SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજે [ ૨૨૭ પ્રશ્ન ૧૪૬૧–દેવલે ક તથા તીર્થકમાં જાનવરોના ચિહન કેમ લેવામાં આવ્યા તેમાં કોઈ વિશેષતા છે. તેમને કેમ શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે? ઉત્તર :–પુરુષ વગેરેના શરીરના અમુક અમુક સ્થાન પર રેખાઓના બનેલ અશ્વ, ગજ, વૃષભ વગેરેના ચિહેને શુભ માનવાનું કારણ એ છે કે, પુરુષને આ પ્રકારની રેખાઓ હેય તે પુરુષ પ્રભાવશાળી, અનેકને સ્વામી, કાંતિ તથા તેજયુક્ત, અનેકજનને આદરણીય, દેવ વગેરેને પૂજનીય વગેરે વિશેષતાઓ તેઓનામાં હોય છે. જે આવા હોય તેમની આ આકૃતિમાં કેટલીક રેખાઓ સ્વાભાવિક જ હોય છે. તેથી તેને શુભ ચિહન કહ્યું છે તથા અમુક પ્રકારની આકૃતિઓના ચિન્હ દેવોના શરીરમાં નથી તેથી તેમની ઓળખાણ માટે તેમના મુકુટ આદિમાં આવા ચિન્હ હેવાને સંભવ છે. પ્રશ્ન ૧૪૬૨ –ઈશાન દેવલોકમાં ૭ અનેક–અધિપતિ છે. તેમાં હાથી, બળદ, ઘેડા વગેરે પણ છે. તેઓ તીર્થંચ પંચેન્દ્રિય છે કે વૈકિય રૂપ છે? તથા દેવ જે વૈક્રિય બનાવે છે તે સમયે જે વૈકિયનું રૂપ હોય છે તે આત્માઓ જુદા જુદા છે કે એક જ છે? ઉત્તર :–દેવેની જે અનિકાઓ છે અથવા અનિકાના અધિપતિ હોય છે તેમાં જે હાથી, ઘોડા, બળદ વગેરેની અનિકાએ બતાવેલ છે તે તે અનિકાને જે દેવ છે તે પિતપિતાના નિયુક્ત સ્થાન પ્રમાણે હાથી, ઘોડા, બળદ વગેરેનું રૂપ બનાવી લે છે. પરંતુ દેવલેકમાં તીર્થંચ પંચેન્દ્રિય નથી, ત્યાંના હાથી, ઘેડા, બળદ વગેરે તીર્ય નથી. ત્યાંના હાથી, ઘેહા, બળદ વગેરે દેવેનું બનાવેલ વિઝિયરૂપ સમજવું. એક દેવના બનાવેલા જેટલા પણ રૂપ હોય તે બધાને એક આત્મા સમજ, અને બીજા દેવના બનાવેલ રૂપને બીજે આત્મા, આ પ્રમાણે દેના રૂપના જુદા જુદા આત્માઓ હોય છે. પ્રશ્ન ૧૪૬૩ –પહેલા દેવલોકના ઈન્દ્ર મહારાજના ૮૪ હજાર સામાનિક દેવ છે, સામાનિક દેવ ઈન્દ્ર મહારાજની બબર છે કે તેમનાથી ઓછા? ત્રાયવિંશક દેવ કેને કહે છે? ઉત્તર :–“સમાનચા રૂ તુલ્યા ગયા વતિ રૂતિ સામાનિ (ઈન્દ્ર જેવી અદ્ધિથી રહેનાર તે સામાનિક) ભગવતી શ. ૩ ઉ. ૧ની ટીકા તથા સામાને જુતિ વૈમવાવ મવાઃ રામના આવી પણ ટીકા જોવા મળે છે. તેનો અર્થ કાંતિ તથા વૈભવમાં જે સમાન છે તે સામાનિક. તેને ભાવાર્થ આ પ્રમાણે સમજવું જોઈએ કે, લગભગ ઈન્દ્રના સમાન વૃતિ, કાંતિવાળા સામાનિક દેવ હોય છે. આ દેવ સેવક ગણતા નથી. જેમ રાજાઓના નાના ભાઈ જાગીરદાર કે માલીક હોય છે. જેઓ લગભગ સમાન આસન પર બેસનારા હોય છે. એ જ પ્રમાણે સામાનિક દેને જાણવા, પરંતુ તેઓ સર્વથા ઇંદ્રની બરાબર છે એમ સમજવું નહિ. છેવટે તે તે પણ ઈન્દ્રને આધીન છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy