SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૯૩ ને જાભિકા નગરની બહાર અને શેષ ૨૧ ભગવંતને પિતાના જન્મસ્થાન નગરમાં કેવળજ્ઞાન થએલ છે. શ્રી રૂષભદેવને શકટમુખ ઉદ્યાનમાં અને શ્રી મહાવીર સ્વામીને જુ વાલુકા–નદીને કિનારે અને શેષ ૨૨ ભગવંતોને દીક્ષા સ્થળ-ઉદ્યાનમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે. કેવળ જ્ઞાન વૃક્ષ અને વૃક્ષ પ્રમાણ સ્થાનક ૯૨-૯૩ ચોવીશે ભગવના જ્ઞાન વૃક્ષના નામે અનુક્રમે (૧) વટવૃક્ષ (૨) સપ્તપર્ણ (૩) શાલવૃક્ષ (૪) પ્રિયાલ (૫) પ્રિયંગુ (૬) છત્રાભ (૭) શરિષ (૮) નાગવૃક્ષ (૯) મહિલ (૧૦) પિલંખુ (૧૧) તિંદુક (૧૨) પાડલ (૧૩) જંબુ (૧૪) અશ્વસ્થ (૧૫) દધિપણું (૧૬) નંદી (૧૭) તિલક (૧૮) આમ્ર (૧૯) અશોક (૨૦) ચંપક (૨૧) બકુલ (૨) વેતસ (૨૩) ધાતકી (૨૪) શાલવૃક્ષ અર્થ- પ્રિયંગુ-રાયણ (૬) છત્રાભ-છત્રાકાર વૃક્ષ (૮) નાગવૃક્ષ-નાગકેસર (૧૪) અશ્વરથ પીંપળે (૨૩) ધાતકી ઘાવડી. જ્ઞાન-વૃક્ષ એટલે જે વૃક્ષની નીચે ભગવાનને કેવળજ્ઞાન થાય છે તે વૃક્ષે ભગવાનના શરીરથી બાર ગુણુ ઊંચા હોય છે. ચૈત્ય વૃક્ષ એટલે અશોક વૃક્ષ જે સમવસરણમાં હોય છે તે વૃક્ષે પણ ભગવાનના દેહમાનથી ૧૨ ગુણ ઊંચા હોય છે, પરંતુ મહાવીર સ્વામીનું જ્ઞાન વૃક્ષ અગિયાર ધનુષ પ્રમાણુથી વિશેષ છે. મહાવીર દેવના સમવસરણમાં શાલિવૃક્ષ સહિત અશોકવૃક્ષની ઉંચાઈ ૩૨ ધનુષ્ય હતી. દરેક ભગવંતોના સમવસરણમાં દેવકૃત અશોક વૃક્ષ ઉપર દેવો શ્રી જિન ભગવંતેને જે વૃક્ષ તળે કેવય પ્રાપ્ત થએલ હોય છે તે જ્ઞાન વૃક્ષ સ્થાપિત કરે છે. દરેક ભગવાનના દેહમાનથી જ્ઞાન-વૃક્ષ અને અશોક વૃક્ષ બારગુણ હોય છે. પણ શ્રી મહાવીર સ્વામીનું શાલ-વૃક્ષ ૩૨ ધનુષ ઊંચુ હેઈસમ વસરણના દેવકૃત અશોક વૃક્ષ કરતાં અગિયાર ધનુષ વિશેષ હતું. જ્ઞાન-વૃક્ષ તે વૃક્ષ છે અને અશોક વૃક્ષ પ્રાતિહાર્ય હાઈ દેવ રચના છે. દેવાધિદેવ ભગવાન મહાવીર નામના પુસ્તકના પરિશિષ્ટ ૧રમાં અશોક-વૃક્ષ અને જ્ઞાનવૃક્ષ બંને એકજ જણવ્યા છે. તેમાં જ જણાવે છે કે – શ્રી રૂષભદેવ આદિ તીર્થકર ભગવંતને જે વૃક્ષ નીચે કેવળજ્ઞાન થાય છે તેજ વૃક્ષ તેઓનો અશોક વૃક્ષ કહેવાય છે. શ્રી રૂષભાદિના અશોકવૃક્ષે આ રીતે હતાં. (૧) વાધ (૨) સવર્ણ (૩) શાલ (૪) સરલ (૫), પ્રિયંગુ (૬) પ્રિયંગુ (૭) શિરિષ (૮) નાગ (૯) અક્ષ (૧૦) ધૂલી (૧૧) પલાશ (૧૨) તે (૧૩) તિલક (૧૪) પીપળ (૧૫) દધિપણું (૧૬) નંદી (૧૭) તિલક (૧૮) આઝ (૧૯) કંસ (૨૦) ચપ૪ (૧) બકુલ (૨૨) મેષગ (ર૩) ધવા (૨૪) શાલ” જેમ શાન વૃને જ અશોક વૃક્ષ જણાવેલા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004859
Book TitleJinendra Jivan Jyot Darshan
Original Sutra AuthorN/A
AuthorSawai Jadav Shah
PublisherShah Mulchand Vanmalidas and Shah Shantilal Nagardas Mumbai
Publication Year1985
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy