SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજો [ ૨૧ જાય છે. સિદ્ધ સ્વરૂપ થયા પછી તે સિદ્ધ સ્વરૂપ નિર ંતર કાયમ જ રહે છે. સિદ્ધ થવાના ઉપાય સમ્યગ્ જ્ઞાન, દર્શન, ચારિત્ર ( વ્રત નિયમ ) છે. પ્રશ્ન ૮૬૭ :—ભાદરવા માસના પર્યુષણ સંબંધી સ્પષ્ટીકરણ ખૂબ લાંબુ' હાઈ અત્રે લીધેલ નથી. ઉ, સબધી જ. ૮૬૮ મે પ્રશ્ન છે. પ્રશ્ન ૮૬૮ :—શ્રી સમવાયાંગજી સૂત્રમાં પર્યુષણ માટે એમ બતાવેલ છે કે એક મહિના વીસ દિવસ વ્યતીત થયા બાદ અને ૭૦ દિવસ બાકી રહે ત્યારે સવત્સરી પર્વ આવે. આ ઉપરથી એમ નક્કી થાય છે કે ૪ સહિનાનાં ૧૨૦ દિવસ છે એટલે તે ચામાસાના ૪ માસમાં ઘટતી તિથિ નથી. તે હકીકત સત્ય છે ? અને તે પ્રમાણે જ બનતું આવે છે? જે તેમાં ઘટતી તિથિ આવે, તે શાસ્ત્રનુ' લખાણુ બરાબર નથી એમ ગણાય કે કેમ ? ઉત્તર :—નિરશ હાવાના કારણે પ્રાયઃ ઋતુમાસ જ લેાક વ્યવહારમાં આવે છે. ઋતુમાસની અપેક્ષાએ શાસ્ત્રમાં ચોમાસાના ૧૨૦ દિવસ બતાવ્યા છે. પરંતુ ધાર્મિ ક પ (ચામાસી આદિ) ચંદ્રમાસની અપેક્ષાએ મનાય છે. ઋતુ અને ચંદ્ર સવત્સરમાં લગભગ ૬ દિવસનુ અંતર ખતાવેલ છે. એથી ચંદ્ર માસની અપેક્ષાએ તિથિ ઘટવી સિદ્ધાંતાનુકૂળ છે. જે રીતે પેાષ અને અષાઢ અધિક હાવાથી ફાગણુ અને અષાઢી ચામાસી પ્રતિક્રમણમાં • પાંચમાસિ મિચ્છામિ દુક્કડં' ન દેતા ‘ચામાસિ મિચ્છામિ દુક્કડ'' જ દેવાય છે અને અધિક મહિનાને ગૌણ સમજે છે, તે જ રીતે અહિં અવમરાત્રિને પણ ગૌણુ સમજવી આગમ અનુસાર છે. એથી અવમ-રાત્રિનુ હોવું શાસ્ત્રીય પ્રામાણિકતાનું ખાધક નથી. પ્રશ્ન ૮૬૯ :—અષાડ માસ ૨૯ દિવસના મહિના છે, શ્રાવણ ૩૦ દિવસને અને ભાદ્રપદ ૨૯ દિવસના, એટલે ઘટતી તીથી-પહેલા ૫૦ દિવસમાં આવે કે પછીના ૭૦ દિવસમાં આવે, તે પણ જણાવશે? ઉત્તર ઃ—સંવત્સરીના પહેલાં કે પછી અન્ને બાજુ અવમ-ત્રિ આવી શકે છે. આને વિશેષ ખુલાશે સમવાયાંગ, ચંદ્ર પ્રાપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ આદિમાં છે. પ્રશ્ન ૮૭૦ :—પૂજ્ય મહારાજ શ્રી એ જણાવ્યુ` છે કે શ્રી ભગવાન મહાવીર સ્વામી ગભ માં પધાર્યાં વગેરે નક્ષત્રો એક મહિના પછી એટલે શ્રાવણમાં આવે છે, તા દરેક વર્ષે આ નક્ષત્રો અષાઢમાં આવે છે કે દર વર્ષ ફેરફાર થાય છે? જ્યારે ચામાસાના ૪ માસ સિવાય અધિક માસ આવે, ત્યારે તે નક્ષત્રો કયારે આવે છે? સં. ૨૦૦૯ માં પણ અધિક માસ હતા, તે વખતે પૂ. મ. શ્રીએ જે નક્ષત્રો અને કલ્યાણક દિવસે બતાવ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy