SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજો [૨૯ અહિં હમણાં જે “લેગસ્સ” બેલાય છે, તે ભગવાન મહાવીરનું શાસન સ્થાપિત થતા જ જે બન્યો હતો, તે બેલાય છે. મહાવીરસ્વામીની પહેલા જે સમય સુધી જેટલા જેટલા તીર્થકર થયા હતા, તેટલાં–તેટલાં તીર્થકરોના નામને “લેગસ” બોલાતે હતો. જેમકે વાસુપૂજ્ય તીર્થંકરના શાસનમાં ૧૨ તીર્થંકરના અને શાંતિનાથના સમયે ૧૬ તીર્થકરના નામ બેલાતા હતા એમ સમજવું. પ્રશ્ન ૮૮૪ – મનુષ્યને છેડીને ત્રણ ગતિ કેનામાં મળે છે? ઉત્તર –એકાંત છમી ગતિમાં મનુષ્ય સિવાય ત્રણ ગતિ મળે છે. એકાંત ચારિત્રના અલબ્ધિક અને મન:પર્યવજ્ઞાન અને એકાંત કેવળના અલબ્ધિકમાં પણ ઉપરોક્ત ત્રણગતિ જ મળે છે, ઈત્યાદિ. પ્રશ્ન ૮૮૫ –પૂજ્ય શ્રી અલક–પ્રષિજી મહારાજ દ્વારા સંપાદિત વ્યવહાર સૂત્રમાં ઉ. ૩ પૃ. ૫૫ સૂત્ર ૧૨ માં લખ્યું છે કે-(અ) સાધ્વીએ આચાયિકા, ઉપાધ્યાચિકા અને પ્રવતિની વગર ન રહેવું. (બ) ઉ. ૭ પૃ. ૧૧૫ સૂત્ર ૧૯ માં સાઠવીને આચાર્ય, ઉપાધ્યાય પદ ઉપર સ્થાપિત કરવાનો ઉલ્લેખ છે. જો આ વાત બરાબર છે, તો સાવી પણ આચાર્ય, ઉપાધ્યાય બની શકે છે. તે પછી પરંપરામાં કેઈ સાવીને આચાર્યાદિ પદ કેમ નથી અપાતું? અર્થમાં તે ભૂલ નથી? ઉત્તર –વ્યવહાર સૂત્રને ૫ મા ઉ. આદિમાં સાધીને પ્રવતિની અને ગણાવદકની એવી બે જ પદવીઓ બતાવી છે. પરંતુ આ જ સૂત્રના ઉ. ૩-૪ અને બૃહત્કલ્પના ચેથા ઉ. આદિમાં સાધુની આચાર્યાદિ બધી પદવીઓ બતાવી છે. કષિજી મહારાજે જે અર્થ ઉ. ૩ પૃ. ૫૫ અને ઉ. ૭ પૃ. ૧૧૫ ઉપર કર્યો છે, તે બરાબર નથી. આ પાઠને ભાવાંશ નીચે પ્રમાણે ધ્યાનમાં આવે છે – ઉ. ૩ ને નવ દીક્ષિતા, બાળ અને તરૂણ અવસ્થા વાળી સાધવીઓના સમૂહને આચાર્ય ઉપાધ્યાય અને પ્રવર્તિની વિના ન રહેવું. આ ત્રણેમાંથી જે કોઈ કાળ કરી જાય તો આચાર્ય, અથવા ઉપાધ્યાયના સ્થળે કઈગ્ય સાધુને આચાર્ય, અથવા ઉપાધ્યાય પદ અને પ્રવર્તિનીના સ્થળે કોઈ ગ્ય સાવીને પ્રવતિની બનાવી લેવી જોઈએ. પરંતુ સાધ્વીને આચાર્ય, ઉપાધ્યાય ૫દ ગ્રહણ સંબંધી વર્ણન નથી. ઉ. ૭ ને-૩૦ વર્ષની દીક્ષિત સાધવીએ પણ ૩ વર્ષના દીક્ષિત સાધુને ઉપાધ્યાયપદ અને ૬૦ વર્ષની દીક્ષિત સાધ્વીએ પણ-૫ વર્ષના દીક્ષિત સાધુને આચાર્ય પદ દેવું કપે છે. પરંતુ સાવી આચાર્ય, ઉપાધ્યાય પદ ગ્રહણ કરી શકતી નથી. અર્થાત્ સાધ્વીના માટે આ પદને નિષેધ છે. ભાષ્ય–કારે પણ નિષેધ કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy