________________
સાહેબને પૂછેલા પ્રશ્નોના જવાબો હિન્દી ભાષામાં–અમૂલ્યગ્રંથ “સમર્થ સમાધાન” નામના ત્રણ પુસ્તકો છપાઈ બહાર પડેલ છે, તે ત્રણેય ભાગનું ગુજરાતી ભાષામાં અવતરણ કરી સુરતમાં આ સુંદર પુસ્તક પ્રગટ કરવા આ સંસ્થા ભાગ્યશાળી બનેલ છે. આ પુસ્તક અરધી કિંમતે સંસ્થાની પ્રથા મુજબ વેચવામાં આવશે. પૂછેલા પ્રશ્નોના જવાબો બે, ત્રણ નીચે લખી જણાવવા રજા લઈએ છીએ કે જેથી વાચક વર્ગને જાણ થાય કે આ પુરતક ખરેખર જ્ઞાન પ્રદાન સુંદર અને સરળ રીતે આપે છે.
પ્રશ્ન –સુખ શું છે ? ભૌતિક સમૃદ્ધિને સુખ માનવું ? જવાબ સાચું સુખ તે જ કે જે કદી નાશ ન પામતાં શાશ્વત રહે. ભૌતિક સુખ
અંતે દુઃખદાયક હોય છે અને નાશવંત હોય છે. તેથી તે વાસ્તવિક રીતે
સાચું સુખ નથી, સાચું સુખ આધ્યાત્મિક સુખમાં જ છે. આ પુસ્તકમાં પ્રશ્નો અને જવાબ વાંચનાર સમાજને ધ્યાનમાં આવે કે આ પુસ્તકમાં ધાર્મિકજ્ઞાન સરળ રીતે આપી, વાંચક વર્ગને સમજાતાં અપાર આનંદ થશે અને પ્રભુની આગમ વાણની ભવ્ય પ્રસાદી મળશે.
આ પુસ્તકમાં છાપતા રહી ગએલી ભૂલે તથા અન્ય ક્ષતિઓ હોય તે અમારા ધ્યાન ઉપર મુકવા અમારી નમ્ર વિનંતી છે.
આ પુસ્તકની ગુજરાતી અનુવાદ કરેલી ફાઈલે આ જ સંસ્થાના માનદ સભ્ય, ધાર્મિક અભ્યાસી ભાઈ શ્રી પ્રેમચંદભાઈ વનેચંદભાઈ પારેખે પિતાના અમૂલ્ય સમયને ભેગ આપીને તપાસી આપી છે, જે બદલ સંરથા તેમની અણી છે. તેમ જ હિન્દી ભાષામાં પ્રથમ આવૃત્તિ ત્રણ ભાગમાં જેમણે બહાર પાડેલ છે, તેઓ ખરેખર ધન્યવાદને પાત્ર છે. અમદાવાદમાં આ પુસ્તક છપાવી આપવાના મંગલકાર્યમાં શ્રી સ્થા. જૈન પત્રના તંત્રી શ્રી જીવણભાઈ તથા નગરશેઠના વંડામાં સ્થા. જૈન સંઘના આગેવાનોએ સક્રિય સહકાર આપેલ છે તે બદલ તેમના પણ અમે આભારી છીએ.... રાજકોટ તા. ૧-૧૦-૧૯૮૦
લી. સંચાલકો શ્રી કાંતિલાલ ખીમચંદ મહેતા ) શ્રી નગીનદાસ રામજીભાઈ વીરાણી-પ્રમુખ
શ્રી મોહનલાલ કસ્તુરચંદ શાહ-ઉપપ્રમુખ શ્રી ભુપતલાલ વૃજલાલ મહેતા
શ્રી નરભેરામ પાનાચંદ મહેતા ઉપપ્રમુખ શ્રી ચંપકલાલ છોટાલાલ મહેતા ) શ્રી મગનલાલ પોપટલાલ કામદાર-ઉપ પ્રમુખ
માનમંત્રીએ - શ્રી શા.વે. વિરાણુ સ્થા. જૈન ધાર્મિક શિક્ષણ સંઘ-રાજકોટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org