SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન સ્થવિર કલ્પી સાધુને ઉપર જણાવેલા બાર ઉપકરણે ઉપરાંત એક માત્રક પાત્ર અને એક ચલ પટ્ટક (કટિપટક) એ-બે વધારે ગણતાં ૧૪ ઉપકરણ હોય છે. સાવીના ૨૫ ઉપકરણે સાધુઓના બતાવેલ ચદ ઉપકરણમાંથી એલપટક સિવાયના તેર ઉપકરણે અને સાથીદેહને ઉચિત બીજા અગિયાર વસ્ત્રો અને એક કમઢકપાત્ર જે તુંબડાનું હોય છે તે મળી સાધ્વીએના પચીશ ઉપકરણે જાણવા ચારિત્રસંખ્યા અને તત્ત્વસંખ્યા સ્થાનક-૧૩૦-૧૩૧ (૧) સામાયિક (૨) છેદપસ્થાપન (૩) પરિહાર વિશુધ્ધિ (૪) સુમ–સંપરાય (૫) યથાખ્યાત ચારિત્ર. આ પાંચે ચારિત્રો પ્રથમ અને છેલ્લા જિનના સાધુને હોય છેશેષ બાવીશ જિનના સાધુઓને (૧) સામાયિક (૨) સુકમ સં૫રાય અને (૩) યથાખ્યાત ચારિત્ર એ ત્રણ ચારિત્ર હોય છે. જીવ-અજીવ-આદિ નવ તો, સદેવ, સદગુરુ અને સદ્દધર્મ એ તત્વત્રિયી, તેમજ સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્ર આદિ તાવિક બાબતનું તત્વ પ્રવર્તન દરેક તીર્થકર ભગવંતના સમયે સરખી રીતે જ પ્રવર્તે છે. તેમાં કશો ફેરફાર પડતો નથી. નવ-તત્વ (૧) જીવ (૨) અજીવ (૩) પુન્ય (8) પાપ (૫) આશ્રવ (૬) બંધ (૭) સંવર (૮) નિજેરા (૯) મોક્ષ. આનવ તત્વ સબંધી તત્ત્વજ્ઞાન સર્વ તીર્થંકર દવેના સમયમાં પ્રવર્તતું હોય છે અને એ નવે તો જગતમાં સદાકાળ પ્રર્વતતા પ્રવર્તમાન તો છે. જીવે તે જીવ, જડ અજીવ છે શુભ અશુભફળ પુન્ય પાપ છે, આશ્રવ દ્વારા કર્મો આવે અટકે સંવર બળે...જીન9. સબંધ કર્મનો આમપ્રદેશે બંધનરૂપ તે બંધ તત્ત્વ છે નાશ નિર્જરા કરે કર્મનો, મુક્ત દશા તો મળે જનજી તારાથી દુઃખ ટળે (તત્વવિચાર સ્તવનાવાળી) જગતમાં મુખ્ય જીવ અને અજીવ એ બે તો છે (દ્રવ્યો છે) દ્રવે દ્રવતિeતે તે પર્યામાં પરિગમે તે દ્રશ્ય કહેવાય છે. તરૂપ તે તત્ત્વ, જેના કાયમિક અસ્તિત્વથી જગતનું અસ્તિત્વ છે. દર્શનજ્ઞાન ચારીત્ર તપ, વીર્ય અને ઉપગ તે જવના લક્ષણ છે. એક જીવતત્ત્વ ચેતના લક્ષણ યુક્ત તત્ત્વ છે. અજીવ તત્વના મુખ્ય પાંચ પ્રકારો છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશા. સ્તિકાય પુદગ્લાસ્તિકાય અને કાળ એ પાંચે અજીવ દ્રવ્યોના લક્ષણો જુદા હોવા છતાં સર્વ જડ તત્વ છે. જડત્વ એ પ્રત્યેક જીવનું સમાન લક્ષણ છે. અજીવના પુદગલા સ્તિકાયના પ્રકાર કાર્પણ વગણાના સમહો રહેલા છે. જે રૂપી અને જડ છે. તે શુભ અને અશુભ કામણવર્ગણના વર્ગ સમૂહનું જે આમપ્રદેશોમાં આગમન તે આશ્રવ તત્વ છે. આત્મપ્રદેશ પ્રત્યે શુભ કાર્મણ વર્ગણુઓનું આગમન તે શુભ આશ્રવ છે અને આમ પ્રદોશ પ્રત્યે અશુભ કર્મ વર્ગણુઓનું આગમન તે અશુભ આશ્રવ છે શુભ અને અશુભ કર્મ—વગણના શુભ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004859
Book TitleJinendra Jivan Jyot Darshan
Original Sutra AuthorN/A
AuthorSawai Jadav Shah
PublisherShah Mulchand Vanmalidas and Shah Shantilal Nagardas Mumbai
Publication Year1985
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy