SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યાત દર્શન સૂર્યના વિમાનાની ટૂટી પડવાની દર્શાવાતી ભીતીને નકારી કાઢીછે. શાસ્ત્રકાર ભગવંતા એ ચ`દ્ર-સૂર્યના વિમાના માટે શાશ્વત શબ્દ દાખવીને તે વિમાના ટૂટી પડવાની ભીતીને નકારેલી છે. શાશ્વત વસ્તુઓમાં ઘસારા પડતાં, જે પુદ્ગલ અણુએના સ્કંધા ખૂટે છે. તેજ સમયે ઘસારા પૂરક નવા પુદ્ગલાણુઓના સ્કંધાની વણાઓને તેમાં પ્રવેશ થાય છે તે વિમાના સચિત્ત પૃથ્વીકાય હાવાથી, સદાકાળ એક સરખી નૂતન અવસ્થામાં જ રહે છે તેથીજ શાશ્વત વસ્તુઓની સ્થિતિ શાશ્વત અની રહે છે. એક ચંદ્ર અને એક સૂ હાવાની મર્યાદિત વાત એક મર્યાદિત ક્ષેત્ર માટે સાચી છે. હાલનુ ભુગેાળ જ્ઞાન જે વિશ્વ વિસ્તાર દેખાડે છે તેટલા વિસ્તાર ક્ષેત્ર માટે બીજા ચંદ્ર કે ખીજા સૂર્યની જરૂર નથી. આટલા વિસ્તાર ક્ષેત્રમાં એક ચંદ્ર એક સૂર્ય છે તે વાતને શાસ્ત્રના પણ ટેકા મળે છે. જે ભ્રુગેાળ જ્ઞાન વર્તમાન સમયે અભ્યાસક્રમમાં ચાલુ છે. તેના કરતાં માનવલેાક અનેક ગણા માટે હાવાથી તે માટા વિશ્વમાં અનેક ચદ્ર અને સૂર્ય છે. મનુષ્ય લેાકક્ષેત્ર એટલુ વિશાળ છે કે જેના આકાશ ક્ષેત્રમાં ૧૩૨ ચંદ્ર અને ૧૩૨ સૂર્ય ની પરિભ્રમણકક્ષાઓના સમાવેશ થયેલા છે. એ દરેક પરિભ્રમણ- કક્ષાના ક્ષેત્રોના માપ સાથે મનુષ્ય ક્ષેત્રના ૧૦૧ વિભાગેાના માપ તથા સમસ્ત મનુષ્ય ક્ષેત્રના સળ’ગ વિસ્તારના માપના ચાક્કસ ગણતરીપૂર્વકના પ્રમાણિત આંકા શાસ્ત્રોમાં દર્શાવેલ છે એ. ચાક્કસ આંકડા દર્શાવનાર દાનિકાના ગણિતજ્ઞાન અને ભૂગાળજ્ઞાનના શાંત ચિત્ત વિચાર કરતાં, તે જ્ઞાનીઓના જ્ઞાન પ્રતિ શીર ઝુકી પડે છે. તેઓના વિશાળ ભૂગાળજ્ઞાનની સાથે, વર્તુમાન વિશ્વભૂગાળની મુલવણી કરતાં અત્યારનુ આપણું ભુગેાળ જ્ઞાન એટલુ' અલ્પ જણાય છે કે જે કુપમંડુકના કુપ જેટલું ક્ષેત્ર પણ ગણી શકાય નહી. કારણ કે એક ચંદ્ર-સૂર્યની પરિભ્રમણ કક્ષામાં આવતાં સમગ્ર વિસ્તાર ક્ષેત્રનું પૂરુ ભૂગાળ-જ્ઞાન હાલ આપણી પાસે પ્રાપ્ત હોય એવું જણાતુ' નથી. નવા નવા જે પ્રદેશેા શેાધાય છે તે દરેક પ્રદેશે। આ એક જ ચંદ્રસૂર્યની પરિભ્રમણ કક્ષામાં જ સમાયેલા છે અને હવે પછી પણ જે જે પ્રદેશે શેાધાશે તે પણ આજ પરિભ્રમણ કક્ષાના પ્રદેશ હશે. ૧૩ર ચર ચંદ્ર અને તે ચદ્રોના ગ્રહાદિ ચર પરિવાર તથા ૧૩૨ ચર સૂની જુદી જુદી પરિભ્રમણ કક્ષાના અને પરિભ્રમણ કક્ષાના ક્ષેત્રાના જેમાં સમાવેશ થાય છે તેવા વિશાળ મનુષ્યલેાકના સમગ્ર વિસ્તાર શાસ્ત્રકાર ભગવતાએ ૪૫ લાખ ચેાજન દર્શાવેલ છે. મેરૂ પર્વતની સમશ્રુતળા પૃથ્વીથી ૯૦૦ યાજન ઉંચાઈ સુધીના આકાશ ક્ષેત્રમાં ચર જ્યાતિષી ઢવેાના વિમાનેા રહેલા છે. તેમાં તારાઓના વિમાના ૭૯૦ ચેાજન, સૂ` વિમાન ૮૦૦ ૨ાજને, ચંદ્ર વિમાન ૮૮૦ ચેાજને, નક્ષત્રાના વિમાના ૮૮૪ યેાજને અને ગ્રહેાના વિમાના ૮૮૮થી ૯૦૦ યેાજને સમભુતલા પૃથ્વીથી ઊંચા ઊધ્વ આકાશ ક્ષેત્રમાં રહેલા છે. તે દરેકના ભ્રમણ મા, ભ્રમણ માગના વિસ્તાર, તીવ્ર મંદ ગતિ ગાળ—લ ખગેાળ-સીધી કે વક્રગતિ, અને ભ્રમણ કાળના સમયની ગણતરીના પાકા હિસાબે વિગેરે દરેક વિગતા અને આંકડાએ શાસ્ત્રોમાં ચાક્કસ રીતે દર્શાવેલા છે. પત, પૃથ્વી અને વિમાન આદિ શાશ્વત પદાર્થોના માપેા શાસ્ત્રમાં પ્રમાણાંગુલ યેાજનથી દર્શાવેલા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004859
Book TitleJinendra Jivan Jyot Darshan
Original Sutra AuthorN/A
AuthorSawai Jadav Shah
PublisherShah Mulchand Vanmalidas and Shah Shantilal Nagardas Mumbai
Publication Year1985
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy