SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ ] સમર્થ–સમાધાન અપચ્ચખાણું ચેથા ગુણસ્થાનવતી જ કેમ કહ્યા? શું મૂળ ગુણાનો અભાવ જ આ કથનનું કારણ નથી? ઉત્તર :–મૂળ–ગુણ સિવાય કેવળ ઉત્તરગુણ વાળાને લીધા વગર, આ અલ્પ બહત્વ બરાબર ઘટિત થતો નથી. કેમકે –“મૂત્ર ગુપચવવાળી' ને પાઠ હોવાથી મૂળગુણ પ્રત્યાખ્યાનમાં બધા મૂળગુણિઓનો સમાવેશ છે, અર્થાત્ ઉત્તર સહિત મૂળવાળા પણ અલગ રહી શકતા નથી, અને તેમજ ઉત્તરગુણીમાં બધા (મૂળ સહિત તથા કેવળ) ઉત્તરગુણી સમજવા જોઈએ. ઉત્તરગુણમાં મૂળ સહિત ઉત્તરગુણી જ લેવાથી મૂળગુણીથી ઉત્તરગુણ ઓછા થાય છે. એથી મૂળ વગર પણ કેવળ ઉત્તરગુણી હોવાનું માનવાથી ઉત્તરગુણી અસંખ્યાતા થઈ શકે છે, તથા આચાર્ય અભયદેવે આ જ પાઠની ટીકામાં શ્રાવકને મૂળ વગર પણ ઉત્તરગુણ હેવાને સ્પષ્ટ નિર્દેશ કર્યો છે. પિયાવચ્ચ, દાનાદિ કરવા છતાં પણ દેશવિરતિના ભાવ અને દેશવિરતિને ગ્રહણ કર્યા વગર પાંચમા ગુણસ્થાનવત કહી શક્તા નથી. એથી શ્રેણિક, કૃષ્ણજી વિષે પણ આ જ સમજવું જોઈએ. પ્રશ્ન ૯૮૬ –પ્રાચીન આચાર્યોના વિચાર અનુસારેવતી શ્રાવક થવાની પહેલાં સમ્યક્ત્વી થવું આવશ્યક છે અને સમ્યકત્વી થતાં પહેલા માર્ગોનુસારીના ૩૫ ગુણે અનુસારે ન્યાય-સંપન્નતા, પાપ–ભરૂતા, અગહિત કાર્ય પ્રવૃત્તિ, દીર્વાદશિતા, ધર્માર્થ કામ સાધન વગેરે ગુણોનું હોવું આવશ્યક માનેલ છે. એવી દશામાં હજારે મજૂરનું પણ કરવા વાળા મિલમાલિક કે બ્લેક-માકિટ આદિ અન્યાય પૂર્ણ સાધનોથી ધન કમાવવાવાળા વેપારી, શું એક વનસ્પતિનો ત્યાગ કરી દેવા માત્રથી વતી શ્રાવકની કેટિમાં ગણુઈ શકે છે ? વર્તમાન યુગના એક સમ્યફર્વધારી, વધ કરનાર, શેષક, અન્યાયી વ્યાપારી, અથવા લાંચ લેનારના ક્રર હૃદયમાં શું અર્થ દંડ વિરમણ વ્રત અથવા સામાયિક વ્રત પ્રતિ નિષ્ઠા રહી શકે છે? શું આપ તેને કેવળ સામા યિક આદિ ક્રિયાઓ કરી લેવાથી પાંચમા ગુણસ્થાનવતી શ્રાવક માની લેશો ? ઉત્તર:–સમકિત પ્રાપ્તિ પહેલાં માર્ગાનુસારીના ગુણ અનિવાર્ય રૂપે હવા, એકાંત રૂપે કેમ માની શકાય ? આમાં તે અનર્થદંડ ન કરે, શુદ્ધ શ્રદ્ધા રાખવી, આદિ બેલ પણ છે, તો તે સમ્યક્ત્વ પ્રાપ્તિ પહેલા અનર્થદંડ છો, કેવી રીતે ગણી શકાશે ? તથા શુદ્ધ શ્રદ્ધાને જ સમતિ કહે છે, તો તે સમકિત પ્રાપ્તિના પૂર્વે કેવી રીતે સમજી શકાશે? દઢ પ્રહારી, ચિલાયતી ચોર વગેરેને સમક્તિ પ્રાપ્તિની પૂર્વે માર્ગાનુસારીના ગુણ યુક્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy