SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ ] સમર્થ–સમાધાન કરે છે? વાસ્તવમાં વાત આરાધક-વિરોધકની નહિ, પરંતુ શાસન સંબંધી આસાને પ્રશ્ન છે. બીજી તરફ પ્રભુ મહાવીરના શાસનને નિવાસી શ્રી સીમંધર સ્વામીની આજ્ઞા પ્રાપ્ત કેમ કરી શકે ? કેમકે શાસન પરિવર્તન સાથે કાળ પરિવર્તન પણ થાય છે, ભારતની સંધ્યા ત્યાંની પ્રાતઃ (ઉષા) છે. સમાધાન –એકાંત આવી વાત નથી કે પાર્શ્વનાથ પ્રભુના શિષ્યને મહાવીરની આજ્ઞામાં આવ્યા વગર કેવળજ્ઞાન થતું નથી. તેને તેને સંગ મળે તે તે કષાયવશ અલગ રહેતા નથી, જે રહી જાય તે કેવળજ્ઞાન થતું નથી. જે સહજ સ્વાભાવિક દૂરી આદિના કારણે મળી ન શકે; તે અલગ રહેવા છતાં પણ કેવળજ્ઞાન પ્રાપ્ત થવામાં કોઈ વાંધો નથી. કાળપરિવર્તન હોય તે પણ પ્રતિકમણની આજ્ઞા લેવામાં કોઈ વાંધો નથી આવી શકતો. જેમ ભરત ક્ષેત્રને સાધુ આહાર-વિહાર, રાઈસી–દેવની પ્રતિક્રમણ આદિને હિસાબ અહિંના દિવસ–રાત્રિને ધ્યાનમાં રાખીને કરે છે. આ જ સાધુને જો કોઈ દેવ સંહરણ કરીને મહાવિદેહમાં લઈ જાય, તે તે જ સાધુ ત્યાં મહાવિદેહના દિવસ-રાતના હિસાબે આહાર-વિહાર, રાયસી–દેવની પ્રતિકમણ આદિ કરશે ત્યાં તે સાધુ અહિંની આજ્ઞા લેશે, તે કાળ પરિવર્તન થશે જ, અન્યથા ત્યાનાં શાસન વાળાની આજ્ઞા લેવી પડશે. એથી ઉપરોકત કથનથી સ્પષ્ટ થાય છે કે સીમંધર સ્વામીજીની આજ્ઞા લઈ લે તે કોઈ આપત્તિ જેવી વાત નથી. (કોઈ વાંધો નથી.) પ્રશ્ન ૯૨૮ :–૭ લાખ પૃથ્વી આદિ જે ૮૪ લાખ છવાયેનિ છે, તેમાં ના ભેદ આદિ કેટલા-કેટલા લાખ હેય છે? તેની પૂરી સંખ્યા કેટલી છે? ઉત્તર:-સંજ્ઞા અને કષીય બધામાં ચાર–ચાર હોવાથી સર્વત્ર ૪-૪ ગુણા કરવાથી ૩ કરોડ ૩૬ લાખ જ સંજ્ઞા અને એટલા જ કષાયના બેલોની સંખ્યા થશે. સાકાર અને અનાકાર, બે ઉપગ તથા સહિયા અને અમેટિયા એ, બે મરણુ બધામાં હોવાથી ૧ કરોડ ૬૮ લાખ સમજવા. લંગડાં (પાંગળા)એકેન્દ્રિય છે. એથી બાવન લાખ સમજવા, પ્રશ્ન ૯૨૯ –આલુ, ડુંગળી, લસણને અનંત જીવોનો પિંડ કહ્યો છે. એક આમાં કેટલા જીવ છે, તે એક જીવની પાછળ ત્રણ-ત્રણ શરીર અલગ-અલગ માનવા કે બધા જીનું એક જ શરીર માનવું ? ઉત્તર :–સાધારણ વનસ્પતિના અનંત જીવો મળીને એક દારિક શરીર બાંધે છે. એવા અસંખ્ય ઔદારીક શરીર મળે ત્યારે બાદર (આલૂ, ડુંગળી, લસણ, કાંદા, આદિ) અનંત કાયને અંશ દ્રષ્ટિગત થઈ શકે છે, (જોઈ શકાય છે.) પરંતુ સૂકમ અનંતસૂમ અનંત કાયના શરીર તે દેખાતા જ નથી અને બાદર અનંતકાય ( આ આદિ) ને જે નાનામાં નાનો ટુકડો દેખાય છે, તેમાં અસંખ્ય ઔદારીક શરીર અને પ્રત્યેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy