SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ત્રીજો ૨૫ પ્રશ્ન ૧૮૭૭-તે પછી ભવનપતિઓની જેમ વાણુન્યતરાના પણ ઠ દંડક હોવા જોઈતા હતા? ઉત્તર-જો કે વાણવ્યંતરના આઠ ભેદ છે, છતાં પણ તેમાં ખાસ અંતર નથી. તેમના માટે જુદા જુદા પ્રકારના વસ્ત્રાદિ બતાવ્યા નથી. કારણ કે તેમના માટે વિચિત્ત વથ્થાભરણે’ પાઠ આવે છે, તેમનાં વ` પણ જુઠ્ઠા જુદા બતાવ્યા છે, નિવાસ સ્થાન પણ ૮૦૦ ચેાજનના સમુચ્ચય બતાવ્યા છે, તેથી જુદા જુદા દંડક બતાવ્યા નથી. પ્રશ્ન ૧૮૭૮-વૈમાનિકમાં એક જ વ્રુક કેમ કહ્યો છે? ઉત્તર–સાત નરકની જેમ દેવબ્લેકના ક્ષેત્ર પશુ સંલગ્ન ( જોડાયેલા ) તથા પરસ્પર વિશિષ્ટ પ્રકારનું અંતર ન હોવાથી સામાન્યરૂપે એક જ દંડકનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પ્રશ્ન ૧૮૭૦૯– ડંકના ભેદ કેમ કરવામાં આવ્યા છે ? ઉત્તર-જીવાના સ્વરૂપની ગતિ, જાતિ,ભેદ સમૂહની અપેક્ષા સમજાવનારી વાકય પદ્ધતિને કડક કહે છે. ભવ્ય જીવાને જુદી જુદી રીતે સમજાવવા માટે ૨૪ દંડક માનવામાં આવેલ છે, જે ભવનપતિના દસ દંડક ન કરત તે તેમનામાં રહેલી વિવિધતા સરલતાથી સમજી શકાય નહિ જ્યાં વધારે વિભિન્નતા દેખી નહિ ત્યાં એક દડક ખતાન્યે. કયાંક સરળતાથી સમજાવવા માટે નક આદિના ભેદને પણ ભિન્ન ગણવામાં આવ્યા છે. જેમકે ગમ્મામાં ૪૪ (જીવાને રહેવાના સ્થાન વિશેષ) ઘર કહ્યાં છે. પ્રશ્ન ૧૮૮૦-સાધુના દર્શન જ મ`ગલરૂપ છે, તેથી માંગલિકની આવશ્યક્તા નથી. શું આવા શબ્દના પ્રયાગ સાધુ કરી શકે છે ? ઉત્તર-સાધુને આમ કહેવું ઉચિત નથી, કારણકે તેમનમાં નિશ્ચય સાધુપણું છે કે નથી તે તેઓ નથી જાણતા તથા સાધુને મંગલ ખતાવીને આત્મ-પ્રશસા કરે છે તથા આવી રીતે તે જોખમ ઉઠાવે છે. બીજી વાત મુનિ દનનું ફળ શ્રવણ બતાવ્યું છે તેથી વધારે સમય ન હોય તે ૫ત્ માંગલિક તા સંભળાવવી જ જોઈ એ તથા એટલા પશુ સમય ન હેાય તે “ યા પાળા ” તે કહેવું જ જોઈ એ 27 પ્રશ્ન ૧૮૮૧-પરદેશ જતી વખતે અથવા પાપકાય માં કઈ માંગલિક સાંભળવા માગે તે સભળાવવી જોઈએ કે નહિ? તેનાથી અનુમાદન તા થતું નથી ? ઉત્તર-જે વ્યક્તિ પાપકમ કરવા અથવા પરદેશ જતાં પણ માંગલિક સાંભળવા આવે છે, તેનામાં ધર્મ શ્રદ્ધા હશેજ તથા ધર્મોને ગ્રાહ્ય તથા આદરણીય પશુ માનતી હશે. તેથી માંગલિક અવશ્ય સભળાવવી જોઇએ. આમાં અનુમેદનને તે પ્રશ્ન જ રહેતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004858
Book TitleSamarth Samadhan Part 3
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy