SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજે - ( ૨૨૧ પ્રશ્ન ૧૪૪૨ –કેણિક રાજા કેટલા ભવ કરીને મોક્ષમાં જશે? ઉત્તર –કોણિક, ભગવાનને ભક્ત હતા, તેથી અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળમાં અવશ્ય મોક્ષે જશે, તેના ભવોની સંખ્યા કયાંય જોવામાં આવી નથી. પ્રશ્ન ૧૪૪૩ –ગૌતમ સ્વામીને ત્રણ જ્ઞાન કયારે થયા અને ચાર જ્ઞાન કચારે થયા? શાસ્ત્રના ઉદાહરણથી જણાવવા વિનંતી છે. ઉત્તર –આટલા વર્ષો પછી ગૌતમ સ્વામીને ત્રણ જ્ઞાન થયા અને ત્યારબાદ અમુક વર્ષો પછી ૪ થું જ્ઞાન થયું એ ઉલ્લેખ શાસ્ત્રમાં જોવામાં આવ્યું નથી, પરન્તુ ગૌતમસ્વામી જ્યારે આણંદ શ્રાવકને ત્યાં પધાર્યા. તે પહેલાં જ તેમને અવધિ અને મનઃ પર્યવ જ્ઞાન થઈ ગયું હતું. અર્થાત્ કેવળજ્ઞાન સિવાય તેમને ચારે ય જ્ઞાન થઈ ગયા હતા, તે આગમિક સમલેચના પરથી ધ્યાનમાં આવે છે. જેમકે-ભગવતી સૂત્રના પ્રારંભમાં જ-જે સમયે રાજગૃહિ નગરીમાં શ્રેણિક રાજા અને ચેલણ રાણી હતાં, તે સમયે પણ ગૌતમ સ્વામીને ચાર જ્ઞાન અને ચૌદપૂર્વ હતા એમ બતાવેલ છે. વળી ૧૫ મા શતકમાં ગોશાલકે ૮ ચરમ કહ્યા, તેમાં છ મું ચરણ “મહાશિલા કંટક” બતાવ્યું છે, કે જે નજીકના ભવિષ્યમ જ થયું—એવી સંભાવના છે. એ જ શતકમાં ભગવાને ફરમાવ્યું છે કે, હું ચાલુ વર્ષ ઉપરાંત વધારે ૧૬ વર્ષ સુધી કેવળપણમાં વિચરીશ. ભગવાનની કેવળ-પર્યાય ૩૦ વર્ષથી કાંઈક ઓછી હતી. તે સમયે ભગવાનની કેવળ -પર્યાયનું ૧૪ મું વર્ષ ચાલતું હતું. તે સમયે કેણિકનું રાજ્ય હતું. શ્રેણિકનું મૃત્યુ થઈ ચૂકયું હતું. ત્યારબાદ મહાશિલા કંટક નામને સંગ્રામ થયો હતો. જ્યારે ગૌતમ સ્વામી શ્રેણિકની જીવિત અવસ્થામાં જ ચાર જ્ઞાન અને ચૌદપૂર્વના જાણકાર હતા, તે શ્રેણિકના મૃત્યુ બાદ પણ તેઓ ચાર જ્ઞાન અને ચૌદપૂર્વના ધારક રહ્યા, તેમાં સંશયને કોઈ સ્થાન નથી. આણંદની ઘટના ભગવાનના કેવળી-પર્યાયના ૨૦ વર્ષ પહેલાની તે હતી જ નહિ, કેમકે ભગવાન કેવળજ્ઞાની થયા બાદ જ આણંદ ગાથાપતિ ભગવાન પાસે બાર વ્રતધારી શ્રાવક બન્યા હતા. તેમણે ૨૦ વર્ષ શ્રાવકપણું પાળ્યું હતું. આ ઘટના તેમના સંથારાના સમયની છે. તેથી તે સમયે ગૌતમ સ્વામી ચાર જ્ઞાનવાળા હતા જ. હા, એ અવશ્ય સંભવિત છે કે, તે સમયે શ્રી ગૌતમે પિતાના અવધિજ્ઞાન અને ચીદપૂર્વનો ઉપયોગ કર્યો નહિ, તેથી ત્રાજુ સૂત્ર (વર્તમાન કાલગ્રાહી) નયથી ઉપગ નહિ મૂકવાનું કારણ એ કહી શકાય કે, તે સમયે તેમને ચાર જ્ઞાન અને ચૌદપૂર્વો ન હતાં. આ વાત ઉપગ ન મૂકો તેના કારણરૂપે કહી શકાય, પરંતુ ૪ જ્ઞાન અને ૧૪ પૂર્વ તે હતાં જ. પ્રશ્ન ૧૪૪૪–ચાર જ્ઞાનવાળા બીજાના જ્ઞાનને જાણી શકે કે નહિં? ઉત્તર :–અવધિ અને મન:પર્યવજ્ઞાનનો વિષય તો રૂપી પદાર્થ જ છે. તેથી આ બંને જ્ઞાનથી બીજાના જ્ઞાનને જાણી શકતા નથી, પરંતુ શ્રુત જ્ઞાન (ચૌદપૂર્વનું જ્ઞાન) થી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy