SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ સમર્થ–સમાધાન દય, જે પ્રકૃત્તિને જે સમયે હોય, તે સમયે તે પ્રકૃતિને ઉદયની પ્રકૃતિમાં ભેળી કરેલ નથી. આ ઉદય પ્રકૃતિઓને સૂમરૂપે જોતા ખબર પડી જશે. (તીર્થકર નામ કર્મને પ્રદેશદય ચેથાથી બારમા ગુણસ્થાન સુધી માન્ય અને રદય તે કેવળ ૧૩-૧૪ મા ગુણસ્થાનમાં જ) એથી નવમા ગુણસ્થાનના કંઈક ભાગ સુધી જેને રદય રૂપ વેદને ઉદય માને બરાબર લાગે છે. જે પ્રકારે અપ્રમત્ત ગુણસ્થાનમાં હાસ્યાદિ, તથા કોધાદિને વિપાકેદય મંદ, મંદતર મંદતમ રૂપે માનેલ છે, પરંતુ પ્રગટરૂપે તે ખુદ તેને પણ તેની ખબર પડવી મુશ્કેલ છે. આમ જ્ઞાનિઓએ બતાવ્યું છે. તે જ રીતે વેદનું પણ સમજવું જોઈએ. પ્રશ્ન ૮૭૭ –સ્થાનકવાસી મુનિરાજ “દયાપાળો કહે છે. મૂર્તિપૂજક પૂછે છે કે દયા-પાળને શું અર્થ છે? દયાપાળો કહેવું ઉપદેશ રૂપ છે. શ્રાવક, પૌષધમાં પણ મુનિરાજને વંદન કરે છે ત્યારે ય પણું મુનિરાજ દયાપાળે જ કહે છે. પૌષધમાં તે દયાનું પાલન થાય છે જ, તે પછી દયાપાળો કહેવાનો શું અર્થ? ઉત્તર :–સ્થાનકવાસી મુનિરાજ વંદન કર્તાને “દયાપાળે” કહે છે, તેને ઉપદેશાત્મક અર્થ બરાબર જ છે. વ્યવહારિક દૃષ્ટિથી વંદન ને (ધ્યાન, મૌનાદિ સિવાય) પ્રત્યુત્તર દેવા માટે કઈ ને કઈ શબ્દ પ્રયોગ કરે ઉચિત લાગે છે. દયા (અહિંસા) વ્રત, બધા વ્રતનું મૂળ છે. ગૌણ રૂપે બધા જ તેને સમાવેશ આમાં જ થઈ જાય છે. પ્રવૃત્તિકાર્યોમાં સર્વ પ્રથમ સ્થાન આનું જ છે, એથી મુનિરાજ વંદન તને શુભ પ્રવૃત્તિમાં પ્રેરિત કરવા માટે “દયાપાળે” શબ્દ પ્રયોગ કરે છે. અર્થાત્ વંદન કરવું તે તે વંદન છે, પરંતુ પૂર્ણ ઉદ્ધાર હેતું શુદ્ધ પ્રવૃત્તિ કરવી આવશ્યક છે. એથી આ તરફ ધ્યાન આકર્ષિત કરવા માટે સદૈવ “દયા પાળો” શબ્દને વ્યવહાર ઉચિત લાગે છે. પષધમાં પણ કરણ, વેગ અને સમયની અપેક્ષાએ શ્રાવકને સંપૂર્ણ દયા હોતી નથી, એથી તેને પણ સંપૂર્ણ દયાની તરફ લક્ષિત કરવા માટે “દયા પાળો” કહેવું ઉચિત જ લાગે છે. ધર્મલાભ” શબ્દ આશીર્વાદ વાચક છે. અર્થાત્ વંદન કરવાથી તમને લાભ થશે. પરંતુ આ શબ્દ ખાસ અહિંસાદિ ધર્મ કરવાની પ્રવૃત્તિ તરફ પ્રેરિત કરતો નથી. કેવળ વંદન રૂપ વિનય પ્રેરિત છે. એથી અહિંસાદિ પ્રવૃત્તિમાં પ્રેરિત કરવા વાળા શબ્દને ઉપગ વિશેષ ઉચિત લાગે છે. પ્રશ્ન ૮૭૮ –જીવ જે પણ કાર્ય કરે છે, તે અનુસારે પુણ્ય તથા પાપકર્મ બાંધે છે, પરંતુ જીવ જે કાર્ય કરે છે, તેના ફળને નિર્ણય કેણુ કરે છે કે, જેના અનુસાર તે જીવ ત્યાં જ જઈને જન્મ લે છે, અને ફળ ભગવે છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy