SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ ] સમર્થ સમાધાન પ્રશ્ન ૧૪૫૮:–યથાખ્યાન ચારિત્ર બે વાર કેવી રીતે આવી શકે છે? ઉત્તર :–૧૧-૧૨-૧૩ અને ૧૪ મા ગુણ સ્થાનમાં એક યથાખ્યાત ચારિત્ર જ હોય છે, કેઈજીવ આઠમા ગુણસ્થાનથી ઉપશમ શ્રેણી કરીને, ૧૧ મા ગુણસ્થાન સુધી ગયે હય, જ્યારે જીવ ૧૧ મા ગુણસ્થાને ગમે ત્યારે તેને એકવાર તે યથાખ્યાત ચારિત્ર થઈ ગયું. જે તે જીવ કાળધર્મ પામે નહિં અને ત્યાંથી પાછો પડે તો આઠમા ગુણસ્થાને આવીને બીજીવાર ઉપશમ શ્રેણી કરીને, ૧૧ મા ગુણસ્થાને જાય અથવા ક્ષપક શ્રેણી કરીને, ૧૨ મા વગેરે ગુણસ્થાને જાય, તે તે જીવને બીજીવાર યથાખ્યાન ચારિત્ર થાય. આ રીતે એક જીવને એક ભવમાં ઉત્કૃષ્ટ બે વાર યથાખ્યાત ચારિત્ર આવી શકે છે. તથા એક જીવને અનેક ભવમાં ઉત્કૃષ્ટ પાંચવાર યથાખ્યાત ચારિત્ર આવી શકે છે. જેમાં ચારવાર તે ઉપશમ શ્રેણી દ્વારા ૧૧ મું ગુણસ્થાન પ્રાપ્ત કરીને, યથાખ્યાન ચાસ્ત્રિ પામે છે. અને ક્ષેપક શ્રેણી વડે તે એક પાંચમી વાર જ પામે છે. ક્ષેપક શ્રેણી વાળે પતનને પામતો નથી (પડતું નથી). પ્રશ્ન ૧૪૫૯શું નરકના નારકીઓ પણ મરવાની ઈચ્છા કરે છે કે જ્યાં તેઓને બહુ જ ક્ષેત્ર–વેદના છે? ઉત્તર–ઠાણાંગના ચેથા ઠાણાના પહેલા ઉદ્દેશમાં કહ્યું છે કે, નારકીઓ મનુષ્યલેકમાં આવવા ઈચ્છા કરતાં હોવા છતાં પણ, ચાર કારણથી તેઓ આવી શકતા નથી, જેમાં ચાથું કારણ એ બતાવ્યું છે કે, નરકનું આયુકર્મ ક્ષય ન થતાં તેઓ આવી શકતા નથી, આ ઉપરથી એ ભાવ નીકળે છે કે, તેઓ મરવાનું ઈચ્છતા હોવા છતાં પણ ત્યાનું બંધાયેલું નરકાયુ, તેમના આયુષ્યની સમાપ્તિ પહેલાં મૃત્યુ થતું નથી અને તેઓ દેવેની જેમ (મૃત્યુ પામ્યા વગર) અહિં આવી શકતા નથી. સૂયગડાંગ સૂત્રનું પાંચમું અધ્યયન તથા પન્નવણું સૂત્રનું પાંચમું પદ જેવાથી માલમ પડે છે કે, તેઓ (નારકી) ત્યાં રહેવાનું ઈચ્છતા ન હોય, છતાં પણ, આયુષ્ય સમાપ્ત થયા પહેલાં મરતા નથી. એમ તે કોઈપણ જીવ મરવા (દુઃખના સંગ અથવા સુખના વિયેગ રૂપ મરણ) ઈચ્છતું નથી, પરંતુ દુઃખથી ગભરાઈને દુઃખથી છૂટવાની અને સુખની પ્રાપ્તિ કરવાની આશાએ મૃત્યુ છે છે. તેને ફલિતાર્થ એ નીકળે છે કે, તે સુખને માટે જ મૃત્યુની અભિલાષા કરે છે. અન્ય કારણુથી નહિ. પ્રશ્ન ૧૪૬૦ –ચંદ્ર અને સૂર્યને, જયોતિષી દેના બે જ ઈન્દ્ર કહ્યા છે, તે કયા આશયથી તથા તે ઈન્દ્રો અઢી દ્વીપની અંદર છે કે બહાર, તથા આ વર્ણન ક્યા સૂત્રમાં આવેલું છે? ઉત્તર :–તમામ ચંદ્ર અને સૂર્ય ઈન્દ્ર છે, પરંતુ જાતિ માત્રને આશ્રય લઈને, જ્યોતિષીઓનાં બે ઈન્દ્ર, ચંદ્ર અને સૂર્ય બતાવેલ છે. આ ભાવ ઠાણાંગ સૂત્રના બીજા ઠાણાના ત્રીજા ઉદ્દેશમાંથી નીકળે છે. તથા ત્યાં મૂળપાઠમાં તિષીઓના બે ઈન્દ્ર બતાવેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy