SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ ] સમર્થ–સમાધાન ઉત્તર-ચૌદમા સમવાયાંગમાં જીવના જે ૧૪ ભેદ બતાવ્યા છે, તેમાંથી જીવને ૧૧ મે ભેદ અસંજ્ઞી પંચેન્દ્રિયને અપર્યાપ્તો, તેરમો ભેદ સંજ્ઞી પંચેન્દ્રિયનો અપર્યાપ્ત અને ૧૪ મો સંસી પંચેન્દ્રિય પર્યાપ્ત, આ જીવના ત્રણ ભેદ નારકી, ભવનપતિ અને વ્યંતરદેવેમાં હવા સંભવ છે. અહીંથી તે અસંસી અને સંસીના પર્યાપ્તા જ મરીને નરક અને દેવ ગતિમાં જાય છે, પરંતુ ત્યાં તે અસંજ્ઞીનું અસંસીપણું થોડીવાર (અંતર્મુહુર્ત) સુધી અપર્યાપ્તા અવસ્થામાં જ રહે છે. એથી ૧૧ મે જ ભેદ ગણવું જોઈએ, બારમે નહીં. જે કઈ કહે કે અહિંથી ૧૨ મા ભેદમાં મર્યો. તે ત્યાં ૧૧ મો ભેદ કેમ થઈ ગયે? આના સમાધાનમાં કહેવાનું કે જે પ્રકારે ૧૪ મા ભેદ વાળા મરીને નરક અને દેવાદિમાં ૧૩ મા ભેદમાં ઉત્પન્ન થાય છે, તે જ રીતે અસંજ્ઞી જીવના ૧૨ મા ભેદમાં મરીને નરક અને દેવગતિના ૧૧ મા ભેદપણે ઉત્પન્ન થાય છે. શ્રી ટીકમદાસજી મ. શ્રીએ પણ વીસ હાણ (નવતત્વ)માં ઉપરોક્ત ભેદ જ ફરમાવ્યાં છે. શકા –નારક, ભવનપતિ અને વ્યંતરના અપર્યાપ્તામાં અસંસી-પંચેન્દ્રિયના અપયુપ્તા, જે જીવને ૧૧ મો ભેદ બતાવ્યા છે, તેમાં આ બાધા ઉપસ્થિત થઈ જાય છે કે પછી પૃથ્વી, પાણી વનસ્પતિમાં દેવાદિ આવીને ઉત્પન્ન થાય છે, તે તેની અપર્યાપ્ત અવસ્થામાં પણ સંજ્ઞી પંચેન્દ્રિયના અપર્યાપ્તા લેવા જોઈએ. પરંતુ એવું નથી લેવાતું. ૭ અપર્યાપ્તાના સ્થાન સ્વ- ગ્ય પર્યાને જ્યાં સુધી પૂર્ણ નહિ કરશે, ત્યાં સુધી જ અપર્યાપ્તાના સ્થાન સમજવા જોઈએ. - શામાં જે નારક, ભવનપતિ આદિ ને જીવવાની અપેક્ષાએ જ અસંસી, કહેલા છે. એથી તે જીવનું ત્રીજું સ્થાન લેવું તે વિચારણીય પ્રતીત થાય છે. સમાધાન –જીવાભિગમ સૂત્રના બે જીવોની પ્રતિપત્તિમાં, ભગવતી શ. ૬ ઉ. ૪ શ. ૨૮ ઉ. ૨, પન્નવણુ પદ ૨૮ ઉ. ૨ આદિ અનેક સ્થાને માં નારકી અને દેવેને સંસી અને અસંજ્ઞી બન્ને બતાવેલ છે. શ. ૮ ઉ. ૨ માં નારક અને દેવેમાં નારક અને દેવ ગતિકમાં, નારક અને દેના અપર્યાપ્તામાં અને નારક અને દેવ ભવસ્થાદિમાં જે અજ્ઞાન છે તથા ત્રણ બતાવ્યા છે (ત્રણ અજ્ઞાનની ભજન) જેનું કારણ અસંજ્ઞી નારક અને દેવના અપર્યાપ્તામાં વિલંગ નથી હોતું, એથી બે બતાવેલ છે. આનાથી પણ ત્યાં નારક અને દેવમાં થેલીવાર (અપર્યાપ્ત અવસ્થા સુધી) અસંસીપણું રહેવું સિદ્ધ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy