SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજો [ ૨૨૫ ઉત્તર :- ઉત્પત્તિના સ્થાનને “યોનિ” અને ઉત્પત્તિના રસ્તા, પ્રકારને “કુલ” કહે છે. એક એનિમાં અનેક કૂળ હોય છે. જેમકે-છાણની એક એનિમાં કૃમિ, કીડા, વિંછી વગેરેના અનેક કુળ હોય છે. ઘઉંની એક યોનિમાં ઈલી, (જીવડું) ખાપરીયા, ધનેડા, વગેરે અનેક કુળ હોય છે. આકૃતિ, સ્વભાવ, કાર્ય વગેરે ભેદોથી કુલ કેડી જુદી જુદી બતાવી છે. પૃથ્વીકાય આદિ બધાને ભેળવતાં, ૧ કેડ, સાડી સત્તાણું લાખ કુલકેડી થાય છે. પ્રશ્ન ૧૪૫૫ –ભગવાન મહાવીર સ્વામી દશમા દેવલોકમાંથી ઍવીને, દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં આવ્યા, ત્યારે દેવાનંદ બ્રાહ્મણુને ૧૪ સ્વપ્ન આવ્યાં, આ કયા શાસ્ત્રમાં કહ્યું છે? ઉત્તરઃ–દેવાનંદ બ્રાહ્મણને ૧૪ સ્વપ્ન આવ્યાં, તેનું વર્ણન કપસૂત્રની બીજી વાંચનામાં છે. ભગવાન મહાવીર સ્વામી દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં આવ્યા, જેનું વર્ણન આચારાંગ સૂત્રના ૨૪મા અધ્યયનમાં આવ્યું છે, અને ભગવતીસૂત્ર શ. ૯ ઉ. ૩૩ માં ભગવાને ફરમાવ્યું કે, આ દેવાનંદ બ્રાહ્મણી મારી માતા છે, હું તેને પુત્ર છું, તેથી દેવાનંદા બ્રાહ્મણને પુત્ર નેહથી ઉત્સાહ આવ્યું. તીર્થકરને જીવ ગર્ભમાં આવે છે ત્યારે તીર્થકરની માતાને ૧૪ સ્વપ્ન આવે છે, આ વાત ભગવતી સૂત્રના ૧૬ મા શતકના છઠા ઉદ્દેશામાં બતાવી છે. આ બધાં શાસ્ત્રીય પ્રમાણેથી કલ્પસૂત્રમાં કહેલા, દેવાનંદાના ચૌદ સ્વપ્ન પ્રમાણિત છે. પ્રશ્ન ૧૪૫૬ –નવ રૈવેયક તથા અનુત્તર વિમાનના દેવેને આભરણું, વસ્ત્રો કેમ હતાં નથી? ઉત્તર:–નવ રૈવેયક અને અનુત્તર વિમાનના દેવેને એક ભવ ધારણિક શરીર જ હોય છે. ઉસુક્તાના અભાવે, તેઓ શરીર, વસ્ત્ર, આભૂષણ વગેરેની વિમુર્વણ કરતા નથી તથા એ સઘળા દેવોને મનોવિકાર અને અસૌંદર્યતા ન હોવાથી, તેમને પોતાને લજ્જિત થવાનું કે બીજાઓની લજા ઢાંકવાનું કેઈ પ્રજન નથી. અને વિકારના અભાવમાં આભરણ વગેરેની વિભૂષા કરવાનું તેમને મન જ થતું નથી, તેથી તેઓ વસ્ત્રાભરણુ રહિત હોય છે. તેમાં પણ તેમનું સ્વાભાવિક સૌંદર્ય દેખાય છે. - પ્રશ્ન ૧૪૫૭ –છદ્મસ્થ, ઉત્કૃષ્ટ અસંખ્યાતા કાળ સુધી અનાહારક કેવી રીતે રહી શકે છે? ઉત્તર –છદ્મસ્થ ઉત્કૃષ્ટ અનાહારકની ઉત્કૃષ્ટ સ્થિતિ બે સમયની જીવાભિગમ અને પનવણું સૂત્રના મૂળ પાઠમાં બતાવી છે, અસંખ્યાત કાળની નહિ. પૂશ્રી અલક ઋષિજી મ. વાળી પ્રત તે હમણા અહિં નથી. જે તેના અર્થમાં છપાઈ ગયું હોય તે તે ખોટું સમજવું. હા, છદ્મસ્થ આહારકની ઉત્કૃષ્ટ સ્થિતિ અને છદ્મસ્થ અનાહારકનું ઉત્કૃષ્ટ અંતર અસંખ્યાત કાળનું હોય છે. આ પ્રમાણે સૂત્રમાં બતાવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy