SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજો [ ૪ બતાવી છે. જ્ઞાતાધર્મ-કથાંગમાં વાસુદેવને ૩૨ હજાર “સ્ત્રીએ” બતાવેલ છે, તથા અંતકૃતદશા અને પ્રશ્ન વ્યાકરણમાં ૧૬ હજાર દેવી બતાવી છે. અહિંયા વાસુદેવને ૧૬ હજાર સ્ત્રિઓ મોટા રાજાઓની કન્યાની અપેક્ષાએ બતાવીને શેષ ૧૬ હજાર નાના રાજાઓની કન્યાને ન ગણી હોય, અથવા દેવી રૂપ સ્ત્રિઓ ૧૬ હજાર અને શેષ ૧૬ હજાર સાધારણ સ્ત્રિઓ ગણી હોય એવો સંભવ છે. પ્રશ્ન ૯૨૪–આદ્ર કુમાર જિન-પ્રતિમા જોઈને બધી–બીજ પામ્યા એવું એક સ્થળે જોયું છે. આ કયાં સુધી સાચું છે? - ઉત્તર –આદ્રકુમાર ને જિન-પ્રતિમાની વાત કથામાં છે, એથી પ્રામાણિક નથી. પ્રશ્ન ૨૫ –નવકારસી, રાતના ૧૨ વાગ્યાથી સૂર્ય ઉદય સુધી પાળવા વાળાને હોય છે, કે સૂર્ય ઉદયથી ૪૮ મિનિટ સુધી પાળવા વાળાને હોય છે? ઉત્તર :–ચોવિહાર કરવાવાળા, અધિરાતથી સવાર સુધી ચેવિહાર કરવાવાળા અને ચેવિહાર ન કરવાવાળા આ બધા નવકારસી કરી શકે છે. સૂર્યોદયથી એક મુહર્ત દિવસ આવવા સુધીના વિચારે આ પ્રત્યાખ્યાન કરાય છે. અથવા બીજે અર્થ નીચે પ્રકારે સાંભ છે. પૂરે કે છેડે ચેવિહાર રાખવાવાળા, સૂર્યોદય પછી એક નવકાર મંત્ર બેલે ત્યાં સુધીના પ્રત્યાખ્યાનના વિચારને પણ “નકારસી” કહેવાય છે. પ્રશ્ન ૯૨૬ –સ્ત્રીના ૧૬ શણગારમાંથી ૬, ૯, ૧૨ ને અર્થ અને ૧૫નો મૂળ પાઠ શું છે? ઉત્તર –ીને ૬ઠે શણગાર “કુંડળ-કાનનું આભૂષણ, નવમે અવાજવાળા- નેપૂર ૧૨ મે, બિંદિની (લલાટાદિ ઉપર) શ્રેણી, અને ૧૫ મે “ ” સમજે. પ્રશ્ન ૨૭: દેવસી અને રાયચી પ્રતિક્રમણ આદિની આજ્ઞા લેતી વખતે ત્યાં કે સાધુ-મુનિરાજ ન હોય, તો શ્રી સીમર સ્વામીની આજ્ઞા લઈ શકે છે કે નહિ? ઉત્તર –પ્રતિકમણની આજ્ઞા, જેનું શાસન હોય તેની લેવી જોઈએ. જે કોઈ શ્રી સીમંધર સ્વામીજીની ભે, તો કોઈ વાંધા જેવી વાત નથી. એક અરિહંતની આજ્ઞાને આરાધક બધા અરિહંતની આજ્ઞાનો આરાધક થાય છે એથી શ્રી સીમંધર સ્વામીની આજ્ઞા પણ લઈ શકે છે. શંકા –એક અરિહંતનો આરાધક બધા અરિહંતને આરાધક થાય છે, પરંતુ બીજે પ્રશ્ન અહિ આ છે કે, પાર્શ્વનાથ પ્રભુના શિષ્ય ભગવાન મહાવીરની આજ્ઞામાં આવ્યા વિના કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે કે નહિ? જે હાં, તે પછી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩ માં અધ્યયનમાં મહામુનિ શ્રી કેશી સ્વામી, પ્રભુ મહાવીરના પાંચ મહાવ્રત કેમ અંગીકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy