SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ] સમર્થ–સમાધાન તે પ્રમાણે જ હતો અને તે પ્રમાણે બીજા તીર્થકરેના પણ કલ્યાણક, તે જ નક્ષત્રમાં, તે જ માસમાં આવે છે કે કેમ? કે આ વખતે સંજોગાનુસાર એમ બન્યું છે, તે પણ જણાવવા કૃપા કરશોજી. ઉત્તર–શ્રાવણ અથવા ભાદરે અધિક હોય ત્યારે સમાજમાં પહેલાં કે પછી સંવત્સરી મનાવવા સંબંધી પ્રશ્ન ઉપસ્થિત થાય છે. વિક્રમ સં. ૧૯૯૬ અને ૨૦૦૪ માં પણ શ્રાવણ અધિકહેવાથી મ. શ્રી ને તે સમયે તેના સંબંધીત જિન-જન્માદિ નક્ષત્રોને જેવા પ્રસંગ આવ્યું હતું. તે વર્ષોમાં પણ જિન-જન્માદિ નક્ષત્રને ચેગ સૂત્રાનુકૂળ જ હતો. શ્રાવણ, ભાદરવા ઉપરાંત અધિક મહિનો આવે ત્યારે તથા અધિક મહિને ન આવે ત્યારે સંવત્સરી સંબંધી મતભેદનો ખાસ કઈ પ્રશ્ન જ ઉપસ્થિત થયે ન હતે. એથી તે સંબંધી વર્ષોમાં જિન-જન્માદિ નક્ષત્રને જોવાને કોઈ પ્રસંગ જ આવ્યું નથી. પ્રશ્ન ૮૭૧–જૈન શાસ્ત્રોમાં કઈ-કઈ તિથિનો ક્ષય થાય તેમ બતાવેલ છે અને તે પ્રમાણે અત્યારે ક્ષય થાય છે કે કેમ? તે પણ શાસ્ત્રના મૂળ પાઠથી જણાવશે. ઉત્તર:-સૂર્ય પ્રજ્ઞપ્તિના ૧૨ માં પ્રાભૂતમાં તિથિ-ક્ષય સંબંધી મૂળ પાઠ નીચે પ્રમાણે છે " तत्थ खलु इमे छ ओमरत्ता पं. तं. पव्वे सत्तमे पव्वे एकारसमे पञ्चे पन्नरसमे पव्वे एगूणवीसतिमे पव्वे तेवीसतिमे पव्वे ।” આનું વિશેષ વર્ણન આ જ પાઠની ટીકામાં છે. આનાથી મળતો પાઠ ઠાણાંગના ઠાણા ૬ માં પણ છે. લૌકિક પંચાંગમાં ક્ષય-તિથિ ઉપરોક્તથી ભિન્ન પણ આવે છે. પ્રશ્ન ૮૭૨ -પૂ. મ. શ્રી જણાવે છે કે “જ્યારે આગમ આપણું આધાર રૂપે છે, તે આપણે તેના અનુસારે ચાલવું જોઈએ. “હું પણ એજ માનું છું કે આગમ અનુસાર જ બધું થવું જોઈએ, નહિ કે લૌકિક રીતે, અને તે પ્રમાણે થાય છે કે કેમ? તે માટે જ ઉપરના પ્રશ્નો ઉપસ્થિત થાય છે, તે તે બાબત આગમ આધારથી જણાવવા કૃપા કરશોજી. ઉત્તર :–તમેએ લખ્યું કે “હું પણ એ જ માનું છું કે આગમ અનુસાર જ બધું થવું જોઈએ...” તમારા આ લખાણ અનુસાર જે સંપૂર્ણ ચતુર્વિધ સંઘ બધી પ્રવૃત્તિઓ આગમ અનુસાર કરવાને દઢ નિશ્ચય કરી લે તે આમ થવું અસંભવ નથી અને આમાં જ ગૌરવ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy