SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ ] સમર્થ સમાધાન ઉત્તર –અનાથી મુનિને વેદના બહુ લાંબા સમયથી તે ન હતી. પરંતુ કેટલાક દિવસે સુધી રહી, આ વાત ત્યાંના સંદર્ભથી જણાય છે. પરંતુ કેટલા દિવસ રહી તેની સંખ્યાનું પરિમાણ જોવામાં આવ્યું નથી, તથા તેમની તે વેદના દેવકૃત હતી. મિત્રદેવે તેમને પ્રતિબોધન કરવા માટે આમ કર્યું હતું. આ પ્રકારનું વાંચવામાં આવ્યું છે. પ્રશ્ન ૧૪૩૮:–વિસંયોજના કેને કહે છે? ઉત્તર ઃ—જે પ્રકૃતિ ક્ષય થઈ ગઈ હોય તેમ છતાં મિથ્યાત્વને કારણે ફરીથી બંધાઈ જાય, તે ક્ષયનું નામ “વિસંયેજના છે. અને જે પ્રકૃતિને ક્ષય થઈ જતાં, બળેલા બીજની માફક પુનઃ પલ્લવિત ન થાય, આ પ્રકારના ક્ષયને “ક્ષપણ” કહે છે. પ્રશ્ન ૧૪૩૯ –ભવનપતિ, વાણુવ્યંતરમાં લેશ્યા ચાર કહે છે, પરંતુ જીવઘડામાં બે કેમ માની છે? ઉત્તર:– જીવઘડા” માં પણ, સમુચ્ચય ભવનપતિમાં તે બે લેક્યા બતાવી નહિ હોય, પરંતુ જઘન્ય સ્થિતિના ભવનપતિ ઇત્યાદિ કોઈ પણ વિશેષણ યુક્ત ભવનપતિમાં બે વેશ્યા બતાવી હશે, જઘન્ય (દશ હજાર વર્ષની) સ્થિતિના ભવનપતિમાં કૃષ્ણ અને તેને એ બે લેશ્યા જ હોય છે. આ બાબત ઉત્તરાધ્યયનના ૩૪ મા અધ્યયનની “દેવાની લેસ્થાની સ્થિતિ જેવાથી સ્પષ્ટ થાય છે. પ્રશ્ન ૧૪૪૦ –જે ન ભરાવે તે “મુકેલક પુદગલાની પાકિયા લાગે છે, પરન્તુ પુણ્યની કિયા આવતી નથી, તેનું કારણ શું? ઉત્તર :–ભગવતી સૂત્ર શ. ૫ ઉ. ૬ ની ટીકામાં અવ્રતની અપેક્ષાએ પાપની કિયા લાગે છે એમ બતાવ્યું છે, પુણ્ય કિયા વિવેક વિના આવતી નથી. વિચાર કરવાથી આ કથન બરાબર લાગે છે, કારણ કે, ઉપરના માળ પર ચડવાનું ઈરાદાપૂર્વક જ હોય છે, પડવાનું તે ઈરાદાપૂર્વક અથવા ઈરાદા વિના–એ બંનેય પ્રકારથી હોઈ શકે છે. આ પ્રકારે ઘટ-પટ-કટાદિ તૈયાર તે એક તરેહથી, અને નાશ બંને તરેહથી થઈ શકે છે. તેમજ જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ પ્રયત્નપૂર્વક, અને વિકાર આદિ દુર્ગની પ્રાપ્તિ પ્રયત્ન અથવા વિના પ્રયત્ન બંને પ્રકારથી થાય છે. ઉપરના ઉદાહરણથી પુણ્ય અને પાપની કિયા સંબંધમાં સમજવું. પ્રશ્ન ૧૪૪૧ –માખણને પાણી કે છાશમાં બે ચાર દિવસ રાખવામાં આવે, તે તેમાં કયા પ્રકારના છ ઉત્પન્ન થાય છે? - ઉત્તર –પાણુ અથવા છાશમાં રાખેલું માખણ તે દિવસે તે કામમાં લઈ શકાય છે, તેમાં છત્પત્તિ કે જીવ વિરાધના ન જોતાં પ્રભુએ એવી આજ્ઞા બૃહત્કલ્પના પાંચમા ઉદેશમાં ફરમાવી છે. વધારે દિવસ રાખવાથી કદાચ છાશ ખાટી (રસ ચલિત) થઈ જાય અથવા માખણમાં છાશ રસ ચલિત થઈ જાય તે તેમાં બે ઇન્દ્રિય-આદિ રસૈયા જીવ તથા લીલ કુંગ ઉત્પન્ન થવાની આશંકા રહે છે, તેથી આવી આશંકાને કારણે વધારે દિવસનું માખણ ઉપયોગમાં ન લેવું એ જ શ્રેયસ્કર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy