SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ ] સમર્થ સમાધાન ચૌપદ સ્થળચર અને ખેચર તીર્થમાં જેઓ યુગલિયા હોતા નથી પણ કર્મભૂમિ હેય છે તેઓ પણ કોઈ તીર્થંચ કે મનુષ્ય યુગલિયાને સતાવતા નથી, પરંતુ તેમાંથી કોઈ કોઈ અન્ય તીર્યનું ભક્ષણ (આહાર) કરતા હશે અને મારીને કર્મ–બંધ-અનુસાર ચારમાંથી કોઈ પણ એક ગતિમાં જાય છે. જલચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ–આ ત્રણ તીર્થમાં તો યુગલિયા હતા જ નથી, તેઓ તે બધા કર્મભૂમિના જ હોય છે; તથાપિ પ્રકૃતિ ભદ્રતાથી કોઈપણ યુગલિયાને દુઃખ આપતા નથી, અને મરીને કર્મબંધાનુસાર ચારમાંથી ગમે તે એક ગતિમાં જાય છે. આ પ્રશ્ન ૧૮૫૨–ચકવતી મહારાજના આઠ મંગલ કહ્યા છે. (૧) સ્વસ્તિક (૨) શ્રી વલ્સ (૩) નંદાવત (૪) વર્ધમાન (૫) ભદ્રાસન (૬) કલશ (૭) મત્સ્ય-ન્યુગલ અને (૮) દર્પણ-આમાંથી શ્રી વલ્સ, નંદાવર્તા, વર્ધમાન તથા ભદ્રાસનને અર્થ શું છે? ઉત્તર :–શ્રી વત્સ–એ પણ એક પ્રકારનું સ્વસ્તિક સાથીઓ) છે. આ આકારનું મહાપુરુષોની છાતી પર ઊંચુ ઉપસેલું અવયવ વિશેષ ચિન્હ રૂપે હોય છે. નંદાવર્ત–પ્રત્યેક દિશામાં–જેના નવ ખૂણ દેખાય છે તેવા સ્વસ્તિક (માંગલિક) ને નંદાવર્ત કહે છે. વર્ધમાન-શરાવ-સંપુટને કહે છે. એક પ્રકારના માટીના વાસણને શરાવ અથવા શરાવલા કહે છે. એક શરાવને સીધું રાખીને તેના પર બીજું શરાવ ઊંધું રાખો, બંનેના ની જેડ બરાબર થાય તેને શરાવ–સંપુટ કહે છે. આ આકારના માંગલિક ચિન્હને વર્ધમાન કહે છે. - ભદ્રાસન-એક પ્રકારના બેસવાના આસનને “ભદ્રાસન કહે છે. લોકહિત (ભલાઈ)ને માટે, જેના પર બેસવામાં આવે તેને ભદ્રાસન કહે છે. તે આકારના બનેલા ચિહ્નને લોકે માંગલિક માને છે. પ્રશ્ન ૧૪૫૩ –લવણ સમુદ્ર સિવાય બીજા સમુદ્રોમાં વર્ષા થતી નથી પરન્તુ અપકાયના જીવ ચવતા (મૃત્યુ પામીને) રહે છે, તો તે સમુદ્રોનું પાણું ઓછું થાય છે કે નહિં ? ઉત્તર –જે પ્રમાણે, મેરુ આદિ શાશ્વત પર્વત, વિમાન, ભવન, નરકાવાસ, સિદ્ધશિલા વગેરે સ્થળેથી જીવ અને પુદ્ગલ–બંનેનું ગમનાગમન થતું રહે છે અને તે પહાડ વગેરેની–આકાર, પ્રકાર, લમ્બાઈ, પહોળાઈ, જાડાઈ વગેરે એવી ને એવી જ દેખાય છે, એ જ પ્રમાણે તે સમુદ્રોમાંથી અપકાયના જી અને પુદ્ગલે બંનેનું ગમનાગમન થતું જ રહે છે તેથી ત્યાં વરસાદ ન થતું હોવા છતાં પણ તે સમુદ્રનું પાણી ઓછું થતું નથી. આ પ્રશ્ન ૧૪૫૪ –કુલ-કેડી કેને કહે છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy