SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ] સમય –સમાધાન છે કે—પૂતિક ને સેવવા વાલા બે પક્ષ (ગૃહસ્થ અને સાધુ)નું સેવન કરે છે. તાય એ છે કે તે સાધુ ગૃહસ્થ તુલ્ય છે. આ જ સૂત્રના ૧૦મા અધ્યયનની ૧૧મી ગાથામાં આધાકમીની કામના (ઈચ્છા) કરવાની પણ મનાઈ કરેલ છે. તેા પછી તેને ગ્રહણ કરવાની તેા વાત જ કયાં રહી ? ભગવતી શ. ૧ ઉ. ૯ માં આધાકમી ભોગવવા વાળા, કર્માંને નિખિડ કરે છે અને અનાદિ-અનંત સંસારમાં વારંવાર પરિભ્રમણ કરે છે. કેમકે તે આત્મ-ધમ (ચારિત્ર અથવા શ્રુતધ) નું ઉલ્લંધન કરે છે અને તેનું ઉલ્લંઘન કરતા થકો પૃથ્વી આદિની અનુકંપા રહિત બને છે. તે જ પ્રકારે શ. ૧૮ ઉ. ૧૦ વગેરે સ્થળે પણ અનએષણિક આહારને અભક્ષ્ય કહેલ છે. એમ જ પ્રશ્નવ્યાકરણ, ઉત્તરાધ્યયન, દશવૈકાલિક વગેરે સૂત્રમાં અનેક સ્થળે આધાકમી આદિ દોષ યુક્ત આહારાદિના ગ્રહણુ આદિના નિષેધ કર્યાં છે, કડવુ ફળ બતાવેલ છે. પર ંતુ સામાન્ય કે વિશેષ, કોઇ પણ કારણે ગ્રહણ કરવાના ઉલ્લેખ કર્યા નથી. આથી સ્પષ્ટ છે કે આ (આધાકર્માદિનું ગ્રહણુ) શાસ્ત્ર સંમત નથી. છતાં પણ જે આ ગ્રહણ કરે છે, તે દોષ અને પ્રાયશ્ચિતનો ભાગી માનવામાં આવેલ છે. સમવાયાંગ અને દશાશ્રુતસ્કંધમાં અસમાધી અને સખલદોષ તથા નિશીથમાં પ્રાયશ્ચિતનું વર્ણન કરેલ છે. શ‘કા :-ઉપરોક્ત અનેક સ્થળે આધાકર્માદિના એકાન્ત નિષેધ, કડવું ફળ, પ્રાયશ્ચિત્ત વગેરે ખતાવેલ છે. તે તે સાધારણરૂપે ઉત્સર્ગ માની દૃષ્ટિએ પ્રરૂપિત છે, પરંતુ ભગવતી શ. ૮ ૭. ૬માં અપ્રાસુક, અનેષણિક આહાદ્ધિ દેવાવાળા શ્રમણાપાસકને ઘણીજ નિરા અને અલ્પત્તર પાપ, મૂળ પાઠમાં ખતાવેલ છે. આની ટીકામાં પણ નિર્વાહ ન થવા આદિ કારણાથી અપ્રાસાદિ દેવામાં પણ નિરા ખતાવી છે. અને કારણ દશામાં દાતા અને ગ્રાહક બન્ને માટે હિતકર છે એમ કહ્યું છે. આધાકીના વિષયમાં સૂત્રકૃતાંગના ૨૧મા અધ્યયનની ૮મી ૯મી ગાથામાં સૂત્રકાર આ પ્રરૂપિત કરે છે કે—આધાકમ ભોગવવા વાળાને એકાંત રૂપે ક બંધ થાય છે કે નથી થતા એમ ન કહેવુ" જોઈ ચે. ટીકાકાર પણ આનુ જ પ્રતિપાદન કરતા કહે છે કે જે શાસ્ત્રોક્ત રીતિથી આધાકમના ઉપભાગ કરે છે, તેને કમ ખ ંધ થતા નથી. જે તેનું ઉલ્લંઘન કરીને આધાકમના ઉપભોગ કરે છે, તે કર્મ બંધના ભાગી અને છે. પરંતુ ક્ષુધાપીડિત સાધુએ તે દશામાં તેને ઉપભોગ કર્યાં હાય તેા શાસ્ત્રવિરૂદ્ધ નથી. એ જ રીતે બધા અનાચારના વિષયમાં પણ સમજવુ' જોઈ એ. સમાધાન :—શ ́કા ઉઠાવતા ઉપરોક્ત પ્રમાણુ દઈ ને જે આધાકર્માદિ દોષયુક્ત આહારાદિ કારણ દશામાં ગ્રહણ કરવાની સ્થાપના કરેલ છે, તે યુક્તિ યુક્ત નથી. કેમકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy