SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ ] સમર્થ–સમાધાન ઉત્તર –ભગવાન મહાવીરના ગણધરોની ૯ વાંચના થઈ છે. ઠાણાંગ કથિત નામ અન્ય વાંચનાઓના છે, એવું ટીકાકારનું કથન છે. પ્રશ્ન ૮૯૮–નવનિધિ,એકેન્દ્રિય અને પંચેન્દ્રિય રત્ન શાશ્વત છે કે નહિ? ઉત્તર –જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિના અંતે જંબુદ્વીપમાં ૩૦૬ નિધિ તે સદા મળે છે, એમ બતાવ્યું છે. એથી શાશ્વત છે. એકેન્દ્રિય અને પંચેન્દ્રિય રત્નની ઉત્કૃષ્ટ સંખ્યા ૨૧૦ ની બતાવી છે. જો કે સાત-સાતના હિસાબે ૩૦ ચક્રવતીના ૨૧૦ જ થાય છે, એથી અશાશ્વત છે. જે શાશ્વત હોત તો પણ ૩૪ વિજ્યના હિસાબે ૨૩૮ મળત, અને ચક્રવર્તીના સમયે રત્ન ઉત્પન્ન થવા તે બાબત જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં અન્ય સ્થળે બતાવેલ છે. પ્રશ્ન ૮૯ –બીજમાંથી જ્યારે અંકુર ઉત્પન્ન થાય છે, ત્યારે તે બીજનો જીવ જ અંકુર રૂપે પરિણત થાય છે કે મૃત્યુ પામીને તે જ જીવ તેમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર વાવેલા બીજનો જીવ, મૃત્યુ પામ્યા વગર અંકુરિત થતું નથી. મરવા પછી તે જ કે અન્ય જીવ અંકુરમાં ઉત્પન્ન થાય છે. પૂર્વ શરીર છોડયા વગર તેની અવગાહના વધી શકતી નથી. તથા સૂત્ર કૃતાંગને ૧૯મા અધ્યયનના પ્રારંભમાં વનસ્પતિપણે કોઈ એક (બીજવાળે જ મરીને કે અન્ય જીવ ઉત્પન્ન થઈ આહાર લે વગેરે બતાવેલ છે. એથી તે બીજને જીવ તે જ ભવમાં અંકુર રૂપે ઉત્પન્ન થતા નથી. પ્રશ્ન ૯૦૦ – કેટલાકનો આ મત છે કે એક મુનિએ એક જ પાત્ર રાખવાનું શાસ્ત્રમાં વિધાન છે. માત્રક રૂપ માત્ર પણ આચાર્યો પાછળથી રાખવાનું સ્થાપિત કર્યું છે. તે કેમ? ઉત્તર:–આ એક પાત્ર રાખવાનું વિધાન એકાંત બધા મુનિઓ માટે નથી. શામાં જ્યાં એક પાત્ર રાખવાનું વિધાન છે, તે જિન કલપી, પ્રતિમાપારી વગેરે વિશિષ્ટ અભિગ્રહ ધારીઓના માટે છે. સ્થવિર–કપિઓના માટે નહિ. જેમકે- આચારાંગના ૧૫મા અધ્યયનમાં જે એક પાત્ર બતાવ્યું છે, તેને ખુલાસો ટીકાકારે જિન કલ્પી માટે કર્યો છે અને મૂળમાં જે “તળે ગુnā વઢવ અપાવે સિંચળ” આદિ વિશેષણોથી પણ સિદ્ધ છે કે આ વિશેષણ યુક્ત મુનિઓ સિવાયના અન્ય મુનિ અધિક રાખી શકે છે. તથા ઉપરોક્ત જુગવં' શબ્દનો અર્થ ત્રીજા, ચોથા આરામાં જન્મેલ થાય છે. વસ્ત્ર એષણના ૧૪ મા અધ્યયનમાં પણ ઉપરોક્ત વિશેષણવાળા મુનિને એક જ વસ્ત્ર રાખવું બતાવેલ છે અને અન્યત્ર ત્રણ વસ્ત્ર રાખવા પણ બતાવેલ છે. આઠમાં અધ્યયનના ચોથા પાંચમા અને છઠા ઉ. માં એક પાત્ર બતાવ્યું, તે પણ ટીકાકારે જિનકલ્પી આદિ માટે જ કહ્યું છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy