો સાધુતા પામી શકતા નથી, તેથી અભાવે જીવો અનંત સંસારી છે. ભવિજીવોની સમકિત પામ્યા પછીની ભવ-સ્થિતિ ઓછી હોવાથી તેના ભવાની ગણતરી થઈ શકે છે. વીશે જિન ભગવંતના ભવ સ્થાનક-૧ શ્રી તીર્થકર ભગવંતના ભવની ગણતરી ભવ ભ્રમણમાં સમકિત પામે તે ભવથી ગણાય છે. શ્રી તીર્થકર ભગવાનના ભવની અગાઉના ત્રીજે ભવે દરેક તીર્થકર ભગવાનના જીવો શ્રી વીસસ્થાનક તપની આરાધના કરી જિન નામ કર્મ નિકાચીત કરે છે. ભારત અને અરવત ક્ષેત્રમાં ચડતો પડતા કાળ પવતે છે. તે ક્ષેત્રમાં એક અવસા પણ કાળમાં-૨૪ અને એક ઉત્સર્પિણીકાળમાં ૨૪ તીર્થકર ભગવંતના જન્મ થાય છે અને તે રીતે ૨૪ તીર્થકર ભગવંતે થાય તેટલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004859
Book TitleJinendra Jivan Jyot Darshan
Original Sutra AuthorN/A
AuthorSawai Jadav Shah
PublisherShah Mulchand Vanmalidas and Shah Shantilal Nagardas Mumbai
Publication Year1985
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy