SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬: શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન નેત્ર દ્વારા ત્રીકાળે ઢળતી અંતરના ઢાળે – ૩ ચિતરંજન એ મુતી નાચે નેત્રોમાં, અંતરમાં, નેત્રોને અંતર નાચે છે ચિત રંજન મુતી માં મોટો મુતીનો મહિમા અને અંતર દગની સીમા – ૪ આત્મ જાગૃતિના ગરવ મુતી મેળે ગાજે, આનંદ મન-મયૂર નાચતો પગતળ દેખી લાજે; ચરણ - સવાઈ કાળાશે લાજે ભક્તિ આવાસે – ૫ મક્કમ બીડેલા એને સ્થિર આંખની દષ્ટિ, આશુઅણુ ઉછળતી દેખી સ્વાધિનતાની સૃષ્ટિ પુષ્ટાલંબન એ પ્રતિમા સમજાવે છે રવાધિનતા – ૧ અખંડ આઝાદીના દર્શને એની આંખે કીધાં, સ્વતંત્રતાના ઓજસ મુખપર નયન ભરીને પીધાં; અંતર લોચન ઉઘડતાં ખત વાંચ્યા ગુલામીન – ૨ જડતાની પરવશ જંજીરે માનેલી આઝાદી, પરસત્તાની શેષણ-પીડા સમજેલો આબાદી; સમજણ ભુલેલો સાદી ઘેલો જડ પુદગલ વાદી – ૩ વીર પ્રતિમાના દર્શનથી દિલની સૃષ્ટિ દેખી, દર્પણરૂપ બની દિલની સ્પષ્ટ દશા આલેખી; પ્રિયા બની હૃદય-પ્રતિમા સુઝાડી સ્વદેશ સીમા – ૪ ઉંચા આસક્તિના વસે પંચ વિષય પટ્ટાને, સ્વદેશમાં ઝંડો ફરકે છે પરદેશી સત્તાને ઝેરી રજકણને ઝરતો શોષણ નિતિ સાચવતે – ૫ અંતરપુરના પાય તખ્ત પર તિમિર-પટ પંજો છે, હદ છોડોના સવાઈ સૂત્રે આત્મનાદ શું છે; પ્રતિમાના દર્શન માત્રે દુશ્મન બિસ્તરને બાંધે – ૬ (શ્રી તત્ત્વ વિચાર સ્તવનાવાળી) શાશ્વત જિન-પ્રસાદ અને શાશ્વત જિન પ્રતિમા પ્રભુ નામથી અંકીત અને પ્રતિષ્ઠિત પ્રભુ પ્રતિમા પ્રભુ સમાન છે. શાશ્વત કે અશાશ્વત ગમે તે પ્રકારની જિન-પ્રતિમ દર્શનીય, વંદનીય અને ઉપાસનીય છે. અશાશ્વત જિન પ્રતિમાની ગણતરી સદાકાળની હોઈ શકે નહીં, એટલે અહીં શાશ્વત પ્રતિમાઓ અને શાશ્વત પ્રાસાદનું સંખ્યા વર્ણન શ્રી જીવવિજયજી મહારાજે જે સકળતીર્થ સૂત્રમાં કહેલ છે, તેને આધારે તે સંખ્યા વર્ણન અહીં રજુ કરેલ છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004859
Book TitleJinendra Jivan Jyot Darshan
Original Sutra AuthorN/A
AuthorSawai Jadav Shah
PublisherShah Mulchand Vanmalidas and Shah Shantilal Nagardas Mumbai
Publication Year1985
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy