SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજો [ ૩૯ આગમમાં આવા પ્રસંગે ઉપર પણ અનેક સ્થળે ઉપરોક્ત આહારાદિને નિષેધ મળી આવે છે. જેમકે દશવૈકાલિક અધ્યયન ૬ ગાથા ૬ માં બાળકથી વૃદ્ધ સુધીના, સરોગી, નિરંગી વગેરે બધાને મહાવ્રત, પિંડવિશુદ્ધિ વગેરે ૧૮ બોલ અખંડ પાલન કરવાના બતાવ્યા છે. અહિં રેગીના માટે પણ સ્પષ્ટ રૂપે નિષેધ છે. આચારાંગ અધ્યયન ૮ ઉ. ૨ માં આધાકર્માદિ અશુદ્ધ આહારાદિ સાધુ ન લે અને ગૃહસ્થ ક્રોધીત થઈ તેને મારે અથવા બીજાને કહે કે-આને મારે, પાટો, છેદો, બાળે, લૂંટ, દબા, જીવ રહિત કરે વગેરે સંકટ તેના વડે પ્રાપ્ત થાય તે પણ તે સંકટને તે સહન કરે. અને સુધા, તૃષાથી પીડિત થવા છતાં પણ તેવા આહારદિ લે નડુિં. આવી દુસહ્ય આપત્તિ સમયે પણ શાસ્ત્રકારે કોઈ પ્રકારને અપવાદ રાખ્યો નથી, તે પછી સુધા પીડિતાદિ દશામાં આધાકર્માદિનું ગ્રહણ કેમ માન્ય થઈ શકે? બૃહત્કલ્પના ચોથા ઉ. માં અચિત અનેષણિક આહાર પાણી આવી જાય છે જેને છેદો પસ્થાપનીય ચારિત્ર દેવું છે, એ નવ દીક્ષિત સાધુ હોય, તો તેને તે આહાર દેવો અને ન હોય તો પરડી દે, પરંતુ રેગી અને સુધા વગેરેથી પીડિતને તે આહાર દેવાને અપવાદ રાખ્યો નથી. તે પછી ઇચ્છા પૂર્વક ષ યુક્ત આહારાદિ ગ્રહણ કરવાની વાત કેમ માની શકાય ? ભગવતી શ. ૨૫ ઉ. ૭ માં પ્રતિસેવનાના (દેષ લગાવવાના ) દશ પ્રકાર બતાવ્યા છે. તેમાંથી ચે ભેદ “આતુર” અર્થાત્ સુધા-તૃષાની પીડાથી વ્યાકુળ થઈને અને પાંચ ભેદ “આપત્તિ” છે. તેના ચાર ભેદ આ રીતે છે. (૧) દ્રવ્યાપત્તિ-પ્રાશુકાદિ દ્રવ્યની અપ્રાપ્તિ. (૨) ક્ષેત્રાપત્તિ-અટવી (જંગલ) ની પ્રાપ્તિ થવાથી. (૩) કાલાપત્તિ-દુર્ભિક્ષાદિ સમયે. (૪) ભાવાપત્તિ-રેગાદિ પ્રાપ્ત થવા પર. આ કારણે વશ દેષ લગાવે છે. આગમમાં તેને “દોષી” માનેલ છે. જે ક્ષુધાદિ અને રેગાદિમાં સદોષ આહાર વગેરેને અપવાદ હોત, તે અહિ તેને દોષી કેમ બતાવત? ભગવતી શ. ૫ ઉ. ૬ માં આધાકર્મ, કિતકૃત આદિ (ખરીદેલ વગેરે) દેષ યુક્ત આહારાદિને મનમાં પણ નિર્દોષ સમજે, અને તેની આલોચના ન કરે તે તેને વિરાધક કહેલ છે અને ટીકાકારે વિપરીત શ્રદ્ધાદિ રૂપ હોવાથી મિથ્યાત્વ આદિની પ્રાપ્તિ બતાવી છે. અહિં આપત્તિ તથા ગાદિના કારણે લેવામાં નિર્દોષતા ન બતાવતાં બધાના માટે વિરાધના ( મિથ્યાત્વાદિની પ્રાપ્તિ) બતાવી છે. એ રીતે અનેક સ્થળે કારણ દશામાં પણ આધાકમદિને નિષેધ કરવામાં આવેલ છે. એથી કારણ દશામાં પણ લેવું સિદ્ધ નથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy