SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ સમર્થ–સમાધાન પ્રશ્ન ૮૨૯-અઢી-દ્વીપની બહાર અસંખ્યાત દ્વીપ સમુદ્રોમાં તિર્યંચ પંચેન્દ્રિય જીવ છે, તે સંડી છે કે અસંજ્ઞી? શુ મન વાળા જીવ, અઢી દ્વીપની બહાર પણ છે? જે હેય, તે તેના મને ગત ભાવને મન:પર્યવ જ્ઞાની કેમ નથી જાણતા? મન: પવજ્ઞાની ન જાણે, આ દષ્ટિથી શકા થાય છે કે કદાચ અઢી દ્વીપની બહાર મનવાળા જીવ ઉત્પન્ન ન થતા હોય? ઉત્તર –સંજ્ઞી અને અસંજ્ઞી જલચર તિર્યંચ પંચેન્દ્રિયની જે ઉત્કૃષ્ટ અવગાહના ૧૦૦૦ જનની બતાવેલ છે તે ૧૦૦૦ એજનના જલચર તો સ્વયંભૂરમણ સમુદ્રમાં જ હોય છે. તથા સંસી ઉરપરી–સર્ષની ઉ. અવગાહના ૧૦૦૦ જનની બતાવેલ છે તે પણ મનુષ્ય ક્ષેત્રની બહાર જ હોય છે. સમુગ્મ અને વિતતપક્ષી પણ મનુષ્ય ક્ષેત્રથી બહાર જ હોય છે. સાતમી નરકના નારકી થાવત્ સ્વયં ભૂરમણ સમુદ્રમાં પણ ઉત્પન્ન થાય છે. આ વાત પ્રજ્ઞાપના પદ ૨૧ તૈજસ અને કાશ્મણની અવગાહનાના મૂળ પાઠથી સ્પષ્ટ થાય છે. એથી ત્યાં સંસી અવશ્ય છે. અને અસંખ્યાતા દ્વીપમાં જે માનસરોવર છે ત્યાંના જલચર પણ તિષી દેવેનું રૂપ જોઈ, નિદાન કરીને, તિષી થાય છે. અસંશી તિષીમાં જતા નથી. એથી ત્યાં પણ સંજ્ઞી છે. આ વાત પ્રજ્ઞાપનાના ત્રીજા પદની ટીકાથી સ્પષ્ટ છે. ઈત્યાદિ અનેક પ્રમાણેથી સંજ્ઞી અને અસંગી બન્ને પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિય જીવ, સ્વયંભૂરમણ સમુદ્ર સુધી છે. મનઃ પર્યાવજ્ઞાનનો વિષય લંબાઈ, પહોળાઈમાં મનુષ્યક્ષેત્ર પ્રમાણ અને ઉંચાઈમાં સમભૂમિથી ૯૦૦ અને નીચાઈમાં ૧૦૦૦ એજનને છે. એથી અધિક નથી જાણી શકતા. આ જ કારણે તે મેરુના મનસ અને પંડગવનની વાવડિઓ આદિના સંસી તિર્યંચના મનોગત ભાવેને ન જાણી શક્યા. ઉપર મનવાળા વૈમાનિક દેવ છે. નીચે મનવાળા રિયિક છે. અને મનુષ્ય ક્ષેત્રની બહાર તિર્યચ, વ્યંતર અને તિષિઓ હોવા છતાં પણ મનઃ પર્યાવજ્ઞાનનો વિષય ન હેવાથી જાણી શકતા નથી, પરંતુ સંજ્ઞી તિર્યંચ તે મનુષ્ય ક્ષેત્રની બહાર ઘણું છે. પ્રશ્ન ૮૩૦:–અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય જીવ જે સંખ્યાત વર્ષની આયુવાળા છે, તેના ઉત્પત્તિના સ્થાન ક્યા છે? શું સંસીના મૃત કલેવરથી અસંસી ઉત્પન્ન થઈ શકે છે. ? ઉત્તર –-જળ, કાદવ, વનસ્પતિ, ભૂમિ, તિર્યંચ પંચેન્દ્રિયના શરીર અને મૃતક શરીર (દેડકાદિ વગેરેમાં અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય ઉત્પન્ન થવાની સંભાવના છે. પ્રશ્ન ૮૩૧ –સાધુને ૭૨ હાથ કપડું રાખવું અને સાવીને ૯૬ હાથે કપડું રાખવું કહેલ છે, તે તે ૭૨ અને ૯૬ હાથનો વિભાગ આપણું શ્રદ્ધા પરૂપણને અનુસારે કેવી રીતે રખાય? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy