SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજો [ ૨૦૧ ઉત્તર :–દશ ૧. અ. ૬ માં જે ૧૮ સ્થાન બતાવ્યા છે ત્યાં ગાથા ૬-૭ માં કહ્યું છે કે આ અઢારેય સ્થાનેનું પાલન બાલક, વૃદ્ધ, રોગી, નીરગી એ બધા મુનિઓએ અખંડ રીતે કરવું જ જોઈએ. તેમાંના એક પણ સ્થાનને ભંગ કરે છે તે નિર્ચથતાથી ભ્રષ્ટ થાય છે. એટલા માટે જે “એગભત્ત અને અર્થ એકવાર જ કરવામાં આવે તે સકારણ સ્થિતિમાં અથવા આહારાદિ અધિક આવી જાય તે મુનિ બે વાર આહાર કરી શકે નહીં, જે કરે તે ઉપરોક્ત ગાથાથી તે સાધુ નિર્ચ થતાથી ભ્રષ્ટ થઈ જાય છે. કલ્પ. સૂત્રની આઠમી સમાચારમાં નિત્યજીને માટે સાધારણ રીતે ગોચરી કરવા જવા માટે અમુક સમય બતાવ્યા છે. ચઉથ-ચઉથ ભક્ત કરવાવાળા જરૂર પડે તે બીજીવાર બેચરી જઈ શકે છે. છડું–છડ્રની તપસ્યા કરનાર સાધુ ગોચરી બે વખત જઈ શકે. અડ્ડમ-આઠમ કરનાર ત્રણ કાળ ગેચરી માટે જઈ શકે. અને અઠમ-આઠમની તપસ્યાથી અધિક તપસ્યા કરવાવાળા માટે ગોચરીના બધા કાળ બતાવ્યા છે. પારણુમાં એક જ સમય ભજન કરવાનું હોય તે આટલીવાર ભીક્ષાચરી કેમ બતાવી ? ઠાણુગ ૩ ઉ. ૩ માં ચઉથ, છઠ્ઠ વગેરેને શબ્દાર્થ કરીને પછી પ્રવૃત્તિ-ચઉત્થને ઉપવાસ અને છડના બે ઉપવાસ બેલા ] કહ્યા છે. ભગવતીનું પંદરમું શતક જે એક દિવસમાં પૂરું ન થાય તે બીજે દિવસે આયંબિલ કરીને પૂરું કરવું. જે બીજે દિવસે પણ પૂરું ન થાય તે ત્રીજે દિવસે આયંબિલને છઠ્ઠ કરીને સમાપ્ત કરે. આ વાત એકતાળીસમા શતકની સમાપ્તિ પછી મૂળ પાઠમાં બતાવી છે. એથી પણ સિદ્ધ થાય છે કે બેલાના છડૂની સંજ્ઞા છે. કૃષ્ણ-વાસુદેવે દેવકી પાસેથી નીકળીને પૌષધશાળામાં જઈને અઠમ કર્યો. તેમને પહેલા તે ખબર જ ન હતી કે આવતી કાલે અઠમ કરે પડશે, તેથી પહેલે દિવસે તેમનું એક ભક્ત જન કેવી રીતે થયું હશે ? આથી પણ તેલાના અઠમની સંજ્ઞા સિદ્ધ થાય છે. જે એમ કહેવામાં આવે કે તે સમયે એક જ વખત ભોજન કરવાની પ્રણાલિકા હતી તે તેમનાથી અઠમ (ત્રણ ઉપવાસ) થયે જ કેવી રીતે ? કારણ કે ત્રણ દિવસનું ત્રણ સમયનું ભેજન છુટું છે. એ જ પ્રમાણે ધારિણી રાણીએ દોહદની પૂતિને માટે કરાયેલાં અભયકુમારના અટ્ટમનું પણ સમજવું જોઈએ. વ્યવહાર સૂત્ર ઉ. ૯ માં “લઘુમેક પ્રતિમા ” જે ભજન કરીને પ્રારંભ કરે, તે ચૌદ ભકતથી પૂરી થવાનું બતાવે છે અને ભજન કર્યા વગર પ્રારંભ કરે તે સેળ ભક્તથી પૂરી થાય છે. એ જ પ્રકારે મેટી લેક પ્રતિમા સેળ અથવા ૧૮ ભકતે પૂરી થાય છે. ભજન કરીને શરૂ કરવાથી; તપના બે ભકત ઓછા થાય છે અને ભજન કર્યા વગર શરૂ કરે તે તપના બે ભક્ત વધી જાય છે એથી પણ દિવસને એક તથા રાત્રિનો એક, એ રીતે રોજના બે બે ભકત થાય છે, એમ સમજાય છે. ભિખુય ઉગય વિત્તય અણુ-અર્થીમિયં સંકેપે ” એ પાઠથી ચાર સૂત્ર બૃહત્કલ્પના પાંચમા ઉદ્દેશામાં છે, તે પણ અવેલેકનીય છે. २६ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy