SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૭ ભાગ બાજે કરે, ઈત્યાદિ સંકટમાં પણ લેવાનો નિષેધ છે. ઉપરોક્ત શાસ્ત્રીય વિદ્યાનુસાર કોઈ પણ દશામાં આધાકર્માદિ સદોષ આહારાદિ ભેગવવું સિદ્ધ નથી થતું. આ ઉત્તર સંક્ષેપમાં છે (અને વિશેષ ખુલાશે પ્રશ્નના ઉત્તરમાં જે.) પ્રશ્ન ૧૪:-પ્રશ્ન વ્યાકરણ તથા ઉવવાઈ સૂત્રમાં શ્રી તીર્થકર દેવ તથા યુગલિકના આહાર સંબંધે એમ કહ્યું છે કે “જળોવાળાને આને શું અર્થ થાય છે? ઉત્તર:–“Tળે તેને ગુદાશય કંકપક્ષીનાગુ દાશયની જેમ નિલેપ હોય છે. રોથળામ”—તેની જઠરાગ્નિ કબૂતરની જઠરાગ્નિ સમાન આહારને જલદી પચાવવા વાળી હોય છે. એ અર્થ સમજ. પ્રશ્ન ૯૧૫ –કપવૃક્ષ વનસ્પતિ કાયમાં હોય કે પૃથ્વીકાયમાં હોય? ઉત્તર –કલ્પવૃક્ષ વનસ્પતિ-કામાં છે. પ્રશ્ન ૯૧૬–તીર્થકરના જન્મ મહેત્સવમાં દેવતા મૂળ રૂપે આવે છે કે વૈક્રિય રૂપ બનાવીને? જે મૂળ રૂપે આવતા હોય છે, તે જ્યારે ચાર તીર્થકરેના જન્મ થાય છે. ત્યારે મૂળ રૂપે ક્યાં આવે છે? ઉત્તર તીર્થકરના જન્મ મહોત્સવાદિમાં કઈ દેવ મૂળ રૂપે અને કોઈ વિકિયથી, આ રીતે બન્ને પ્રકારે આવી શકે છે, આ રીતે આવે તે પણ તેને ચારેય જગ્યાએ ઉપસ્થિત થવા માટે વૈકિય રૂપ બનાવવું પડે છે. તેના મૂળ તથા વૈક્રિય અને પ્રકારના રૂપ, સુંદર તેમજ સમાન દેખાય છે. એથી ક્યાંક મૂળ અને ક્યાંક વેકિય રૂપ મેકલવા છતાં પણ તે રૂપિમાં ચર્મ–ચક્ષુ દ્વારા ભિન્નતા દેખાતી નથી. પ્રશ્ન ૯૧૭ –અણીયા (અશાળીયા)ની અવગાહના પ્રજ્ઞાપનામાં (પ્રત્યેક જનની કહી છે.) ૧૨ જનની બતાવી છે અને ઉરપરિસર્પ સમુઈિમની ઉત્કૃષ્ટ અવગાહના પ્રત્યેક જનની કહી છે, તે કઈ રીતે મેળ બેસી શકે? ઉત્તરઃ–પ્રાયઃ કરીને તે બેથી લઈને નવ સુધી પ્રત્યેક કહે છે, પરંતુ કયાંક પ્રત્યેકની ઉત્કૃષ્ટ અવગાહના ૯૯ સુધી પણ બતાવેલ છે. આ પ્રત્યેકની અપેક્ષાએ ૧૨ એજનને પણ પ્રત્યેક જન કહી શકાય છે. પ્રશ્ન ૯૧૮ –મિથ્યાત્વને સકામ-નિર્જરા હેાય છે? પ્રશ્નોત્તર મણરત્નમાળા'માં એક જગ્યાએ સકામ-નિર્જરા હેવી લખેલ છે, તે ઠીક છે શું? ઉત્તર:–ભવ્યત્વના પરિપાક તેમજ સમકિત અભિમુખ થતા (અપૂર્વકરણ અને અનિ વૃત્તિકરણના) સમયે જીવને કંઈક ઉજજવલ બનાવવામાં સહાયક થાય, આ વાત અલગ છે, અન્યથા વાસ્તવિક સકામ-નિર્જરા મિથ્યાત્વને થવાનો સંભવ નથી લાગતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy