SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ સમથેન્સમાધાન આમાં એકાંત શિષ્યાદિના હિત માટે જ પ્રવૃત્તિ કરાય છે, છતાં પણ તે દેશના ભાગી ગણાય છે. તેમજ હરણાદિના વિષયમાં વાસ્તવિકતા છુપાવીને અન્યથા બોલવામાં તે સંબંધી માયા-મૃષા હેવાથી દોષના ભાગી કેમ ન મનાય ? એજ રીતે કેઈ સાધુ, કેવળ અન્ય સાધુની સેવા માટે ગયે હોય, તે પણ ગમણાગમણાદિ સંબંધી પ્રાયશ્ચિતને ભાગી બને છે. આમાં એકાંત પરહિત બુદ્ધિની અપેક્ષા હોવા છતાં પણ વિરાધનાની આશંકાથી પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે, તો પછી હરણાદિના માટે જાણીને અસત્ય ભાષણમાં આગમ આજ્ઞા કેમ હોઈ શકે? આ વિચારણીય છે. આ રીતે આગમમાં અનેક સ્થળે ઉપર અસત્ય અને મિશ્ર ભાષણને નિષેધ કરેલ છે. અને આના બોલવા વાળાઓને અસમાધી અને સબલ દેષના ભાગી માનવામાં આવેલ છે. તેને વિભિન્ન પ્રાયશ્ચિતના ભાગી બતાવ્યા છે. અને સંકટના પ્રસંગો ઉપર અસત્ય અને મિશ્ર ભાષીને પણ પ્રાયશ્ચિત કર્યા વગર વિરાધક માનેલ છે, તે પછી કોઈ પણ દશામાં અસત્ય અને મિશ્ર પ્રવેગ શાસ્ત્ર સંમત કેમ માની શકાય? નોટ –ઉત્તર આ પ્રકારે ધ્યાનમાં આવેલ છે. ખાસ જ્ઞાની કહે તે જ પ્રમાણ છે. પ્રશ્ન ૯૧૩ –સૂત્રકૃતાંગમાં “દુભિક્ષકાળમાં ગીતાથ સાધુ અમુચ્છિત પણે આધાકમી આહાર કરે તે બાધા નથી” એવું ટીકાકારનું કહેવું છે, તે આનો ખુલાશો કરો? ઉત્તર :–હા, સૂત્રકૃતાંગના ૨૧ મા અધ્યયનની ટીકામાં આધાકમી વસ્તુ સેવન કરવાની વાત બતાવીને વાવત્ આ જ રીતે બધા અનાચારના વિષયમાં સમજવું એમ બતાવ્યું છે. પરંતુ તે ટીકા આગમના મૂળ પાઠથી મેળ ખાતી નથી પણ વિરૂદ્ધ જાય છે. એથી માન્ય કરવા યોગ્ય નથી. આગમાં આધાકમી આહારને સર્વત્ર નિષેધ જ કર્યો છે, જેમકે–આચારાંગ બી શ્રુતસ્કંધ, ઠાણાંગ, સમવાયાંગ, પ્રશ્ન-વ્યાકરણ, ઉત્તરાધ્યયન, દશવૈકાલિક અધ્યયન ૩, ૬, ૧૦ માં નિષેધ જ બતાવેલ છે. દશાશ્રુત સ્કંધમાં આધાકમ સેવન કરવા વાળાને સબલ દોષ, નિશીથમાં પ્રાયશ્ચિત, અને સૂત્રકૃતાંગના અધ્યયન ૧ ઉ. ૩ ગાથામાં પૂતીકર્મ ભેગવવા વાળાને બે પક્ષનું સેવન કરવા વાળા બતાવ્યા છે, તથા ભગવતી શ. ૧ ઉ. ૯માં આધાકમી ભેગવવા-વાળા કર્મોને નિબિડ કરે છે અને અનાદિ અનંત સંસારમાં ભ્રમણ કરે છે, તેમ બતાવ્યું છે. શ.૫ ૧.૬ માં આધાકર્મ, કીતકૃત વગેરે દેષ યુક્ત આહારાદિ ને મનમાં પણ નિર્દોષ સમજે અને તેની આલોચના ન કરે, તે તેને વિરાધક કહેલ છે અને ટીકાકારે વિપરીત શ્રદ્ધાદિ રૂપ હોવાથી મિથ્યાત્વાદિની પ્રાપ્તિ બતાવેલ છે. શ.૧૮ ઉ.૧૦ આદિમાં અષણિકને અભક્ષ કહેલ છે. આચારાંગ અધ્યયન ૮ ઉ. માં આધાકમદિ અશુદ્ધ આહારાદિ ન લે અને તેથી ગૃહસ્થ ક્રોધીત થઈ સાધુને, મારે, બીજાને કહે કે આને મારે, પીટ, છેદે, બાળ, લુંટ, દબાવે, જીવ રહિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy