SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજો [ ૪૩ ઉપરોકત પ્રમાણે જોતાં જીવ-રક્ષાદિ નિમિત્તે પણ અસત્ય ભાષણ, શાસ્ત્ર-સંગત પ્રતીત નથી થતું, એથી “કાળે વાળ કાળંતિ વણજ્ઞા” પાઠનો અર્થ-જાણવા છતાં પણ “હું જાણું છું”—એમ ન કહે, અર્થાત્ મૌન જ રહે. આ જ અર્થ સંગત છે. એમ કરવા પર જ આ જ અલાવાના શબ્દો (પથિકના પૂછવા પર, તે જીના વિષયમાં કંઈ ન કહે, ન બતાવે–તેના પ્રશ્નને કોઈ પણ પ્રકારે સ્વીકાર ન કરતા થકા, મૌન જ રહે, પરંતુ જાણવા છતાં પણ, જાણું છું, એમ ન કહે. તાત્પર્ય એ છે કે-જાણવા છતાં પણ જાણું છું, એમ ન કહીને મૌન જ રહે) ની સાથે મેળ ઠીક રૂપે બેસે છે. આના સિવાય અહિંયા હજુ ચાર અલાવા આગળ આવ્યા છે. તેમાંથી ત્રીજા અલાવામાં અહિંથી ગામાદિ કેટલા દૂર છે,” અને ચેથામાં “અમુક ગામ કે નગરાદિને કર્યો માર્ગ છે?” આ પ્રશ્ન સંબંધે પણ એજ પાઠ છે. જે ઉપરોક્ત પાઠને બટું બોલવું અર્થ કરાય, તે અહિં જીવ રક્ષા સંબંધી કઈ ખાસ પ્રસંગ નથી, તે અહિયા કયા પ્રસંગને લઈને ખોટું બોલશે ? એથી સાધુનું એ કર્તવ્ય છે કે ગૃહસ્થ સંબંધી એવા પ્રસંગે ઉપર કંઈ ન બોલે, મૌન સાધે, એટલે તે પાઠને “બેટું બોલવું' અર્થ ઘટાવો ઠીક નથી. + (+ તથા ઉદાસીનતાની દષ્ટિથી આ અર્થ પણ ઠીક બેસે છે, જેમકે–વ્યવહારમાં કઈ વાતને જાણવા છતાં પણ તેના સમર્થક ન હોવા પર “હું નથી જાણતો” એવું કહી દે છે. આનું તાત્પર્ય આ થાય છે કે આ વિષયમાં હું કંઈપણ કહેતો નથી. એજ રીતે અહિયાં પણ તે પથિકને કહે કે-હું નથી જાણતા અર્થાત્ અમો સાધુ છીએ. આ વિષયમાં કંઈ નથી કહેતા.). શકા–ઉપરોક્ત પાઠને સીધે અર્થ–“ જાણવા છતાં નથી જાણત” એ હોવા છતાં પણ અહિ ઉપરોક્ત પ્રકારનો બીજો અર્થ કરે સંગત લાગતું નથી, કેમકે અન્યત્ર પણ પ્રસંગવશ અપવાદરૂપે અસત્ય બોલવાની સિદ્ધિ થાય છે. જેમ પ્રજ્ઞાપના પદ ૧૧માં ઉપગ સહિત ચારેય જાતની ભાષા બેલનારને આરાધક બતાવેલ છે. આ ટીકામાં “વજન ૩ રક્ષrટ નિમિત્ત” અર્થાત્ પ્રવચન રક્ષા માટે ખોટું બેલવા છતાં પણ આરાધક જ હોય છે.” તથા સૂત્રકૃતાંગ અધ્યયન ૮ ગાથા ૧૯માં “શારિ મુસંધા અર્થાત માયા સહિત ખોટુ બોલે નહિ. આમાં ટીકાકારનું કથન છે કે પરવંચનાર્થ (બીજાને ઠગવા માટે) માયા સહિત મૃષા ન બોલવું, પરંતુ સંયમ રક્ષાર્થ જોયેલા હરણાદિ પશુ માટે પણ કહી દે કે મેં નથી જોયાં, ઈત્યાદિ બોલવામાં દોષ નથી. આ ઉપરોક્ત પ્રમાણોથી તત્ પ્રસંગે ઉપર ખોટું બોલવું સિદ્ધ થાય છે, તે પછી, “ગાાં વાળો જ્ઞાતિ વાલા” પાઠના અસત્ય બલવા સંબંધી અર્થને અનુપયુક્ત કેમ બતાવાય છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy