SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનેન્દ્ર જીવન જીત દર્શન : ૯૫ ચેત્રીસ અતિશય સ્થાનક-૯૭ ચઉતિસ અઈ સય જુઆ અઠું મહા પાડિહેર કય સહા, તિસ્થયરી ગય મહા ઝાએ અવા પયત્તણું. ( તિજ્યપહુરંગા-૧૦) દરેક તીર્થકર ભગવંતે ચોત્રીશ અતિશયોથી અલંકૃત હોય છે. અતિશય એટલે વર્ણન કરાતા ગુણની ચરમ-સીમા, વધારેમાં વધારે પ્રમાણ જન્મથી હાનારા ચાર અતિશય (૧) અનંતરૂપ અને બળયુક્ત શરીર. મલ પ્રવેદ-રોગ અને દુર્ગધથી રહિત સુગંધથી ભરપૂર શરીર અને અનંતરૂપયુક્ત સર્વશ્રેષ્ઠ સમચતુસ્ત્ર સંસ્થાન અને સર્વ શ્રેષ્ઠ વા રૂષભનારાચ સંઘયણના ધારક અસીમ રૂપવાન અને મહા બળવાન શરીરવાળા. (૨) ઉજજવ લેહી અને માંસ - દુર્ગધ હિત અને સુગંધ સહિત સફેદ ક્ષીર સમાન લેહ અને માંસ યુક્ત શરીર, (૩) અગેચર આહાર – નિહાર. ભગવાનના આહાર અને નિહાર ચર્મચક્ષુથી અગોચર હોય છે. (૪) સુગંધી શ્વાસોશ્વાસ – ઉત્તમ કમળ પુરુષની સુવાસ જેવો સુગંધિ શ્વાસોશ્વાસ. માનવ માત્રના દેહ મળની પેદાશ અને મળના સંગ્રહ સ્થાન જેવા હોય છે ઢરેક માનવ દેહના લોહી અને માંસ લાલ હોય છે અને દરેક માનવ દેહની આહાર નિહાર પ્રવૃત્તિ દ્રષ્ટિગોચર હાય છે. સામાન્ય રીતે માનવ દેહ અશુચીના આલય રૂપ છે. દેહની અંદરની અશુચીને સ્પશીન વહન થતે શ્વાસે શ્વાસ દુર્ગધથી ભરપૂર હોય છે. દરેક માનવ દેહની રચના એ રીતે મળ આશ્રિત હાય છે. પણ માનવ સમુદાયના મહામાનવ શ્રી તીર્થકર ભગવંતના, તીર્થંકર નામ કર્મના મહાપુન્યાદયે ઉપરના ચાર આતશયો પ્રભુના ગભબંધારણથી જ અલોકિક પણ હોય છે. માતાની કુક્ષીમાં પ્રવેશથી જ ઉપરના ચારે મૂળ અતિશયોની હેતુભૂત પુન્ય પ્રકર્તા ઉદયમાં પ્રવર્તતી હોય છે જેથી શુદ્ધ અને પવિત્ર અણુઓથી શુચીતર ગર્ભનું બંધારણ બંધાય છે. શુચીતર ગમે-બંધારણ દ્વારા ઉ૫ન્ન થયેલ જન-દેહમાં મી-પ્રવેદ- દુધ કે શીરીનો પ્રાદુર્ભાવ બનતા નથી કારણું કે કારણોના ઉત્પાદક અણુઓનો તે દેહ બંધારણમાં અભાવ હોય છે. તે લોહી અને માંસ, સુગંધિત શ્વાસોશ્વાસ અને અગોચર આહાર નિહાર એ પણ ગર્ભકાળથી દેહ બંધારણ સાથેની જ દેહની ની પજ છે જે પૂર્વે નિકાચિત જન-નામ કર્મના મહા પુન્યોદયની બક્ષીસ છે. - આ ચારે અતિશયની પુન્ય પ્રકૃતિનો ઉદય પ્રભુ જન્મ થતાં જ તદ્દરૂપે પ્રત્યક્ષ રીતે જાણી દેખી શકાતે હોવાથી આચાર અતિશયોને જન્માતિશય કે મૂળાતિશય કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004859
Book TitleJinendra Jivan Jyot Darshan
Original Sutra AuthorN/A
AuthorSawai Jadav Shah
PublisherShah Mulchand Vanmalidas and Shah Shantilal Nagardas Mumbai
Publication Year1985
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy