SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનેન્દ્ર જીવન જયેત દર્શન : ૮૭ નાથ જિને વપ્રગાવનમાં, શ્રી મુનિસુવ્રત સ્વામીએ નિલગુહાવનમાં, શ્રી પાર્શ્વનાથ ભગવાને આશ્રમ પદ વનમાં અને શ્રી મહાવીર સ્વામીએ સાત ખંડ વનમાં અને શેષ ૧૮ ભગવતેએ સહસાગ્ર વનમાં દીક્ષા લીધી છે, વીશે ભગવંતેએ અશોક વૃક્ષ નીચે દીક્ષા લીધી છે. કપૂર કાવ્ય કલોલ ભાગ પાંચમાં દિક્ષા-વૃક્ષના નામે જ્ઞાન વૃક્ષ પ્રમાણે દાખવેલા છે. લોચમૃષ્ટિ વ્રત-વેળા-અને વ્રતજ્ઞાન સ્થાનક ૬૦-૭૦-૭૧ શ્રી આદીશ્વર ભગવાને ચતુર્મષ્ટિ અને શેષ ૨૩ ભગવંતે એ પંચ મુષ્ટિ લેચ કરેલ છે. લેચ એટલે કઈ પણ વાળવપનના સાધનોના ઉપયોગ વિના ફક્ત હાથ દ્વારા વાળ ખેંચી કાઢવા તેને લેચ કર્યો કહેવાય છે. શ્રી આદિશ્વર ભગવાનને ચતુર્મુષ્ટિ લોચ થતાં, ઈન્દ્ર મહારાજે વિનંતી કરવાથી, એક મુષ્ટિ બાકી રહેલ વાળ રહેવા દીધા હતાં. શ્રી સુમતિનાથ, શ્રી શ્રેયાંસનાથ, શ્રી મલ્લિનાથ, શ્રી નેમિનાથ અને શ્રી પાર્શ્વનાથની વ્રતવેળા દિવસનો પૂર્વ ભાગ, પૂર્વાન્હ કાળ છે અને શેષ ૧૯ ભગવંતની વ્રતવેળા દિવસનો પાછળને ભાગ અપરાન્ત કાળ છે. સવ ભગવંતે જન્મથી જ ત્રણ જ્ઞાન સહિત હોય છે. વ્રતવેળા સર્વ ભગવંતેને ચેથે મનઃ પર્યવ જ્ઞાન પ્રાપ્ત થાય છે. દેવદુષ્ય અને દેવદુષ્ય સ્થિતી સ્થાનક ૭૨-૭૩ દેવદુષ્ય-દિવ્ય-વસ્ત્ર ઈ આપેલ દિવ્ય વ સર્વ ભગવંતેને દીક્ષા સમયે, સૌધર્મેદ્ર ભગવાનના સ્કંધ ઉપર દેવ-દુષ્યનું સ્થાપન કરે છે. દેવો દ્વારા અપાતું તે દેવદુષ્યતે સમયે લાખ સુવર્ણ મુદ્રા કિંમતનું હોય છે. શ્રી મહાવીર સ્વામીના દેવદુષ્યની સ્થિતિ તેર માસની છે. શેષ ૨૩ ભગવંતોને, મોક્ષે ગયા ત્યાં સુધી દેવદુષ્ય રહેલું હોવાથી તેની સ્થિતિ તે પ્રમાણે નિર્વાણ કાળ સુધીની છે. શ્રી મહાવીર સ્વામી પાસે સોમ નામના વિષે દાનની માગણી કરવાથી અરધું દેવદુષ્ય ફાડીને આપ્યું હતું અને બાકી રહેલું અરધું વસ્ત્ર ઔધેથી સરકી ગયું હતું. આગમ સાર સંગ્રહમાં જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિના આધારે “આદી વીરને દેવદુષ્ય કાંઈ વધુ તેર માસ” લખેલ છે. પારણા દ્રવ્ય અને સમય સ્થાનક ૭૪-૭૫ શ્રી ઋષભદેવ ભગવાનના વ્રત-તપનું પારણું ઈક્ષરસ (શેરડીના રસથી) અને શેષ તેવીશ તતપ પારણા પરમાન (ક્ષીર ) થી થયાં છે. શ્રી ઋષભદેવ ભગવાનને પારાનું વ્રત લીધા પછી એક વરસ પછી થયું હતું અને શેષ ૨૩ ભગવંતોને તપનું પારણું બીજે દિવસે થયું હતું. શ્રી આદિશ્વર ભગવાનને દક્ષાતપ છ તપ હોવા છતાં કર્મગે થયેલ ૪૦૦ દિવસના ચાવિહાર ઉપવાસતપનું પારણુ ૧૩ માસ અને ૧૧મે દિવસે થએલ છે. કારણ કે યુગલિક કાળ પછીના ધર્મ-યુગની શરૂઆતના તે પ્રથમ સાધુ હતાં. સાધુઓના દીક્ષા-આચરોથી તે કાળના લોકો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004859
Book TitleJinendra Jivan Jyot Darshan
Original Sutra AuthorN/A
AuthorSawai Jadav Shah
PublisherShah Mulchand Vanmalidas and Shah Shantilal Nagardas Mumbai
Publication Year1985
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy