SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ : શ્રી જિનેન્દ્ર જીવન જીત દર્શન ૧,૨૫,૦૦૦૦૦ (૧૯) અવિવાહિત (૨૦) ૧૧ (૨૧) – (૨૨) અવિવાહીત(૨૩)-(૨૪) એકપુત્રી (શ્રી રવીન્દ્રસાગર મહારાજની નોટ ઉપરથી ) ક્રમાંક ૨-૧૩-૨૧ અને ૨૩માં ભગવાનને પુત્ર પરિવાર મળેલ નથી. લોકાંતિક દેવો સ્થાનક-૫૭ પાંચમાં બ્રહ્મદેવલોકના રિઝ નામના ત્રિજા પ્રતર પાથડામાં આઠ કૃષ્ણરાજી છે. કૃષ્ણરાજી એટલે શાશ્વત પરમાણુઓની ભીંત આકારે રહેલી પંકિતઓ જેની લાંબી પરિધિરૂપ આયામ અસંખ્ય યોજન છે અને પહોળાઈમાં સંખ્યાત જન છે. તે કૃષ્ણરાજીની આઠ દશાને આઠ આંતરામાં અને એક કૃષ્ણરાજીની મંધ્યમાં એમ લોકાંતિક દેના નવ વિમાનો છે જેમાં લોકતિક દે વસે છે, જે દેવો સાત કે આઠ ભવે મોક્ષે જનારા હોય છે. જેઓની આયુ-સ્થિતિ આઠ સાગરોપમની હોય છે. લેકાંતિક દેવના વિમાને છે દિશા, નામ અને સંખ્યા કૃષ્ણરાજીની – ૧ ઈશાનકેણમાં અર્ચિષ નામના વિમાનમાં સારસ્વત નામના લેકાંતિક દેવો ૭૦૦ની સંખ્યામાં છે. ૨ પૂર્વ દિશામાં અર્ચિષમાળી નામના વિમાનમાં આદિત્ય નામના લેકાંતિક દે ૭૦૦ની સંખ્યામાં છે. ૩ અગ્નિકોણમાં વિરોચન નામના વિમાનમાં વન્તિ નામના લેકાંતિક ૧૪૦૦ની સંખ્યામાં છે. ૪ દક્ષિણ દિશામાં પ્રભંકર નામના વિમાનમાં વરૂણ નામના લોકાંતિકદેવો ૧૪૦૦૦ની સંખ્યામાં છે. ૫ નિત્ય કેણમાં ચંદ્રાભ નામના વિમાનમાં ગાય નામના લેકાંતિક ૭૦૦૦ની સંખ્યામાં છે. ૬ પશ્ચિમ દિશામાં સૂર્યાભ નામના વિમાનમાં તુષિત નામના લેકાંતિકદે ૭૦૦૦ની સંખ્યામાં છે. ૭ વાયવ્યકોણમાં શુકાભ નામના વિમાનમાં અવ્યાબાધ નામના લોકાંતિકદેવો ૯૦૦૦ની સંખ્યામાં છે. ૮ ઉત્તરદિશામાં સુપ્રતિષ્ટ નામના વિમાનમાં આગ્નેય નામના લોકાંતિકદેવો ૯૦૦૦ની સંખ્યામાં છે. ૯ મધ્ય ભાગમાં રિષભ નામના વિમાનમાં રિઝા નામના લોકાંતિકદેવો ૯૦૦૦ની સખ્યામાં છે. આ વિમાનવાસી લોકાંતિક દેવ શ્રી તીર્થકર ભગવંતને દીક્ષા સમય આવેલો જાણી, શ્રી જિન ભગવંત જે ક્ષેત્રમાં હોય ત્યાં આવી પ્રભુને પ્રણામ કરીને હે ભગવંત તીર્થ પ્રવર્તા, એમ કર જેડીને વિનંતી કરે છે. આ દેવેનો તે આચાર છે. જે દેવો પોતાના પરા-પૂર્વ આચારનું ચુસ્તપણે પાલન કરે છે. કારણ કે તે આચારનું મહત્વ લોકાંતિક દેવો બરાબર સમજે છે. જગદાધાર જિન ભગવંતના અતિ મહિમાવંત દર્શનને માટે તે દેવો તલસતા હોય છે. વ્રત સમય પ્રસંગે-તીર્થ પ્રવર્તાવાની પ્રાર્થના કરે છે. શ્રી જિન-ભગવંત પણ અવધિજ્ઞાનથી દિક્ષા-સમય નજીક આવેલો જાણી, મહા પરિત્યાગના શરૂઆતના પ્રથમ સોપાન–ત્યાગ ભાવની પુષ્ટિ માટે, ધનના ત્યાગરૂપ વાષિક દાન દેવાની શરૂઆત કરે છે. સાંવત્સરિ-દાન સ્થાનક ૫૮ ત્રિભુવન તિલક સર્વ જિન-ભગવંત પ્રભાતના પ્રથમ પ્રહરે પ્રતિદીન એક કોડ આઠ લાખ સુવર્ણના દાન દ્વારા જગતના દારિદ્રને દૂર કરે છે. વરસ દરમિયાન ૩૮૮ કોડ અને ૮૦ લાખ સુર્વણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004859
Book TitleJinendra Jivan Jyot Darshan
Original Sutra AuthorN/A
AuthorSawai Jadav Shah
PublisherShah Mulchand Vanmalidas and Shah Shantilal Nagardas Mumbai
Publication Year1985
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy