SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ ; શ્રી જિનેન્દ્ર જીવન જીત દર્શન દરેક શ્વેત વસ્તુઓ પીળી જ દેખાય છે. તેમ ગ્રંથિ ભેદ પામ્યા વીનાના આત્માને શ્રત દ્વારા મળતું માર્ગદર્શન માર્ગ રૂપે પરિણમતું નથી કારણ કે તેના દર્શનમાં છવાયેલા મિથ્યાત્વના રંગના આવરણે વસ્તુ તવની તતા (શ્રેષ્ઠતા) નીરખવામાં અંતરાયરૂપ બને છે. આત્મધર્મની પ્રાપ્તિ દર્શન ગુણ પ્રાપ્ત થયા પછીથી જ પ્રાપ્ત થાય છે. દર્શન પ્રાપ્ત થતાં, અંતર લોચન ખૂલે છે. બાહ્ય ભાવમાં રાચતા જીવને અંતરદષ્ટિ ખુલતાં સમ્યગૂશ્રુત સમ્યગૂ રીતે પરિણમે છે. દર્શન અને જ્ઞાન સમ્યગૂ રીતે પરિણમતાં જીવને દેશવિરતી કે સવ વિરતી સામાયિકની પ્રાપ્તિ તેના સમ્યગ્ર પ્રકારના વીય–બળ મુજબ પ્રાપ્ત થાય છે. ગ્રંથી ભેદ થતાં પ્રથમ સમ્યગ્ર દર્શન ( સમકિત)ની પ્રાપ્તિ થાય છે. સન્ દર્શનથી સમ્યગૂશ્રત સમ્યગપણે પરિણમે છે. સમગ્ર દર્શન અને સભ્યશ્રત પ્રાપ્ત થતાં તે દ્વારા સમગૂ ચારિત્ર પ્રાપ્ત થાય છે. એટલે કે દેશવિરતિ કે સર્વવિરતિ સામાયિકની પ્રાપ્તિ થાય છે. સમકિત સામાયિક દર્શન છે. શ્રત સામાયિક જ્ઞાન છે. દેશ વિરતિ કે સર્વવિરતિ સામાયિક તે ક્રિયા (ચારીત્ર) છે. દર્શન હોય ત્યાં જ્ઞાન ચારિત્રની ભજના કહી છે. દર્શન અને જ્ઞાન હોય ત્યાં ચારિત્રની ભજન કહી છે. એટલે સમકિત સામાયિક એ દરેક સામાયિકનો મૂળ આધાર છે. માટે જ્યાં ચારિત્ર હોય ત્યાં દર્શન જ્ઞાન હોય જ અને જ્યાં જ્ઞાન હોય ત્યાં દર્શન હોય જ. એટલે સમકિત સામાયિક એ દરેક સામાયિકોને મૂળ આધાર છે. અન્ય સામાયિક ધર્મ પરિબળોને તાળ સમકિત સામાયિકથી જ મળે છે. પ્રતિક્રમણ. સ્થાનક–૧૩૩. (૧) દેવસિક (૨) રાત્રિક (૩) પાક્ષિક (૪) ચતુર્માસિક અને (૫) સાંવત્સરિક એ પાંચ પ્રકારના પ્રતિક્રમણ ભગવંતે કહેલા છે. શ્રી ઋષભદેવ અને શ્રી મહાવીર તીર્થ પાંચે પ્રતિકમણ હોય છે શેષ ૨૨ જિન તીર્થે દેવસિક અને રાત્રિક બે પ્રતિક્રમણે હોય છે. દિવસે–રાત્રે-પક્ષે ચારમાસે અને વરસ દહાડે કરવાના પ્રતિક્રમણની પ્રથા પ્રહરીઓના ઘંટનાદ પ્રમાણે ઘડીએ ઘડીએ આત્માને જાગૃત રાખે છે. પડિ સિધ્ધાણે કરણે કિલ્ચાણમકરણે પડિક્કમણું, અસદુદહણે આ તહા વિવરિય પર્વણા એ. , (૪૮ વંદિતા સૂત્ર) પ્રતિક્રમણપાછા ફરવું. ચિર-કાલીર આહાર, ભય, મિથુન અને–પરિગ્રહાદિ સંજ્ઞાબળે જીવ આક્રમણ ખેર બની, મૂળ વ્રતની મર્યાદાનું ઉલ્લંઘન કરી, સંરક્ષણરૂપ વ્રતની નિયમાંકિત રેખાથી બહાર ચાલ્યો જાય છે. તે નિયમ રેખાની હદ ચૂકીને આગળ વધી નિયમ બહારની ધરતીમાં ઘૂમતા જીવને ત્યાંથી પાછા ફરી નિયમ-મર્યાદાની ભૂમિકામાં દાખલ થવું તે પ્રતિક્રમણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004859
Book TitleJinendra Jivan Jyot Darshan
Original Sutra AuthorN/A
AuthorSawai Jadav Shah
PublisherShah Mulchand Vanmalidas and Shah Shantilal Nagardas Mumbai
Publication Year1985
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy