SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન તે રીતે પ્રગટ કરવાની વચનબળની રચનાત્મક અને પ્રેરક વિશિષ્ટતા શ્રી અરિહંત ભગવતેના જ વચન બળમાં હોય છે. જે વિશિષ્ટતા જિન-નામકર્મ ને જ અનુબંધિત વચનાતિશય બળને પ્રકાર છે. તેમાં કાંઈ ચમત્કાર નથી કે જરા પણ અતિશયોકિત નથી. તે સહજ અને સ્વાભાવિક રીતે જ બને છે. શ્રી જિન મુખ દ્વારા બોલાતી ભાષા શ્રોતાઓને પોતપોતાની ભાષા પ્રમાણે પરિણમે છે. તે ભાષા વર્ગણના પુદ્ગલોની પરિણમન શકિત છે. અને તે પરિણમન શકિતનું રહસ્ય સર્વ-સર્વજ્ઞ ભગવંતે સમજે છે. પણ તેને ઉપગ ફક્ત અરિહંત ભગવંત જ તેને તે રીતની દૈહિક વચન-બળ શકિત પ્રાપ્ત હોવાથી કરી શકે છે. જે શકિતને દર્શન પરિભાષામાં વચનાતિશય કહેવાય છે. સમવસરણના મર્યાદિત-ક્ષેત્રમાં ક્રોડેની સંખ્યામાં આવેલા દે, મનુષ્ય અને તિય નિરાબાધ રીતે સમાઈ શકે છે. તે પાથીવપણુના પરિવર્તનના જ્ઞાન દ્વારા અને પરિવર્તન શકિતના પરિણામ રૂપ, પદલિક કાર્યો પરિણામ છે. ભગવાનની દેહિક અને પૂર્વબદ્ધ પુન્ય શકિતને એ નિર્દેશ છે જે સહજ અને સ્વાભાવિક છે. પાથીવતાના પરિણમન અને પરિવર્તન પર સત્તા ભગવતું પુન્ય બળ શ્રી અરિહંત ભગવંતે ને જ પ્રાપ્ત થાય છે. દર્શન-પરિભાષામાં તે પુન્ય બળને અક્ષણ મહાલય અતિશય કહેવાય છે. અરિહંત ભગવંતેનું સમવસરણ-અતિશયે કે વાણુના સમગ્ર ગુણે કેાઈ ચમત્કાર રૂપ નથી તેમજ કવચિત્ નીપજતાં અચ્છેરા પણ નથી. તે તે એક ને એક—બે જેવી નિર્વિવાદિત સત્ય હકિકત છે. શાસ્ત્રોના અલ્પ અભ્યાસથી ગુરૂગમના અભાવથી કે બુદ્ધિ મંદતાથી જિન-અતિશયાદિ રૂ૫ જિન-સમૃદ્ધિ કદાચ સમજી શકાય નહીં તેમ બને પણ ન સમજાય તેવી બાબતોને શાંત ચિત્તે વિચાર કરી સમજવા પ્રયત્ન કરે. જાણકાર પાસે સમજવા માટે મહેનત કરવી. પૂરી કેશિષ કર્યા છતાંય ન સમજાય તે તે બાબત જે રીતે જે શબ્દમાં જ્યાં છે તે રીતે ત્યાં રહેવા દેવી, મારી મચડીને મતિકલ્પનાને અનુરૂપ વિકૃત કરવી નહીં. તેમજ સમજી નહીં શકવાથી આ બેઠું છે, માનવા યોગ્ય નથી, તેવા ઘમંડમાં ફસાવું નહીં તેમજ તે બાબતને ચમત્કારનું રૂપ આપી વિકૃત બનાવવી નહીં. આઠ-પ્રાતિહાય સ્થાનક-૯ આઠ પ્રાતિહાર્યનું વર્ણન અરિહંત ભગવંતના ૧૨ ગુણના વર્ણનમાં આપેલ છે. તીથી ઉત્પતિ – સ્થાનક-૧૦૦ શ્રી ઋષભદેવથી શ્રી પ્રાર્થનાથ સુધી તેવીશ તીર્થકરેને પ્રથમ સમવસરણે પ્રથમ દેશના સમયે તીર્થની ઉત્પત્તિ થઈ છે. શ્રી મહાવીર-સ્વામીને બીજા સમવસરણમાં દેશના આપતા તીર્થ ઉત્પત્તિ થઈ છે. સાધુ-સાધ્વી શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘ-ગણધર અને દવાદશાંગી-શ્રત, ઉપચુત સંધ-ગણધર અને દ્વાદશાંગીની સ્થાપના તે તીર્થ ઉત્પત્તિ કહેવાય છે શ્રી મહાવીર ભગવાનની પ્રથમ દેશના સમયે કોઈ પણ મનુષ્યને વિરતીધર્મના પરિણામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004859
Book TitleJinendra Jivan Jyot Darshan
Original Sutra AuthorN/A
AuthorSawai Jadav Shah
PublisherShah Mulchand Vanmalidas and Shah Shantilal Nagardas Mumbai
Publication Year1985
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy