SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજો [ ૨૫ આયુ કર્મ આશ્રી બે ભાગ લીધેલ છે-ત્રીજો અને થે. આયુ કર્મ આશ્રી પ્રથમ સમયના મનુષમાં જ્યારે ચોથે ભાંગે હય, ત્યારે તેને ચરમ શરીરી સમજવા. અર્થાત્ પ્રથમ સમયનો નપુંસક મનુષ્ય. ત્યાં જ મોટો થઈને કઈ પણ ગતિનું આયુ બાંધ્યા વિના તે જ ભાવમાં મોક્ષ જશે. આનાથી જન્મ નપુંસકનો મોક્ષ સિદ્ધ છે. ત નપુંસક વાસ્તવિક નપુંસક નથી. આ વાત ઠીક છે પરંતુ સવાલ આ ઉત્પન્ન થાય છે કે નપુંસક સિદ્ધ હતા જ નથી, તે નપુંસક સિદ્ધ બતાવ્યું જ કેમ? બે લિંગવાળા જ સિદ્ધ બતાવ્યા હતા પરંતુ બતાવ્યા છે. ત્રણેય લિંગના સિદ્ધ. અને ઉપરોક્ત પ્રમાણથી જન્મ નપુંસક (પુરૂષરૂપ–નપુંસક, પરંતુ સ્ત્રીરૂપ નપુંસક નહિ) ઠીક લાગે છે. પછી જેમ જ્ઞાની કહે તે જ પ્રમાણ છે. પ્રશ્ન ૮૭૬ –વેદેદય અર્થાત મૈથુનની ભાવના–ઈચ્છા. ઈચ્છા થવા પર જ રદય માનવામાં આવે, તો એ સાતમાં ગુણસ્થાનમાં કેમ હોઈ શકે? કેમકે આવા વિચાર પ્રમાદમાં સમ્મિલિત થાય છે. અપ્રમાદિને વિષયેચ્છા ન થવી જોઈએ. અપ્રમત્ત પુરૂષોને પુરૂષેચિત પુરૂષ-વેદને રદય (તેના પરિણામ સ્વરૂપ ઈચ્છા) હેવી પણ તેની પ્રમત્તતા સાબિત કરે છે, તે આવા ઉત્તમ આત્મામાં વિપરીત સ્ત્રી અથવા નપુંસક વેદને રદય (ઈચ્છા) કેમ થતો હશે? અને શ્રેણી માંડવા વાળામાં પણ આ તો આશ્ચર્યની વાત છે. હા, રદયને અર્થ ઈછા અથવા અભિલાષા રૂપ ન હોય અને બીજા અર્થમાં હેય, તે આ વાત અલગ છે. ઉત્તર :અમારી બધા જીવોને “નો જોવા ” જ બતાવ્યા છે. તેમાં ચારમાંથી કોઈપણ સંજ્ઞા હોતી નથી. વેદોદય અર્થાત્ મૈથુનની ભાવના -ઈચ્છા. ઈચ્છા થાય ત્યારે જ રદય રૂપ વેદોદય માનવું–આ અર્થ પણ એકાંત લાગુ થતું નથી. આ તે સ્થળરૂપે વેદોદયનું સ્વરૂપ બતાવ્યું છે. અન્યથા રૈવેયકને મનપરિચારણ (મનો વિકાર) પણ નથી, તે પણ રદય રૂપ વેદોદય માનેલ છે. એ જ રીતે તત્કાળના ગર્ભ રથ જેમાં અથવા તરતના જન્મેલા મનુયાદિમાં તથા સૂકમ એકેન્દ્રિયાદિમાં પ્રગટ ઈચ્છા ન હોવા છતાં પણ રદય રૂપ વેદોદય માનેલ છે. તથા તક, સંજ્ઞા, પ્રજ્ઞા, મન અને વાન પૃથ્વીકાયાદિ જમાં ન હોવા છતાં પણ તે કાંક્ષા મેહનીય કર્મ વેદે છે-એમ ભગવતી શ. ૧ ઉ.૧ માં બતાવેલ છે. તે જ રીતે તેમાં ઉભય અભિલાષા પ્રગટ રૂપમાં ન હોવા છતાં પણ તે નપુંસક વેદનો રદય વેદે છે. એથી આ અર્થ સર્વત્ર લાગુ પડતું નથી. “ો વિવાન વેચ”_આ પાઠ બીજા કર્મગ્રંથો છે. “કમરસને વિપાક કાળે વેદક તે ઉદય”—એ તેને અર્થ છે. ખાસ તો વિપાકોદયને જ ઉદય માનેલ છે. કેવળ પ્રદેશે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy