SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ભ ત્રીજો ૧૭, પ્રાયશ્ચિતના સ્થાને માં તે પ્રસંગને એગ્ય એવું પ્રાયશ્ચિત આપવામાં આવે છે. અનિવાર્ય સ્થિતિમાં ચિકિત્સાને અર્થે નર્સને સંઘઠ્ઠો થયે હોય તે તેને લઘુચીમાસી પ્રાયશ્ચિતમાં સમાવેશ કરવાનું આવે. પાછળના પ્રશ્નમાં ફરમાવ્યું છે તે તે બરાબર પરંતુ ચિકિત્સા ન કરાવતાં માત્ર હાથની નાડી જ દેખાતી હોય તો તેનું પ્રાયશ્ચિત શું આવે? તેને ઉત્તર પ્રશ્ન ૨૦૫૪ પ્રમાણે પ્રશ્ન ૨૦૧૬-ભિન્ન માસના હિસાબે લઘુ ચોમાસના ૧૦૫ ઉપવાસ ફરમાવે છે ત્યાં પણ પાંચ દિવસ વધે છે. લઘુચૌમારપીમાં ૧૦૮ ઉપવાસ હેવાં જોઈએ તે ૧૦૫ ઉપવાસ માનવામાં કઈ અપેક્ષા છે? ઉત્તર-ભિન્નમાસિક પ્રાયશ્ચિત તે જોવામાં આવ્યું છે. પરંતુ ચૌમાસી, છમાસીનું, ભિન્ન ચોમાસી, ભિન્ન છ માસી જોવામાં આવ્યું નથી. લઘુ ચૌમાસી, ગુરૂ માસી, લઘુ છમાસી, ગુરૂ છમાસી એ ભેદ જોવામાં આવે છે. ભિન્ન માસિકમાં ૨૫ તથા લઘુમાસિકમાં ૨૭ા દિવસ ગણવામાં આવે છે. પરંતુ આ હિસાબ ચૌમાસી-છ માસ માં બતાવ્યા નથી. લઘુચીમાસી ૧૦૫, ગુરૂ ચૌમાસી ૧૨૦, લધુ છ માસી ૧૬૫ તથા ગુરૂ છમાસી ૧૨૦ દિવસનું હોય છે. પ્રશ્ન ૨૦૫૭-ઇલેકટ્રીકને સંબંધ તેમજ આતુરતાથી ભગવેલા આધાકર્મને માટે ૧૨૦ ઉપવાસનું ગુરૂચાતુર્માસિક પ્રાયશ્ચિત બતાવ્યું, તે શું, સ્ત્રી સંગઠ્ઠનથી પણ ઇલેકટ્રિક સંબંધ વધારે તિરસ્કૃત છે? પછી તે નદી, નાળા ઉતરનારને પણ ગુરૂ ચાતુર્માસિક પ્રાયશ્ચિત આપવું જોઈએ. જ્ઞાનપૂર્વક વનસ્પતિને અડવાથી ઉપવાસ, તથા સમુછિમ માટે છડુનું પ્રાયશ્ચિત આપવામાં આવે છે, તે પછી એકસ-રે તથા ચશ્મા દેખાડવામાં લાગેલ ઇલેકટ્રિક સંબંધનું ગુરૂચાતુર્માસિક કેમ આપવામાં આવે છે? તે સાથે જ એવો પ્રશ્ન પણ ઉઠે છે, કે આતુરદશામાં ભગવેલા આધાકર્મનું પ્રાયશ્ચિત ગુરૂ ચાતુર્માસિક છે. તે પ્રમાદ તથા ઉપેક્ષાની દશામાં શું થશે? અનાગવશ આધાકમ ભેગવ્યા બાદ ખબર પડવાથી જે અઠ્ઠમનું પ્રાયશ્ચિત આપવામાં આવે છે. આ અઠ્ઠમ ગુરૂ ચાતુર્માસિક રૂપ છે કે પછી છ માસિક રૂપ છે? ચાતુર્માસિક પ્રતિક્રમણમાં છઠ્ઠનું પ્રાયશ્ચિત કયા કારણે આપવામાં આવે છે? જેઓ ઉપવાસ પણ કરી શકતાં નથી, તેઓ ચૌમાસી પ્રાયશ્ચિત કઈ રીતે ઉતારે? શાતરના સ્પર્શ સાથે તેના આહાર સાથે તાત્પર્ય હતું, શરીર સાથે ન હતું. સાધુએ ગૃહસ્થનો સ્પર્શ જ ન કરે એવું શાસ્ત્રીય પ્રમાણ છે? અથવા પરંપરાથી જ અતિ પરિચયના બચાવ માટે ધારણુગત વ્યવહાર છે ? ઉત્તર-ઓપરેશનમાં ઈલેકટ્રિક સંબંધ, પાણી ગરમ કરવું, શને દેવા, શેક કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004858
Book TitleSamarth Samadhan Part 3
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy