SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ ] સમર્થ–સમાધાન એક કાયયોગવાળાને પણ ત્રણ કરણ અને વચન તથા કાય એવા બે રોગવાળાને કરાવવું અને અનમેદવું હોય છે? ઉત્તર –એકેન્દ્રિયથી પંચેન્દ્રિય પર્યન્ત સઘળા માં કરવું, કરાવવું અને અનુમદન એ ત્રણ કરણ માનવા પ્રતિત થાય છે. કારણકે તેઓએ કરાવવાથી અને અનુમોદનથી નિવૃત્તિ લીધી નથી, તેથી તેઓને ત્રણેય કરણની અવિરતી સંબંધી ક્રિયા ચાલુ છે. જેમકે ભગવતી સૂત્ર અ.૧ ઉ.દમાં “કિયા વિચાર” કરતા એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવને અઢારેય પાપની ક્રિયા બતાવી છે. જો વિચાર કરવામાં આવે છે, એકેન્દ્રિય જીવ મૃષાવાદનું સેવન કરતા નથી, કલહ કરતા નથી, અભ્યાખ્યાન (કેઈન પર ખોટું કલંક મૂકવું) કરતા નથી, પશુન્ય (ચાડી ચુગલી) કરતા નથી, અને પર પરિવાદ (પારકાની નિંદા કરતા નથી વગેરે બાબતે પ્રત્યક્ષ રીતે તેઓમાં દેખાતી નથી, તથાપિ તેમનામાં બધાય પાપોની ક્રિયા બતાવી છે તે પણ “કડા કજજઈ છે અકડા કજઈ, અત્તકડા કજજઈ છે તદુભયા કડા કજજઈ” ઈત્યાદિ બતાવ્યું છે. આથી સ્પષ્ટ છે કે, તેમને મૃષાવાદ આદિની ક્રિયા સ્વકૃત છે અર્થાત્ તેઓ એકેન્દ્રિય આદિ સ્થિતિમાં પણ સ્વયં કરે છે. આ ઉપર વિચાર કરવાથી ફલિત અર્થ એ નીકળે છે કે, તેઓએ તે ક્રિયાને ત્યાગ કર્યો નથી. તેઓ અવિરતી છે. તેથી તેમને તે ક્રિયાઓ ચાલુ રહે છે. સામર્થ્યવાન હોવા છતાં પણ વિચારપૂર્વક તે કિયાઓને ત્યાગ કરવાથીજ ત્યાગી બનાય છે. અને ત્યારે જ તે ક્રિયાઓ આવતી બંધ થાય છે. આ બાબત સંજ્ઞી પંચેન્દ્રિય માંજ બની શકે છે. શંકા – અવિરતીની અપેક્ષાએ તે બધાય કરણુ ખુલ્લાં છે, તે ઠીક છે, પરંતુ મારે પ્રશ્ન અવિરતીની અપેક્ષાએ ન હતા. મારે પ્રશ્ન તે જેવી રીતે ત્રણેય ચોગવાળા મનથી પણ કરી શકે છે, કરાવી શકે છે અને અનુમોદન આપી શકે છે. એ પ્રમાણે શું એકેન્દ્રિય તથા વિકસેન્દ્રિય કરી શકે છે? જ્યાં જેટલા એગ છે ત્યાં તેટલાજ કરણ છે શું? શું તેઓ શરીરથી અથવા અધ્યવસાયથી કરી શકે છે, કરાવી શકે છે, અનુમોદી શકે છે? જેમ વૃક્ષને પાણી પાવાથી તેને અનુકુળ લાગે તે અનુદના આવે છે કે નહિ? સમાધાન –એકેન્દ્રિયમાં ત્રણે કરણ હોવા સંભવિત છે. તેના શરીરથી કરવું, કરાવવું, અનુમેદવું એ ત્રણેય કરણું હોય છે. જેમકેહવા, પાણી વગેરેથી જીવની વિરાધના થાય છે—તે સ્વયં કરવું છે. હવાથી પ્રેક્તિ વનસ્પતિ વગેરેથી પણ જીવની વિરાધના થાય છે તે “કરાવવું” છે, તેનામાં પ્રકુલ્લિતતા આવવી અથવા અધ્યવસાયમાં પરિવર્તન થવું એ અનુદન છે તેથી તેના શરીર તથા અધ્યવસાયે થી ત્રણે કરણ હોય છે, એ જ પ્રમાણે બે ઈન્દ્રિય વગેરેમાં પણ સમજી લેવું. પ્રશ્ન ૧૪૩૫ પૂ. શ્રી દેલતરામજી મ. ના શિષ્ય શ્રી સૌભાગ્યમલજી ભક લિખિત તથા લગભગ ૬૦-૭૦ વર્ષ પહેલા અહમદનગરથી પ્રકાશિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy