SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ સમથ –સમાધાન ૪૦ ] અને જે આધાકર્માદિ દોષ યુક્ત આહારાદિ ગ્રહણ કરવાની સિદ્ધિ માટે ભગવતી અને સૂત્રકૃતાંગના પ્રમાણુ દીધા તે સંગત નથી. કેમકે શ. ૮ ૭. ૬ માં ઘણી નિર્જરા અને અપ્ તર પાપ કર્મ સંબંધી જે વણુંન છે, તે દેવા વાળા (શ્રાવક) ની અપેક્ષાએ છે. એથી એ પાડથી અહિં સદોષ આહાર આદિ જાણી જોઈને લેવું સાબિત નથી થઈ શકતું, કારણ તે લેવા વાળા સંબંધી દ્વેષાદ્રિ વિષયક અહિં` પ્રસ`ગ જ નથી. પ્રસંગ ન હેાવા છતાં પણ ઉપરોક્ત પાઠની ટીકામાં સકારણ, નિષ્કારણુ દશામાં સાધુને દોષ યુક્ત લેવુ અતાવે છે તે મૂળ પાઠથી સ ંગત નથી. તથા ટીકાકાર તા અપ્રાસુકના ( શ. ૫. ૬ માંની અહિં પણુ અનુવૃત્તિ લઈ ને ) સચિત અર્થ લાગૂ કરે છે, અને સૂત્રકૃતાંગના ૨૧ માં અધ્યયનની ટીકામાં આ જ રીતે મા અનાચારોના વિષયમાં લખેલ છે, અર્થાત્ ક્ષુધા પીડિત સીંકટ સમયે કોઈ પણુ અનાચીણુ નું સેવન કરી શકાય છે. આ પ્રકારે ટીકાકારનું બતાવવુ. કયાં સુધી ઠીક છે? કેમકે બૃહત્કલ્પસૂત્રમાં અચેત, અનેષણિક આહાર પાણી આવી જતા તેને વડી દીક્ષા દેવા ચાગ્ય-દીક્ષિત સિવાય અન્ય કોઈને ન દેતા પઢવાના ઉલ્લેખ કર્યાં છે. હજુ પણ શાસ્ત્રકાર કહે છે કે ભૂલથી સચેતપાણી આવી જતા તેને પરડવાનું અને સ્થિતિવશ તેને પાત્રાસહિત પઢવાનુ... આચારાંગના ૧૫ માં અધ્યયનના ર્ ઉ. માં ઉલ્લેખ કરતાં અહિં સુધી બતાવ્યું છે કે પરઠવેલા સચેત પાણી ભીના પાત્રને સ્વાભાવિક રૂપે ન સુકાય ત્યાં સુધી વાપરવા યેાગ્ય માન્યા નથી. આ જ રીતે બૃહત્કલ્પ, દશવૈકાલિક, તથા આચારાંગના અન્ય સ્થળાએ આ બતાળ્યું છે કે અચેત આહારાદિક, સચેત પાણી, અન્ન અને રજકણયુક્ત અજાણતા પ્રાપ્ત થઈ ગયા હોય, તે! નિઃશંક સ્થિતિ ન થાય ત્યાં સુધી તેને કામમાં લેવાના નિષેધ કર્યાં છે. આવું સૂક્ષ્મ નિરૂપણું જ્યાં પ્રાપ્ત છે, ત્યાં સચેતના ભાગની કલ્પના જ માન્ય કેવી રીતે કરી શકાય ? અહિં દેનાર પણ ઘણી જ નિરા અને અલ્પત્તર પાપના પ્રસંગમાં ત્રાસુ “ અનેદિ ” ના નિમ્નાક્ત ( નીચે લખેલ) શાસ્ત્ર સંગત અથ લાગૂ થાય છે. જેમકે બાળકોની ઈચ્છા ન હોવા છતાં દેવું, ઉધાર લાવીને દેવું, બ્રાહ્મણેા માટે બનાવેલ જ્યાં સુધી પુરૂષાન્તર કૃતાદિ ન થયુ' હાય તે દેવું, એમ જ માલાહ દોષ વાળું, ખીજા માટે લઈ ગયેલ હાય તેવું, તેની આજ્ઞા વગર, શય્યાતરના આહારાદિ, ખુદ દાતાએ સ્વીકાર્યાં વગર, ઘણા ઉજ્જિત ધવાળુ, પરાણે અતિમાત્રામાં દીધેલ આહારાદિ, આ પ્રકારને આહાર અહિં અપ્રાપ્સુક, અનેષણિક સમજવા, ત્યારે જ ઘણી નિરાનુ કારણ થાય છે. અન્યથા અપ્રાસુક ( જીવ સહિત) અને અનેષણિક ( પ્રાણીઘાતથી તૈયાર કરેલ આદિ વિશેષ દોષ યુક્ત ) આહાર આદિ દઈને દાતા અલ્પ આયુને અંધક અને સંયમ ઘાતક અને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy